Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    10 મહિનામાં બીજા લગ્ન કરનાર Cricketer Rashid Khan કહ્યું – એમાં છુપાવવાનું શું છે

    November 12, 2025

    ‘જે પણ દોષિત છે, તેને છોડવામાં નહીં આવે’, દિલ્હી બ્લાસ્ટના પીડિતોને મળ્યા બાદ બોલ્યા PM મોદી

    November 12, 2025

    શરીફનાં દાવાનું સુરસુરીયું : આત્મઘાતી હુમલાની જવાબદારી લેતું પાક Taliban

    November 12, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 10 મહિનામાં બીજા લગ્ન કરનાર Cricketer Rashid Khan કહ્યું – એમાં છુપાવવાનું શું છે
    • ‘જે પણ દોષિત છે, તેને છોડવામાં નહીં આવે’, દિલ્હી બ્લાસ્ટના પીડિતોને મળ્યા બાદ બોલ્યા PM મોદી
    • શરીફનાં દાવાનું સુરસુરીયું : આત્મઘાતી હુમલાની જવાબદારી લેતું પાક Taliban
    • તા.19ના CM Rajkot માં; 550 કરોડના વિકાસ કામોની ભેટ આપશે
    • Delhi Blasts તપાસનું સુકાન NIAના એડીજી વિજય સખારેને સુપ્રત
    • દિલ્હી બ્લાસ્ટસ `એકટ ઓફ વોર’! ઓપરેશન સિંદુર ચાલુ જ છે : Important CCS meeting
    • Delhi Blast ક્ષણના CCTV ફુટેજ જાહેર; 8 મૃતકોના DNA પણ મેચ થયા
    • Switzerland ના ઝુરિચ એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરતા મુસાફરોએ રાત ફ્લોર પર સૂઈને વિતાવવી પડી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»શું Bangladesh and Pakistan ફરી એક થશે ? મોહમ્મદ યુનુસ અને શાહબાઝ શરીફ વચ્ચે ગુપ્ત બેઠક
    આંતરરાષ્ટ્રીય

    શું Bangladesh and Pakistan ફરી એક થશે ? મોહમ્મદ યુનુસ અને શાહબાઝ શરીફ વચ્ચે ગુપ્ત બેઠક

    Vikram RavalBy Vikram RavalDecember 23, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બાંગ્લાદેશમાં શેખ હસીના તખ્તાપલટ બાદ પાકિસ્તાનને ફાયદાનો રસ્તો દેખાઈ રહ્યો છે

    Bangladesh,તા.૨૩

    શેખ હસીનાની સરકારના પતન બાદ હવે બાંગ્લાદેશ એ ઘાને ભૂલી જવાની તૈયારી કરી રહ્યું છે જે તેને પાકિસ્તાન આર્મી દ્વારા આપવામાં આવ્યા હતા. ૧૯૭૧ના યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સેનાએ લાખો બાંગ્લાદેશીઓ પર અત્યાચાર ગુજાર્યો હતો અને તેમની હત્યા કરી હતી. પરંતુ, હવે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ આ બધું ભૂલીને ધીમે ધીમે પાકિસ્તાનના ખોળામાં બેસવાની તૈયારી કરી રહ્યા છે.

    બાંગ્લાદેશમાં શેખ હસીના તખ્તાપલટ બાદ પાકિસ્તાનને ફાયદાનો રસ્તો દેખાઈ રહ્યો છે. કારણ કે, સંબંધોને વધુ મજબૂત કરવાના પ્રયાસમાં બાંગ્લાદેશનો ઝુકાવ પાકિસ્તાન તરફ જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે ૧૯ ડિસેમ્બરે ઇજિપ્તના કૈરોમાં આયોજિત ડ્ઢ-૮ સમિટ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી.

    ડી-૮ ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કોઓપરેશન, જેને વ્યાપકપણે ડેવલપિંગ-૮ તરીકે ઓળખવામાં આવે છે. તેના સભ્ય દેશોમાં બાંગ્લાદેશ, ઈજિપ્ત, ઈન્ડોનેશિયા, ઈરાન, મલેશિયા, નાઈજીરીયા, પાકિસ્તાન અને તુર્કી છે. આ દેશો વચ્ચે વિકાસ સહયોગને પ્રોત્સાહન આપવા માટેનું એક સંગઠન છે. ૧૯મી ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ અઝરબૈજાનના ૯મા સભ્ય તરીકે જોડવામાં આવ્યો છે. આ સંગઠન વિવિધ અર્થતંત્રો વચ્ચે સહકાર વધારવા અને પરસ્પર વિકાસને પ્રોત્સાહન આપવા માટે છે.

    રિપોર્ટ્‌સ અનુસાર, જ્યારે બાંગ્લાદેશમાં શેખ હસીના સત્તા પર હતા ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન સાથે ક્યારેક આ અંગે વાતચીત થઈ હતી. જો કે, આ અંગે કોઈ અંગત બેઠક થઈ નથી. તો બાંગ્લાદેશ વતી મોહમ્મદ યુનુસે પાકિસ્તાન સાથે ૧૯૭૧ના પેન્ડિંગ મુદ્દાઓને ભવિષ્યની પેઢીઓ માટે કાયમ માટે ઉકેલવાની વાત કરી છે.

    બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફને ૧૯૭૧ના મુદ્દાઓ ઉકેલવા વિનંતી કરી હતી. યુનુસે કહ્યું આ મુદ્દાઓ વારંવાર સામે આવી રહ્યા છે. તો આ મુદ્દાઓને ઉકેલીએ જેથી કરીને આગળ વધી શકીએ. આના પર શરીફે કહ્યું છે કે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ભારત વચ્ચે ૧૯૭૪ના ત્રિપક્ષીય કરાર દ્વારા મુદ્દાઓ ઉકેલાઈ ગયા છે, પરંતુ જો કોઈ મુદ્દો પેન્ડિંગ હશે તો તેના પર ચર્ચા કરવા માટે અમે તૈયાર છીએ.

    પાકિસ્તાન ફરી એકવાર બાંગ્લાદેશ સાથે પોતાના જૂના સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ વખતે પાકિસ્તાનનું ધ્યાન માત્ર બિઝનેસ, કલ્ચર અને સ્પોર્ટ્‌સ પર જ નથી, પરંતુ છેલ્લા ચાર મહિનામાં અનેક નીતિ અને વ્યૂહાત્મક પગલાં લેવામાં આવ્યા છે. ઇજિપ્તમાં આયોજિત કોન્ફરન્સ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફ અને મોહમ્મદ યુનુસ વચ્ચેની તાજેતરની બેઠક બાદ બાંગ્લાદેશને લઈને ઇસ્લામાબાદમાં બંધ દરવાજે બેઠક મળી હોવાની માહિતી સામે આવી છે.

    આ પ્રયાસો શેખ હસીના ગયા ત્યારથી જ એટલે કે ૫ ઓગસ્ટે જ શરૂ થઈ ગયા હતા, જ્યારે પાકિસ્તાનના હાઈ કમિશનરે બીએનપી નેતાઓ અને બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકારને અલગ-અલગ પ્રસંગોએ મળવાનું શરૂ કર્યું અને મહત્વના મુદ્દાઓ પર વાટાઘાટો કરવા માટે એકસાથે પગલાં લેવામાં આવ્યા હતા. જેમાં બાંગ્લાદેશના એટર્ની જનરલ, ગૃહ બાબતોના સલાહકાર, સામાજિક કલ્યાણ અને મહિલા અને બાળકોની બાબતોના સલાહકાર, સાંસ્કૃતિક બાબતોના સલાહકાર અને વાણિજ્યના સલાહકાર સાથે બેઠકો યોજાઈ હતી.

    છેલ્લા ચાર મહિનામાં ફેડરેશન ઓફ બાંગ્લાદેશ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ માટે વેપારી સમુદાયોને એકસાથે લાવવા અને વેપાર સંબંધો સુધારવા માટે વિચારોની આપ-લે કરવાની તકો પણ આવી હતી અને સપ્ટેમ્બર સુધીમાં વિદેશી બાબતોના સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈન માટે બાંગ્લાદેશ પાકિસ્તાન સાથે સામાન્ય સંબંધો રાખવા માંગે છે તેવી જાહેરાત કરવા માટે મંચ તૈયાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે છેલ્લા ચાર મહિનામાં ઓછામાં ઓછી ૧૭ બેઠકો યોજાઈ હતી, જ્યારે આ પહેલા ૨૦૧૯ પછી આવી માત્ર બે બેઠકો જ થઈ હતી. પાકિસ્તાન અને બાંગ્લાદેશ તેમના સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેના ભાગરૂપે, ૧૯૭૧ પછી બંને દેશો વચ્ચે પ્રથમ સીધું શિપિંગ કનેક્શન સ્થપાયું જ્યારે ગયા મહિને કરાચી બંદરેથી એક કાર્ગો જહાજ ચટગાંવ બંદરે પહોંચ્યું. બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય વેપારમાં એક મોટું પગલું છે. પાકિસ્તાને હવે બાંગ્લાદેશી નાગરિકોને વિઝા આપવાનું શરૂ કર્યું છે, જેઓ હવે તેના વિઝા પોર્ટલ પર ઓળખપત્ર અપલોડ કરીને ૪૮ કલાકમાં મફત પાકિસ્તાની વિઝા મેળવી શકે છે, ઉત્તર બંગાળ અને નેપાળમાં પોતાની ગતિવિધિઓ વધારી દીધી છે. તેણે તેના સ્લીપર સેલને ફરીથી સક્રિય કરી દીધું છે.

    Bangladesh and Pakistan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    શરીફનાં દાવાનું સુરસુરીયું : આત્મઘાતી હુમલાની જવાબદારી લેતું પાક Taliban

    November 12, 2025
    આંતરરાષ્ટ્રીય

    Pakistan`યુદ્ધની સ્થિતિમાં’ : ભારતની દોરવણીથી અફઘાનિસ્તાને આત્મઘાતી હુમલો કર્યાની કાગારોળ

    November 12, 2025
    આંતરરાષ્ટ્રીય

    પાક સૈન્ય વડાઓની જેહાદી માનસિકતા દેશ-વિદેશની ધરતી પર ત્રાસવાદ સર્જે છે:Pakistani journalist

    November 12, 2025
    આંતરરાષ્ટ્રીય

    અમેરિકાને ટેલેન્ટની જરૂર : H-1B વિઝા પર ટ્રમ્પ નરમ પડયા

    November 12, 2025
    આંતરરાષ્ટ્રીય

    ૨૩ વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું US માં અવસાન થયું. તે નોકરી શોધી રહી હતી

    November 11, 2025
    આંતરરાષ્ટ્રીય

    Iran અમેરિકા સાથે ’શાંતિપૂર્ણ પરમાણુ કરાર’ ઇચ્છે છે

    November 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    10 મહિનામાં બીજા લગ્ન કરનાર Cricketer Rashid Khan કહ્યું – એમાં છુપાવવાનું શું છે

    November 12, 2025

    ‘જે પણ દોષિત છે, તેને છોડવામાં નહીં આવે’, દિલ્હી બ્લાસ્ટના પીડિતોને મળ્યા બાદ બોલ્યા PM મોદી

    November 12, 2025

    શરીફનાં દાવાનું સુરસુરીયું : આત્મઘાતી હુમલાની જવાબદારી લેતું પાક Taliban

    November 12, 2025

    તા.19ના CM Rajkot માં; 550 કરોડના વિકાસ કામોની ભેટ આપશે

    November 12, 2025

    Delhi Blasts તપાસનું સુકાન NIAના એડીજી વિજય સખારેને સુપ્રત

    November 12, 2025

    દિલ્હી બ્લાસ્ટસ `એકટ ઓફ વોર’! ઓપરેશન સિંદુર ચાલુ જ છે : Important CCS meeting

    November 12, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    10 મહિનામાં બીજા લગ્ન કરનાર Cricketer Rashid Khan કહ્યું – એમાં છુપાવવાનું શું છે

    November 12, 2025

    ‘જે પણ દોષિત છે, તેને છોડવામાં નહીં આવે’, દિલ્હી બ્લાસ્ટના પીડિતોને મળ્યા બાદ બોલ્યા PM મોદી

    November 12, 2025

    શરીફનાં દાવાનું સુરસુરીયું : આત્મઘાતી હુમલાની જવાબદારી લેતું પાક Taliban

    November 12, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.