Dhaka,તા.૨
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયા હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે અને તેમની તબિયતમાં કોઈ સુધારો થઈ રહ્યો નથી. ઝિયાની હાલત ગંભીર હોવાથી, તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય તબીબી નિષ્ણાતો હોસ્પિટલમાં તેમની સારવાર કરી રહ્યા છે. ખાલિદા ઝિયાના સ્વાસ્થ્ય વિશે તેમના પક્ષના નેતાઓ દ્વારા માહિતી આપવામાં આવી છે. છાતીમાં ચેપની ફરિયાદ બાદ ઝિયાને ૨૩ નવેમ્બરના રોજ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ થયા પછી તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી અને તેમને કોરોનરી કેર યુનિટમાં ખસેડવામાં આવ્યા હતા. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે અને મદદની ઓફર કરી છે.
ન્યૂઝ પોર્ટલના ઉપપ્રમુખ એડવોકેટ અહેમદ આઝમ ખાનને ટાંકીને કહ્યું કે ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાની તબિયત વધુ ખરાબ થઈ ગઈ છે અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ખાને એવરકેર હોસ્પિટલની બહાર પત્રકારોને જણાવ્યું હતું કે, “તેમની (ખાલિદા ઝિયા) સ્થિતિ ખૂબ જ નાજુક છે, અને આ સમયે, સમગ્ર રાષ્ટ્ર પાસેથી પ્રાર્થના કરવા સિવાય કંઈ કરી શકાતું નથી.”
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ખાલિદા ઝિયાના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ઠ પર લખ્યું હતું કે, “બાંગ્લાદેશમાં લાંબા સમય સુધી યોગદાન આપનાર બેગમ ખાલિદા ઝિયાના સ્વાસ્થ્ય વિશે જાણીને મને ખૂબ જ ચિંતા છે. તેમના ઝડપી સ્વસ્થ થવા માટે અમારી પ્રાર્થના અને શુભેચ્છાઓ. ભારત કોઈપણ રીતે શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે તૈયાર છે.”
બીએનપીના મહાસચિવ મિર્ઝા ફખરુલ ઇસ્લામ આલમગીરે પણ ખાલિદા ઝિયાના બગડતા સ્વાસ્થ્યની પુષ્ટિ કરી છે. આલમગીરે કહ્યું કે ઝિયાની હાલત હજુ પણ ગંભીર છે અને તેમની સારવાર ચાલી રહી છે. ન્યૂઝ વેબસાઇટે આલમગીરને ટાંકીને કહ્યું કે, “તે ખૂબ જ બીમાર છે. આખો દેશ તેમના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યો છે. તેઓ ગંભીર રીતે બીમાર છે, અને અમારા ડોકટરો તમામ પ્રયાસો કરી રહ્યા છે. સ્થાનિક અને વિદેશી નિષ્ણાતો તેમની સારવાર કરી રહ્યા છે. તેઓ તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.” બીએનપીના વરિષ્ઠ સંયુક્ત મહાસચિવ રુહુલ કબીર રિઝવીએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ઝિયા (૮૦) ની હાલતમાં કોઈ ફેરફાર થયો નથી.
બાંગ્લાદેશના સ્વર્ગસ્થ રાષ્ટ્રપતિ ઝિયાઉર રહેમાનના પત્ની ખાલિદા ઝિયા લાંબા સમયથી લીવર અને કિડનીની સમસ્યાઓ, ડાયાબિટીસ, સંધિવા અને આંખની સમસ્યાઓ સહિત અનેક ગંભીર બીમારીઓ સામે ઝઝૂમતા હતા. અદ્યતન સારવાર લીધા પછી ઝિયા આ વર્ષે ૬ મેના રોજ લંડનથી ઢાકા પરત ફર્યા. તેમના એકમાત્ર પુત્ર, બીએનપીના કાર્યકારી પ્રમુખ, તારિક રહેમાન, ૨૦૦૮ થી લંડનમાં રહે છે. તેમના બીજા પુત્ર, અરાફત રહેમાનનું ૨૦૨૫ માં હૃદયરોગના હુમલાથી અવસાન થયું.

