Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સાબરમતી સહિત Gujaratની ૧૦ નદીઓ સૌથી પ્રદૂષિત! શુદ્ધિકરણ માટે થયેલો ખર્ચ પાણીમાં!

    December 2, 2025

    Rajkot માં પ્રદુષિત બની હવા. તાવ, ઉધરસ અને ખાંસીના દર્દીઓમાં વધારો થયો

    December 2, 2025

    ગાંધી-સરદારની ભૂમિના યુવાઓનું ભવિષ્ય ડ્રગ્સ અને અપરાધની દુનિયામાં ધકેલાઈ રહ્યું છે,Rahul Gandhi

    December 2, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સાબરમતી સહિત Gujaratની ૧૦ નદીઓ સૌથી પ્રદૂષિત! શુદ્ધિકરણ માટે થયેલો ખર્ચ પાણીમાં!
    • Rajkot માં પ્રદુષિત બની હવા. તાવ, ઉધરસ અને ખાંસીના દર્દીઓમાં વધારો થયો
    • ગાંધી-સરદારની ભૂમિના યુવાઓનું ભવિષ્ય ડ્રગ્સ અને અપરાધની દુનિયામાં ધકેલાઈ રહ્યું છે,Rahul Gandhi
    • એસ.ઓ.જી. એ જૂનાગઢ નજીકથી બે કિલોથી વધુ નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો પકડી પાડ્યો
    • Junagadh : મહિલાને સોશીયલ મીડીયામાં મોફ ફોટા વાયરલ કરવાની ધમકી આપી પૈસા કઢાવનાર આરોપી પકડી પાડ્યો
    • Amreli : ૧૪ વર્ષ પહેલાં ગુમ થયેલ એક મહિલા તથા બે બાળકીઓને શોધી કાઢતી અમરેલી LCB ટીમ
    • Jetpur: ઘરકંકાસથી તંગ આવી યુવકે ઝેરી દવા ગટગટાવી લીધી
    • Jetpur: ચામુંડાનગરમાં મહિલાઓ રણચંડી બની: સતત બીજા દિવસે ‘જનતા રેડ’ કરી દારૂના અડ્ડા પર હલ્લાબોલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, December 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot માં પ્રદુષિત બની હવા. તાવ, ઉધરસ અને ખાંસીના દર્દીઓમાં વધારો થયો
    રાજકોટ

    Rajkot માં પ્રદુષિત બની હવા. તાવ, ઉધરસ અને ખાંસીના દર્દીઓમાં વધારો થયો

    Vikram RavalBy Vikram RavalDecember 2, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot.તા.૨

    છેલ્લા કેટલાક સમયથી રાજકોટ શહેરમાં શરદી-ઉધરસ અને તાવના દર્દીઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. પ્રદુષણનું પ્રમાણ શહેરના અમુક વિસ્તારોમાં વધ્યું છે. જેને કારણે શરદી-ઉધરસનાં કેસોમાં વધારો થતો હોવાનું નિષ્ણાંતોનું કહેવું છે. જોકે શિયાળામાં સવારના સમયમાં પ્રદુષણનું પ્રમાણ વધુ હોવાનું સ્વાભાવિક છે. જેને લઈ વહેલી સવારે બહાર નીકળતા લોકોએ માસ્ક પહેરવું હિતાવહ હોવાનું મનપાનાં પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકીએ જણાવ્યું હતું. તેમજ લોકોએ ડરવાની નહીં પરંતુ સાવચેત રહેવાની જરૂર હોવાનું જણાવ્યું હતું.

    મનપાએ સાપ્તાહિક રોગચાળાનાં આંકડાઓ જાહેર કર્યા હતા. જેમાં શરદી-ઉધરસનાં ૧૩૧૪ કેસ અને તાવના ૮૬૫ કેસ નોંધાયા છે. આ સિવાય ઝાડા-ઉલટીનાં ૧૯૮ કમળાનાં ૨ અને ડેંગ્યુનાં ૩ સહિત વિવિધ રોગના મળી કુલ ૨,૩૮૨ કેસ નોંધાયા છે. આમ શરદી-ઉધરસ અને સામાન્ય તાવના દર્દીઓ વધ્યા હોવાનું સાપ્તાહિક રોગચાળાનાં આંકડાઓ દર્શાવે છે.

    શિયાળાની શરૂઆતથી એટલેકે છેલ્લા ત્રણેક સપ્તાહથી શિયાળાની શરૂઆતથી આ કેસો સતત વધી રહ્યા છે. અગાઉ ગત સપ્તાહે તાવના ૮૫૬ અને શરદી ઉધરસનાં ૧૦૪૮ કેસો હતા. એ પહેલાં ૧૦ નવેમ્બરે શરદી ઉધરસના ૮૦૭ અને સામાન્ય તાવના ૭૧૭ કેસો સામે આવ્યા હતા. આમ છેલ્લા ત્રણેક સપ્તાહમાં શરદી-ઉધરસનાં કેસો ડબલ જેટલા થયા છે. પ્રદુષણનો આંક વધે તેની સાથે શરદી-ઉધરસનાં કેસોમાં પણ વધારો થાય છે. જેને લઈને લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે.

    રાજકોટ મનપાનાં પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે શિયાળામાં પ્રદુષણનો આંકડો ઉપર જતો હોય છે. તેમાં પણ ખાસ કરી વહેલી સવારથી લઈને સૂર્યોદય સુધી પ્રમાણ વધારે રહે છે. જો કે હાલ કોર્પોરેશન ચોક, રામાપીર ચોકડી, જામટાવર ચોક, નાનામૌવા ચોક અને સોરઠીયા વાડી સર્કલ સહિત પાંચેક વિસ્તારોમાં આંકડો ૩૦૦ને પાર પહોંચ્યો છે. જે ખરેખર નોંધનીય બાબત છે. પરંતુ આ વિસ્તારોમાં ખૂબ ટ્રાફિક રહેતો હોવાને કારણે પ્રદુષણ વધ્યું છે. ત્યારે હવે ટ્રાફિકનું નિયંત્રણ કરવું ખૂબ જરૂરી બન્યું છે.તેમણે જણાવ્યું હતું કે, શિયાળામાં જ આપણે સામાન્ય રીતે તો જ પ્રદુષણ વધુ જોવા મળે છે. પરંતુ આખું વર્ષ આવી સ્થિતિ ન રહે તેના માટે વૃક્ષો વાવવા એ પણ એટલું જ જરૂરી છે. તેમજ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ લોકોએ શક્ય તેટલો વધારવો જોઈએ. પ્રદુષણને લઈ ખાસ નાના બાળકો અને વૃદ્ધોમાં વધુ અસર થાય છે. તો આવા લોકોએ વહેલી સવારે બહાર નીકળવાનું ટાળવું જોઈએ. ઉપરાંત બહાર જવુ પડે તો ખાસ માસ્ક પહેરવું જોઈએ. જેનાથી પ્રદુષિત હવાને કારણે થતા શરદી-ઉધરસ સહિતના રોગોથી બચી શકાય છે.

    મનપાનાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને આશા બહેનો દ્વારા ઘરે-ઘરે જઈને પોરાનાશક કામગીરી કરાય છે.. ઉપરાંત પાણીનું ક્લોરિન ટેસ્ટિંગ કરવાની એટલે કે રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટ કરવાની કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત મચ્છરની ઉત્પત્તિ બદલ બેદરકારી રાખનારાઓની સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. આવા ૨૦ આસમીઓને છેલ્લા અઠવાડિયામાં નોટિસ આપવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, મહાનગરપાલિકા દ્વારા રોગચાળા દ્વારા ઊભા થતા આરોગ્ય પડકારને પહોંચી વળવા ઘનિષ્ઠ પ્રયાસો શરૂ કરાયા છે. જેમાં તા. ૨૪ નવેમ્બરથી ૩૦ નવેમ્બર સુધી વાહક નિયંત્રણની કામગીરી હેઠળ ૫૬ મેલેરિયા ફિલ્ડવર્કર, ૪૧૫ અર્બન આશા અને ૧૧૫ વોલેન્ટીયર્સ દ્વારા ૧૬,૭૪૯ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. અને ૬૮૩ જેટલા ઘરમાં ફોગીંગ સહિત કામગીરી કરવામાં આવી છે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot ‘હું મજૂર છું એટલે મારી પુત્રીની ખાનગી સ્કૂલની ફી ભોગવી શકું તેમ નથી

    December 1, 2025
    રાજકોટ

    Rajkot: કોઠારીયા સોલવંટ ફાટક પાસે બસની ઠોકરે વૃદ્ધનું મોત

    November 29, 2025
    રાજકોટ

    Rajkot: પતિ સાથે ચાલતા કેસથી કંટાળી પરિણિતાનો આપઘાત

    November 29, 2025
    રાજકોટ

    Rajkot: રૂપિયા 68,000નો ચેક રિટર્ન કેસમાં મિત્રને એક વર્ષની સજા

    November 29, 2025
    રાજકોટ

    Rajkot: અંધ વૃદ્ધાશ્રમ પાસેથી ચોરાઉ એક્સેસ સાથે પિતા પુત્ર ઝડપાયા

    November 29, 2025
    રાજકોટ

    Rajkot: થોરાળામા બીમારીથી કંટાળીને પરણિતાનો આપઘાત

    November 29, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    સાબરમતી સહિત Gujaratની ૧૦ નદીઓ સૌથી પ્રદૂષિત! શુદ્ધિકરણ માટે થયેલો ખર્ચ પાણીમાં!

    December 2, 2025

    ગાંધી-સરદારની ભૂમિના યુવાઓનું ભવિષ્ય ડ્રગ્સ અને અપરાધની દુનિયામાં ધકેલાઈ રહ્યું છે,Rahul Gandhi

    December 2, 2025

    એસ.ઓ.જી. એ જૂનાગઢ નજીકથી બે કિલોથી વધુ નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો પકડી પાડ્યો

    December 2, 2025

    Junagadh : મહિલાને સોશીયલ મીડીયામાં મોફ ફોટા વાયરલ કરવાની ધમકી આપી પૈસા કઢાવનાર આરોપી પકડી પાડ્યો

    December 2, 2025

    Amreli : ૧૪ વર્ષ પહેલાં ગુમ થયેલ એક મહિલા તથા બે બાળકીઓને શોધી કાઢતી અમરેલી LCB ટીમ

    December 2, 2025

    Jetpur: ઘરકંકાસથી તંગ આવી યુવકે ઝેરી દવા ગટગટાવી લીધી

    December 2, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સાબરમતી સહિત Gujaratની ૧૦ નદીઓ સૌથી પ્રદૂષિત! શુદ્ધિકરણ માટે થયેલો ખર્ચ પાણીમાં!

    December 2, 2025

    ગાંધી-સરદારની ભૂમિના યુવાઓનું ભવિષ્ય ડ્રગ્સ અને અપરાધની દુનિયામાં ધકેલાઈ રહ્યું છે,Rahul Gandhi

    December 2, 2025

    એસ.ઓ.જી. એ જૂનાગઢ નજીકથી બે કિલોથી વધુ નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો પકડી પાડ્યો

    December 2, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.