- ભારતે અમેરિકાથી યુરોપમાં ઘુસણખોરો સામે યુદ્ધ જાહેર કર્યું
- Vinchiya નજીક છકડોની હડફેટે બાઈકચાલક યુવાનનું મોત
- Rajkot : જામનગરમાં વાહન ચોરીને અંજામ આપતી બેલડી ઝબ્બે : 10 બાઈક કબ્જે
- Rajkot : બિલ્ડર વિરેન સિંધવે રૂ. 2.50 કરોડની કરી ઠગાઈ
- Gondal: વિદેશી દારૂના બે દરોડા, ત્રણ ઝડપાયા
- Rajkot : ચેક રિટન કેસમાં સજાનો હુકમ યથાવત રાખતી સેશન્સ કોર્ટે
- Rajkot : હત્યાની કોશીષની કલમનો ઉમેરો કરવાની અરજી મંજુર
- Rajkot : આટકોટના વિરમગામે ઝેરી જનાવરે ડંખ મારતા મહિલાનું મોત
Author: Vikram Raval
અનંત અને રાધિકાના લગ્નમાં તેના લૂક માટે વાહવાહી મેળવ્યા બાદ આ લૂકથી ફૅન્સ નિરાશ થયા હતા Mumbai, તા.૧૭ જાન્હવી કપૂરની ડ્રેસિંગ સેન્સ સામાન્ય રીતે વખણાતી હોય છે. સોમવારે એક ઇવેન્ટમાં જાન્હવીની ડ્રેસિંગ સેન્સ જોઈ ઘણાં લોકોને અતરંગી કપડાં પહેરી ચર્ચામાં રહેતી ઉર્ફી જાવેદ યાદ આવી ગઈ હતી. જાન્હવી બ્લૅક એન્ડ વ્હઇટ કલરનો એક બાલમેઇન બ્લેઝર ડ્રેસ પહેરીને નીકળતાં સોશિયલ મીડિયા યુઝર્સને આશ્ચર્ય થયું હતું. જાન્હવીની આવનારી ફિલ્મ ‘ઉલઝ’ના ટ્રેઇલર પ્રિવ્યુની આ ઇવેન્ટ હતી. જેમાં ફિલ્મના ડિરેક્ટર સુધાંશુ સરીયા, તેમજ ફિલ્મના કલાકારો ગુલશન દેવૈયા અને રોશન મેથ્યુ પણ હાજર રહ્યા હતા. આ ઇવેન્ટ માટે જાન્હવીએ એક બ્લૅક એન્ડ વ્હાઇટ બ્લેઝર પેટર્ન…
Islamabad,તા.૧૬ પાડોશી દેશ પાકિસ્તાનની જનતા પર ફરી એકવાર મોંઘવારીનો ’પેટ્રોલ’ બોમ્બ ફૂટ્યો છે.પાકિસ્તાન સરકારે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આ વધારા સાથે પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલીવાર પેટ્રોલ અને ડીઝલની કિંમત ૩૦૦ રૂપિયા પ્રતિ લીટરની નજીક પહોંચી ગઈ છે.પાકિસ્તાનની રખેવાળ સરકારે પેટ્રોલના ભાવમાં ૯.૯૯ રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. આ પછી પેટ્રોલની કિંમત ૨૭૫.૬૦ રૂપિયા થઈ ગઈ છે. ડીઝલની કિંમતમાં ૬.૧૮ રૂપિયાનો વધારો થયો છે, જે પછી ડીઝલ ૨૮૩.૬૩ રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. આના માત્ર ૧૪ દિવસ પહેલા એટલે કે ૧ જુલાઈએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૭ અને ૯ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. એક્સપ્રેસ ટ્રિબ્યુને…
Mumbai,તા.૧૬ વિકી કૌશલ તેની આગામી ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. થોડા સમય પહેલા આ ફિલ્મનું ટ્રેલર રીલિઝ થયું હતું, જે ખૂબ જ મનોરંજક હતું. જે બાદ આ પિક્ચરના ત્રણ ગીતો પણ રિલીઝ થયા હતા. હવે આ ફિલ્મ ૧૯ જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. વિકી આ દિવસોમાં પોતાની ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે. હાલમાં જ તે પ્રમોશન માટે દિલ્હી પહોંચ્યો હતો, જ્યાં તેણે દિલ્હી મેટ્રોમાં સવારી કરી હતી. ‘બેડ ન્યૂઝ’માં વિકી કૌશલની સાથે તૃપ્તિ ડિમરી અને એમી વિર્ક પણ જોવા મળશે. આ બંને દિલ્હી મેટ્રોમાં વિકી સાથે પણ જોવા મળ્યા હતા. ત્રણેયનો એક વીડિયો સામે આવ્યો…
Palanpur,તા.૧૬ પાલનપુરમાં અપહ્યત બાળકની લાશ મળી આવી છે. ૧૧ વર્ષના બાળકની રીતસરની કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર પાલનપુરમાં ચકચાર મચી ગઈ છે. ટોકરિયામાં ૧૧ વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યા બાદ તેની હત્યા કરવામાં આવી હતી.રાત્રે ગામની સીમમાંથી તેમનો મૃતદેહ મળ્યો હતો. આ બનાવના પગલે એસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. સમગ્ર ગામમાં તેના લીધે ભારેલો અગ્નિ છે અને તેથી પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત કર્યો છે. પોલીસની વધુ એક ગુમક ત્યાં ગોઠવી દેવામાં આવી છે. બાળકની હત્યાના લીધે ગામમાં જબરદસ્ત આક્રોશ છે. મોહમ્મદ શેરશિયા નામના ૧૧ વર્ષના માસૂમ બાળકની હત્યા કરવામાં આવી છે. ગળાના ભાગે તીક્ષ્ણ હત્યારના ઘા ઝીંકી તેની…
Rajkot,તા.૧૬ રાજકોટ પડઘરીમાં લાશ મળવાનો મામલો ઉકેલાઈ ગયો છે. વેજાગામના જયદીપ મેરિયાની લાશ ઢોકળીયામાં મળી આવી હતી. મામાની પુત્રીને તે પ્રેમ કરતો હોવાથી હત્યા કરવામાં આવી છે. તેની ધોકા-પાઇપના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. યુવક મામાની પુત્રીને પ્રેમ કરતો હતો. પોલીસે ચાર સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. પડઘરી ખાતે યુવકની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં મામા ગોવિંદ મૂછડિયા, મામી કંચનબેન, મામાનો પુત્ર પ્રવીણ અને રસિકભાઈ સામે હત્યાની ફરિયાદ દાખલ થઈ છે.દસ દિવસ પહેલાં જ જયદીપ અને તેના મામા ગોવિંદભાઈ વચ્ચે માથાકૂટ થઈ હતી. મૃતક જયદીપ ડ્રાઇવિંગનું કામ કરતો હતો. અગાઉ પણ મામા અને જયદીપ વચ્ચે માથાકૂટ…
Bharuch,તા.૧૬ ક્રાઇમ બ્રાન્ચે હિસ્ટ્રીશીટરને રૂપિયા ૫૦૦ જેવી દેખાતી ૫૦૦૦ નકલી નોટ સાથે ઝડપી પાડ્યા છે. ઝડપાયેલ આરોપીની પોલીસે પૂછપરછ શરૂ કરી ક્યાં કાવતરાના ભાગરૂપે આ નકલી પૈસાના બંડલ રાખવામાં આવ્યા હતા તે અંગે પૂછપરછ શરૂ કરી છે. બનાવ સંદર્ભે અંક્લેશ્વર શહેર “બી” ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવેલા આ બે શખ્શોએ પોલીસને મૂંઝવણમાં મૂકી છે. ૬૫ વર્ષીય નઝીરભાઇ હુસેનભાઇ મલેક અને ૬૧ વર્ષીય ધનસુખભાઇ ચીમનલાલ વૈધ અંકલેશ્વર નજીકથી કારમાં પસાર થતા શંકાસ્પદ હાલતમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેકટર એમ એમ રાઠોડની ટીમને મળી આવ્યા હતા. બંને જે કારમાં જતા હતા તે…
Chandigarh,તા.૧૬ ૧૦ જુલાઈના રોજ ત્રણ લોકોએ રવિન્દ્ર સૈનીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. જનનાયક જનતા પાર્ટી નેતા રવિન્દ્ર સૈનીની હત્યા કેસમાં પોલીસે ચાર મુખ્ય કાવતરાખોરોની ધરપકડ કરી છે. હાંસી પોલીસ અને એસટીએફની સંયુક્ત ટીમે ગુજરાતમાંથી આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે, આરોપી શૂટર નથી. તેઓ માત્ર સૈનીની હત્યાના પ્લાનિંગમાં સામેલ હતા. પોલીસ આ આરોપીઓના રિમાન્ડ લેશે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ પોલીસે હત્યાકાંડને અંજામ આપનારા શૂટરોને શોધી કાઢ્યા છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવી શકે છે. હવે સૈની હત્યા કેસનું પ્લાનિંગ કરનાર પાંચ આરોપીઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. જેમાં પોલીસે મુખ્ય સૂત્રધાર વિકાસ ઉર્ફે વિકીને પ્રોડક્શન વોરંટ…
New Delhi,તા.૧૬ નાગાલેન્ડ સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં એક રિટ અરજી દાખલ કરવામાં આવી છે. જે અનુસાર, રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના નિર્ણયને પડકાર્યો હતો, જેમાં સેનાના ૩૦ જવાનો સામે કાર્યવાહી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. નાગાલેન્ડ પોલીસે આ સૈનિકો વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓને રોકવાના ઓપરેશન દરમિયાન ૧૩ નાગરિકોની હત્યા કરવા બદલ એફઆઇઆર નોંધી છે. અરજી દાખલ કરતી વખતે રાજ્યના એડવોકેટ જનરલ જે.બી.પારડીવાલાએ કહ્યું હતું કે પોલીસ પાસે મહત્વના પુરાવા છે, જે આ સૈનિકો સામેના આરોપોને સાબિત કરી શકે છે. કેન્દ્ર સરકાર, મનસ્વી રીતે કામ કરીને, તેમની સામે કાર્યવાહી કરવામાં અને મૃતકોને ન્યાય મેળવવામાં રોકી રહી છે. નાગાલેન્ડ સરકારે કહ્યું કે કેન્દ્ર સરકાર…
Patna,તા.૧૬ બિહારમાં, જ્યારે લાલુ પ્રસાદ યાદવ અને તેમના પછી રાબડી દેવી મુખ્યમંત્રી હતા, ત્યારે વિપક્ષી પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ ગુનાહિત ઘટનાઓને ટાંકીને અહીં ’જંગલ રાજ’નો વિચાર જાહેર કર્યો હતો. હવે લાલુ-રાબડીનો પુત્ર તેજસ્વી યાદવ વિપક્ષમાં છે અને તેણે કહ્યું છે કે પૂર્વ મંત્રી અને વિકાસશીલ ઇન્સાન પાર્ટીના વડા મુકેશ સાહનીના પિતાની હત્યા બાદ બિહારમાં હવે વાસ્તવિક જંગલરાજ છે. મોટી વાત એ છે કે તેજસ્વી યાદવના આ નિવેદન બાદ ભાજપે ગુનેગારોની વહેલી ધરપકડની વાત કરી હતી, પરંતુ જેડીયુએ પણ તેજસ્વી યાદવને પૂછ્યું હતું કે જો તે ગુનેગાર વિશે જાણશે તો પોલીસ અને સરકારની મદદ માટે આગળ આવો તેજસ્વી યાદવ છેલ્લા બે…
New Delhi,તા.૧૬ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં ન્યૂયોર્કમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધિત કરી શકે છે. જનરલ એસેમ્બલીના પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસના કાયર્લિય દ્વારા જારી કરાયેલા પ્રારંભિક કાર્યક્રમમાં આ માહિતી આપવામાં આવી છે. સોમવારે જારી કરાયેલા શેડ્યૂલ મુજબ પીએમ મોદીનું ભાષણ ૨૬ સપ્ટેમ્બરે બપોરના સત્રમાં યોજાશે. બાદમાં એ જ સત્રમાં, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને નેપાળના વડા પ્રધાનના સંબોધન પણ નિર્ધિરિત કરવામાં આવ્યા છે. આ વાર્ષિક બેઠક માટે વિવિધ દેશોના રાષ્ટ્રના વડાઓ અને અન્ય વરિષ્ઠ નેતાઓ સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે ભેગા થાય છે. પીએમ મોદી પાંચમી વખત ત્યાં હાજર રહીને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે. આ ઉપરાંત, ૨૦૨૦…