Morbi,તા.30
૧૩ વ્યાજખોર ઈસમો વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ
મોરબીમાં વ્યાજખોરો બેલગામ બની ગયા છે પોલીસના લોક દરબાર કે અન્ય કામગીરી છતાં વ્યાજખોરોના ત્રાસમાંથી નાગરિકો મુક્ત થયા નથી જેનો વધુ એક તાજો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે નાની વાવડી ગામે રહેતો વેપારી યુવાન વ્યાજના વિષચક્રમાં ફસાયો છે જેને ૧૩ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબીના નાની વાવડી ગામે રહેતા જયેશ કરશન રાજપરા (ઉ.વ.૩૩) નામના વેપારી યુવાન ટાઈલ્સ ટ્રેડીંગનો વેપાર કરે છે જેને આરોપીઓ રાજુભાઈ આહીર, ભગીરથભાઈ હુંબલ, સુમનભાઈ રાઠોડ, અરવિંદસિંહ ઝાલા, જયદીપભાઈ પાટલે, ધારાભાઇ રબારી, રણજીતભાઈ આહીર, સંજયભાઈ આહીર, ગોપાલભાઈ રાઠોડ, સતીષભાઈ ભોરણીયા, રાજુભાઈ ઘાંચી, અકીબભાઈ મીર અને જયદીપ સવાભાઇ ડાંગર એમ ૧૩ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી જયેશભાઈને ધંધા માટે રૂપિયાની જરૂરત પડતા વર્ષ ૨૦૨૨ થી આજદિન સુધીમાં આરોપીઓ પાસેથી રૂપિયા વ્યાજે લીધા હતા અને આરોપી રાજુભાઈ આહીર રહે કુંતાસી તા. મોરબી વાળાએ ફરિયાદીની સ્વીફ્ટ ડીઝાઈર કાર બળજબરીપૂર્વક પડાવી લઈને તમામ આરોપીઓએ કુલ રૂ ૨૫,૩૦,૦૦૦ ઊંચા વ્યાજે આપી બળજબરીપૂર્વક કુલ કોરા ચેક ૩૬ લખાવી લીધા હતા તેમજ ફરિયાદીએ મૂડી તેમજ વ્યાજના રૂપિયા આપી દીધા છતાં મૂડી અને વ્યાજની ઉઘરાણી કરી યુવાનને ધમકી આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે