અફલા એકાદશીના અધિષ્ઠાતા દેવ શ્રી નારાયણ છે. આ એકાદશી પણ ઉત્તમ એકાદશીઓમાં એક છે. આ દિવસે ભગવાન શ્રી નારાયણનું વિષ્ણુ ભગવાનનું અર્ચન-પૂજન કરવું જોઈએ. સવારના વહેલા ઉઠી સ્નાન કરવાની ડોલમાં ગંગાજળ નાખી સ્નાન કરવું, એનું વ્રત શ્રેષ્ઠ ગણાય છે.
ત્યારબાદ વિષ્ણુ ભગવાનનું અથવા તો શ્રી કૃષ્ણ ભગવાનનું વિધિવત પૂજન કરવું, પૂજનમાં પંચામૃતથી સ્નાન કરાવવું, ચંદનના ચાંદલા ચોખા કરી વસ્ત્ર, જનોઈ, ફુલ, અબીલ, ગુલાલ, કંકુ, અર્પણ કરવા, ધૂપ-દીપ અર્પણ કરવા, નિવેદ્યમાં દાડમ, સોપારી અર્પણ કરવા, વિષ્ણુ સહસ્ત્રના નામ પણ બોલી શકાય. આ માસમાં ઉપલબ્ધ ફળફળાદિ વડે એકાદશીનું જે પૂજન કરે છે તે શ્રી પુરૂષોતમ નારાયણને વધુ પ્રિય છે.
આ એકાદશીના રોજ દીપદાનનો વિશેષ મહિમા છે. સાંજના સમયે એકાદશીની વ્રત કથા સાંભળવી અથવા તો વાંચવી ધર્મરાજ યુધિષ્ઠિરે પણ આ વ્રત કથા કરી હતી અને આ એકાદશીના દિવસે બપોરના સુવું નહીં તથા રાત્રિના 12 વાગ્યા સુધીનું જાગરણ જરૂર કરવું.
* શાસ્ત્રી રાજદીપ જોષી-રાજકોટ