Author: Shri Nutan Saurashtra

મેં જ સૃષ્ટિના આદિમાં સૂર્યને ઉપદેશ દીધો હતો અને તે જ ઉપદેશ હું તને આજે દઇ રહ્યો છું-આ સાંભળી અર્જુનમાં સ્વાભાવિક એવી જીજ્ઞાસા જાગ્રત થાય છે કે જે અત્યારે મારી સામે બેઠા છે એ ભગવાન શ્રીકૃષ્ણે સૃષ્ટિના આરંભમાં સૂર્યનો ઉપદેશ કેવી રીતે દીધો હતો? આથી એને સારી રીતે સમજવા માટે અર્જુન આગળના શ્ર્લોક(૪/૪)માં ભગવાનને પ્રશ્ન કરે છે કે..  અર્જુન ઉવાચ અપરં ભવતો જન્મ પરં જન્મ વિવસ્વતઃ        કથમેતદ્વિજાનીયાં ત્વમાદૌ પ્રોક્તવાનિતિ  (ભવતઃ-આપનો, જન્મ-જન્મ તો, અપરમ્-અર્વાચીન-હાલનો છે જ્યારે, વિવસ્વતઃ-સૂર્યનો, જન્મ-જન્મ તો, પરમ્-ઘણો પહેલાંનો છે તેથી, ત્વમ્-તમે જ, આદૌ-કલ્પના આરંભે સૂર્યને, એતત્-આ યોગ, પ્રોક્તવાન્-કહ્યો હતો, ઇતિ-એ વાત હું, કથમ્-કેમ, વિજાનીયાંમ્-સમજું?)  આપનો જન્મ તો અર્વાચીન-હાલનો છે જ્યારે સૂર્યનો જન્મ તો ઘણો પહેલાંનો છે તેથી તમે જ કલ્પના આરંભે…

Read More

ભારતીય સમાજમાં લગ્ન વિચ્છેદ નાં દાખલાઓ હવે વધી ગયાં છે! ભલે પુરુષ પ્રધાનતાનું પ્રમાણ ઘણું નરમ થયું છે, અને સ્ત્રીઓની બાબતમાં સમાજ એ ઘણી પરંપરા કે રુઢિ તોડી છે! આપણે ગયાં વખતે જોયું કે આંતર પ્રાંતિય અને આંતર રાષ્ટ્રીય લગ્નો પણ હવે સહજતાથી સ્વીકારાય છે! પણ ક્યાંક “મેન ઈગો” અને ક્યાંક સ્વતંત્રતાને નામે સ્વચ્છંદ થતો “વુમન ઈગો” વધુ છૂટ મળતાં યુવક યુવતીનો જીવન જીવવાનો એજન્ડા જ બદલાઈ ગયો છે! બીજાનું જે થવાનું હોય તે થાય, આપણે ફૂલ મોજ! આ માનસિકતા એને સમાજથી દૂર લઈ જાય છે. પહેલાં ઉંમર થતાં માતાપિતા દીકરીનાં હાથ પીળા કરવામાં માનતાં! અને સારું સંસ્કારી ખાનદાન જોવામાં…

Read More

– વૈશ્વિક સ્તરે, 15 એપ્રિલ, 2026 ના રોજ પશ્ચિમ એશિયામાં બનેલી ઘટનાઓએ ફરી એકવાર વૈશ્વિક રાજકારણને અસ્થિરતાના વળાંક પર લાવી દીધું છે. યુએસ દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ પર નાકાબંધી, ચીની ટેન્કરોની પ્રવૃત્તિ, ઈરાન અને યુએસ વચ્ચે તણાવ અને ઇસ્લામાબાદમાં નિષ્ફળ રાજદ્વારી વાટાઘાટોએ સંયુક્ત રીતે માત્ર પ્રાદેશિક જ નહીં પરંતુ વૈશ્વિક અસરો સાથે કટોકટી ઊભી કરી છે. આ પરિસ્થિતિ ફક્ત લશ્કરી શક્તિના પ્રદર્શનનું જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય કાયદા, ઉર્જા સુરક્ષા અને મહાસત્તાઓ વચ્ચે સર્વોપરિતા માટેના સંઘર્ષનું પ્રતીક બની ગઈ છે. આ સમગ્ર વિકાસથી સ્પષ્ટ થયું છે કે 21મી સદીનું રાજકારણ હવે ફક્ત સંવાદથી નહીં, પરંતુ શક્તિ સંતુલન અને વ્યૂહાત્મક દબાણથી ચાલે છે.…

Read More

તા.17-04-2026 શુક્રવાર તિથિ અમાવાસ્યા (અમાસ) – ૧૭ઃ૨૪ઃ૦૨ સુધી નક્ષત્ર રેવતી – ૧૨ઃ૦૩ઃ૦૩ સુધી કરણ ચતુષ્પદા – ૦૬ઃ૫૨ઃ૧૭ સુધી, નાગવ – ૧૭ઃ૨૪ઃ૦૨ સુધી પક્ષ કૃષ્ણ યોગ વૈધૃતિ – ૦૭ઃ૨૧ઃ૦૬ સુધી, વિશ્કુમ્ભ – ૨૭ઃ૪૪ઃ૪૪ સુધી વાર શુક્રવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૬ઃ૧૮ઃ૦૦ સૂર્યાસ્ત ૧૯ઃ૦૧ઃ૦૩ ચંદ્ર રાશિ મીન – ૧૨ઃ૦૩ઃ૦૩ સુધી ચંદ્રોદય ચંદ્રોદય નહીં ચંદ્રાસ્ત ૧૯ઃ૦૨ઃ૦૦ ઋતુ વસંત હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૮   પરાભવ વિક્રમ સંવત ૨૦૮૩ કાળી સંવત ૫૧૨૭ પ્રવિષ્ટા / ગત્તે ૪ મહિનો પૂર્ણિમાંત વૈશાખ મહિનો અમાંત ચૈત્ર દિન કાળ ૧૨ઃ૪૩ઃ૦૨ અશુભ સમય દુર મુહુર્ત ૦૮ઃ૫૦ઃ૩૭ થી ૦૯ઃ૪૧ઃ૨૯ ના, ૧૩ઃ૦૪ઃ૫૮ થી ૧૩ઃ૫૫ઃ૫૦ ના કુલિક ૦૮ઃ૫૦ઃ૩૭ થી ૦૯ઃ૪૧ઃ૨૯ ના દુરી…

Read More

તા.17-04-2026 શુક્રવાર મેષ આજે તમે નિરાંત અનુભવશો તથા મોજ-મજા માટે યોગ્ય મૂડમાં હશો. તમારા મૂડીરોકાણ તથા ભાવિ ધ્યેયો વિશે ગુપ્તતા જાળવો. તમારી સાંજને ઝમકદાર બનાવવા માટે દિવસના ઉત્તરાધર્ધમાં કોઈ જૂના મિત્રની મુલાકાત લો. તમે તમારા બાળપણના સોનેરી સંસ્મરણો યાદ કરીને તેને ફરીથી જીવશો. કામનું દબા તમારા મગજને ઘેરી વળશે છતાં તમારૂં પ્રિયપાત્ર તમને અમર્યાદ રૉમેન્ટિક આનંદ આપશે. નોકરો,સહકર્મચારીઓ તથા સાથીઓ સાથે સમસ્યાઓ નકારી શકાય નહીં. આજે તમારો કોઈ સબંધી કોઈ પૂર્વ સૂચના વિના તમારા ઘરે આવી શકે છે, જેના કારણે તમારો કિંમતી સમય તેમની આવભગત માં વેડફાઈ શકે છે. આજે તમારા જીવનસાથી તેની અદભુત બાજુ દેખાડે એવી શક્યતા છે. વૃષભ…

Read More

ઈરાનના નાયબ વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરનું તેહરાનમાં સ્વાગત કર્યું Tehran, તા.૧૬ તેહરાનમાં ઈરાન અને પાકિસ્તાન વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે, જેમાં અમેરિકા સાથે તાજેતરના મેસેજની આપ-લે તેમજ અટકેલી વાટાઘાટો પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠક એવા સમયે થઈ રહી છે, જ્યારે ૧૨ એપ્રિલે ઇસ્લામાબાદમાં થયેલી વાટાઘાટો કોઈ નક્કર પરિણામ આપી શકી નથી. આ કૂટનીતિક ગતિરોધ તોડવા માટે હવે નવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ઈરાનના નાયબ વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરનું તેહરાનમાં સ્વાગત કર્યું. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાને વાતચીત માટે પ્લેટફોર્મ પૂરું પાડીને મુખ્ય ભૂમિકા ભજવી છે અને…

Read More

આ દુર્ઘટનામાં અન્ય ૧૦ થી ૧૨ લોકો ઘાયલ થયા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહાયની જાહેરાત કરી Amravati, તા.૧૬ દક્ષિણ ભારતના રાજ્ય આંધ્ર પ્રદેશમાં ગુરુવારે વહેલી સવારે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. કુર્નૂલ જિલ્લાના ચિલકલાડોના પાસે એક બોલેરો ગાડી અને ટ્રક (લોરી) વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં ૮ લોકોના મોત થયા છે. મૃતકોમાં કર્ણાટકના ચિક્કામગલુરુ વિસ્તારના શ્રદ્ધાળુઓ હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ, આ શ્રદ્ધાળુઓ તીર્થયાત્રા માટે નીકળ્યા હતા. અકસ્માત એટલો ભીષણ હતો કે ૫ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ૩ લોકોએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. આ દુર્ઘટનામાં અન્ય ૧૦ થી ૧૨ લોકો ઘાયલ થયા…

Read More

આ માટે સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ ૧૪૨ હેઠળ પોતાની વિશેષ સત્તાઓનો ઉપયોગ કર્યો છે New Delhiતા.૧૬ પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. એવામાં જીૈંઇની પ્રક્રિયામાં જે મતદારોના નામ કપાઈ ગયા છે તે અંગે સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ટ્રિબ્યુનલ મતદાનના માત્ર બે દિવસ પહેલાં પણ મતદારનું નામ યાદીમાં જોડવાનો આદેશ આપે, તો તે વ્યક્તિને વોટ આપવાનો અધિકાર મળશે. આ માટે સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ ૧૪૨ હેઠળ પોતાની વિશેષ સત્તાઓનો ઉપયોગ કર્યો છે. નોંધનીય છે કે બંગાળમાં જીૈંઇમાં લાખો મતદારોના નામ કપાઈ ગયા છે, જે બાદ તે લોકોએ મતદાન…

Read More

નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, આપણે ઇતિહાસ રચવા જઈ રહ્યા છીએ, દેશને એક નવી દિશા મળશે : દેશની અડધી વસ્તી રાષ્ટ્ર નિર્માણમાં ફાળો આપશે New Delhi, તા.૧૬ સંસદનું ત્રણ દિવસીય વિશેષ સત્ર આજે ગુરુવારથી શરૂ થયું છે. જેમાં આજે પહેલા દિવસે ત્રણ બિલ રજૂ પેશ થતાં જ ભારે હોબાળો મચી ગયો હતો. કોંગ્રેસે બિલ રજૂ થતાં જ કહ્યું હતું કે, સરકાર સંવિધાનને હાઇજેક કરવા માંગે છે. જ્યારે સમાજવાદી પાર્ટીના સાંસદ ધર્મેન્દ્ર યાદવે કહ્યું હતું કે, જ્યાં સુધી મુસ્લિમ મહિલાઓને આરક્ષણ નહીં આપવામાં આવે, ત્યાં સુધી આનો કોઈ અર્થ નથી. આના પર અમિત શાહે કહ્યું હતું કે, મુસ્લિમોને ધર્મના આધારે આરક્ષણ અસંવૈધાનિક…

Read More

Tehran,તા.૧૬ ઇરાન અને અમેરિકા વચ્ચે શાંતિ વાટાઘાટોના બીજા રાઉન્ડના પ્રયાસો વચ્ચે, ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ એક સનસનાટીભર્યું નિવેદન આપ્યું છે. નેતન્યાહૂએ બુધવારે કહ્યું હતું કે ઇરાન સાથે ચાલી રહેલા સંઘર્ષમાં ઇઝરાયલ અને અમેરિકા “સંપૂર્ણપણે સમાન ધ્યેયો” ધરાવે છે. ઇઝરાયલી વડા પ્રધાને કહ્યું કે યુનાઇટેડ સ્ટેટ્‌સ ઇઝરાયલને ઇરાન સાથેના તેના સંપર્કો વિશે સતત જાણ કરી રહ્યું છે. નેતન્યાહુએ જણાવ્યું હતું કે ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્‌સ બંનેનું લક્ષ્ય ઇરાનને પરમાણુ શસ્ત્રોથી મુક્ત કરવાનું છે. નેતન્યાહુએ એમ પણ કહ્યું હતું કે જો જરૂર પડે તો ઇઝરાયલ ફરીથી ઇરાન પર હુમલો કરી શકે છે. ઈઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્‌સે પુનરોચ્ચાર કર્યો કે બંને દેશો…

Read More