Author: Vikram Raval

તા.20-04-2025 રવિવાર મેષ આજે તમે તમારા હકારાત્મક અભિગમ તથા આત્મવિશ્વાસ દ્વારા તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરો એવી શક્યતા છે. આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે. તમે જેની સાથે રહો છો એમાથી કોઈ તમારાથી નારાજ છે કેમ કે તમે તમારી ઘરને લગતી ફરજોને નજરઅંદાજ કરી રહયા છો. આશ્ચર્ય પમાડનારો સંદેશ તમને સારાં સપનાં આપશે. સંવાદ સાધવાની તમારી કળા પ્રભાવિત કરનારી રહેશે. તમારા જીવનસાથી આજે અનાયાસે જ કશુંક અદભુત કરશે, જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહેશે. જીવન માં સરળતા ત્યારે જ હોય ​​છે જ્યારે તમારું વર્તન સરળ હોય. તમારે તમારી વર્તણૂક ને સરળ બનાવવા ની પણ જરૂર છે. વૃષભ આજના દિવસે તમારા…

Read More

તા.20-04-2025 રવિવાર તિથિ સપ્તમી (સાતમ) – 19:03:51 સુધી નક્ષત્ર પૂર્વાષાઢા – 11:48:59 સુધી કરણ વિષ્ટિ ભદ્ર – 06:49:12 સુધી, ભાવ – 19:03:51 સુધી પક્ષ કૃષ્ણ યોગ સિદ્ધ – 24:11:26 સુધી વાર રવિવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 06:15:21 સૂર્યાસ્ત 19:02:07 ચંદ્ર રાશિ ધનુ – 18:05:04 સુધી ચંદ્રોદય 25:33:00 ચંદ્રાસ્ત 11:26:59 ઋતુ ગ્રીષ્મ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1947   વિશ્વાવસુ વિક્રમ સંવત 2082 કાળી સંવત 5126 પ્રવિષ્ટા / ગત્તે 7 મહિનો પૂર્ણિમાંત વૈશાખ મહિનો અમાંત ચૈત્ર દિન કાળ 12:46:46 અશુભ સમય દુર મુહુર્ત 17:19:53 થી 18:11:00 ના કુલિક 17:19:53 થી 18:11:00 ના દુરી / મરણ 10:30:56 થી 11:22:03 ના રાહુ કાળ 17:26:17 થી 19:02:07 ના કાલવેલા/અર્ધ્યામ 12:13:10 થી 13:04:18 ના યમ ઘંટા 13:55:25 થી 14:46:32 ના યમગંડ 12:38:44 થી 14:14:35 ના ગુલિક કાલ 15:50:26…

Read More

Rajkot તા.૧૯ રાજકોટના સરધાર ભાડલા રોડ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત બાદ આગ ફાટી નીકળવાની ઘટના બની છે. આ ગોઝારા અકસ્માતમાં ૪ લોકોના કરૂણ મોત નિપજ્યા છે. જ્યારે ૩ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, રાજકોટ જિલ્લાના સરધાર ભાડલા રોડ પર એક ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં બે કાર ધડાકાભેર અથડાયા બાદ આગ ફાટી નીકળી છે. જેમાં ૪ લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. જે બે કાર વચ્ચે અકસ્માત થયો તે અલ્ટો કાર અને હોન્ડા સિટી કાર…

Read More

પોલીસના વાહન ચેકિંગ દરમિયાન નકલી આઈકાર્ડ ચેક કરતાં સમગ્ર મામલે ભાંડો ફૂટ્યો હતો Jam Khambhaliya , તા.૧૯ ગુજરાતમાં નકલી કોર્ટ, જજ, પોલીસ, ડૉક્ટર સહિત નકલીની ભરમાર યથાવત છે, ત્યારે દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળીયામાંથી નકલી CID અધિકારી ઝડપાયો છે. નકલી  CID અધિકારી કાર પર લાલ લાઈટ-સાઈરન લગાવી રોફ જમાવતો હતો. પોલીસના વાહન ચેકિંગ દરમિયાન નકલી આઈકાર્ડ ચેક કરતાં સમગ્ર મામલે ભાંડો ફૂટ્યો હતો. આ મામલે પોલીસે નકલી ઝ્રૈંડ્ઢ અધિકારીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળીયામાં પોલીસના નાઈટ કોમ્બિંગ દરમિયાન ટોલનાકા પાસે વાહન ચેકિંગ કરતી વખતે દિગ્વિજયસિંહ પરમાર નામનો નકલી CIDઅધિકારી ઝડપાયો હતો. કાર પર લાલ લાઈટ-સાઈરન…

Read More

આજે પોરબંદર માર્કેટ યાર્ડમાં કેસર કેરીનો ૨૦ કિલોનો ઉંચો ભાવ ૨૪૦૦ રૂપિયા સુધી બોલાયો હતો Porbandar તા.૧૯ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં કેરીની આવક જોવા મળી રહી છે ત્યારે પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે પણ હાલમાં ૧૨૦૦ જેટલા કેસર કેરીના બોક્સની આવક જોવા મળી રહી છે. પોરબંદરમાં આ વર્ષે પણ શરુઆતથી જ ગીરની કેસર કેરીને જગ્યા પોરબંદર જિલ્લાની સ્થાનિક બરડા પંથકની કેસર કેરીની બોલબાલા જોવા મળી રહી છે. નાના મોટા સૌ કોઈ ઉનાળામાં સૌથી વધુ જે ફળ આરોગવાની રાહ જોઈને બેઠા હોય છે તે ફળ એટલે ફળોના રાજા એવી કેસર કેરીનું આગમન થઈ ચુક્યુ છે. પોરબંદર માર્કેટ યાર્ડ…

Read More

Mumbai,તા.૧૯ ફિલ્મ અભિનેત્રી ઉર્વશી રૌતેલા ઘણીવાર પોતાના નિવેદનોને કારણે સમાચારમાં રહે છે. ઘણી વખત તેમને તેમના નિવેદનોને કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલનો સામનો કરવો પડ્યો છે. ફરી એકવાર, તે વિવાદોમાં ફસાઈ ગઈ છે. તાજેતરમાં જ તેમણે આવું નિવેદન આપ્યું હતું, જેના કારણે હવે તેમની સામે કાર્યવાહીની માંગ થઈ રહી છે. તે કહે છે કે ઉત્તરાખંડના બદ્રીનાથમાં તેનું એક મંદિર છે. તેમના આ નિવેદનથી એક નવો વિવાદ ઉભો થયો છે. સંતો અને ઋષિઓ તેમજ લોકોમાં તેમના પ્રત્યે રોષ છે. બદ્રીનાથ મંદિરના ભૂતપૂર્વ ધાર્મિક અધિકારી ભુવન ઉનિયાલે કહ્યું, “અમે આનો સખત વિરોધ કરીએ છીએ. આ ખોટું છે. તેનાથી સમાજમાં ખોટો સંદેશ જશે.…

Read More

Bengaluru,તા.૧૯ વરસાદથી પ્રભાવિત મેચમાં આરસીબી ટીમને પંજાબ કિંગ્સ સામે ૫ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. આ મેચમાં આરસીબીના બોલરો અને બેટ્‌સમેન સારું પ્રદર્શન કરી શક્યા નહીં. આ કારણે ટીમને ઘરઆંગણે કારમી હારનો સામનો કરવો પડ્યો. આ મેચમાં આરસીબીના કેપ્ટન રજત પાટીદારે ૧૮ બોલમાં ૨૩ રન બનાવ્યા, જેમાં એક ફોર અને એક સિક્સરનો સમાવેશ થાય છે. આ સાથે તેણે આઇપીએલમાં પોતાના ૧૦૦૦ રન પૂરા કર્યા. રજત પાટીદાર આઇપીએલમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં ૧૦૦૦ રન પૂરા કરનાર બીજો ભારતીય બેટ્‌સમેન બન્યો છે. તેણે ફક્ત ૩૦ આઈપીએલ ઇનિંગ્સમાં આ કરી બતાવ્યું છે. જ્યારે મહાન સચિન તેંડુલકરે ૩૧ ઇનિંગ્સમાં ૧૦૦૦  આઇપીએલ રન પૂરા કર્યા હતા.…

Read More

Mumbai,તા.૧૯ અમીષા પટેલ ૪૯ વર્ષની થઈ ગઈ છે. આ ઉંમરે પણ તે એકદમ હોટ અને ગ્લેમરસ લાગે છે. તેણે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર ગ્રીન મોનોકિની પહેરેલી તસવીરો શેર કરી છે. આ તસવીરોએ અમીષાની ગર્ભાવસ્થાની અફવા ફેલાવી. ઘણા યુઝર્સે તે પ્રેગ્નેન્ટ હોવાના ક્યાસ લગાવ્યા છે. અમીષા હજુ પણ સિંગલ છે. આમ છતાં ફેન્સે તેના ફેશનની પ્રશંસા કરી. તેને દુબઈમાં એક બર્થડે પાર્ટીમાં જોવામાં આવી. અમીષા પટેલના લેટેસ્ટ ફોટોઝે નેટીઝન્સને મૂંઝવણમાં મૂકી દીધા છે કે શું તે ખરેખર પ્રેગ્નેન્ટ છે. હાલમાં ગદર ફેમ એક્ટ્રેસે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ગ્રીન મોનોકિનીમાં પોઝ આપતી જોવા મળી રહી છે.…

Read More

Kochiતા.૧૯ મલયાલમ અભિનેતા શાઇન ટોમ ચાકોની કેરળ પોલીસે ડ્રગ્સ લેવાના આરોપમાં ધરપકડ કરી હતી. એર્નાકુલમ ટાઉન નોર્થ પોલીસ સ્ટેશનમાં ચાર કલાકથી વધુ પૂછપરછ બાદ અભિનેતા શાઇન ટોમ ચાકોની ધરપકડ કરવામાં આવી હતી. શાઇન ટોમ ચાકો એક જાણીતા મલયાલમ અભિનેતા છે. તેમણે વિજય, નાની, પૃથ્વીરાજ સુકુમારન જેવા દિગ્ગજ કલાકારો સાથે સ્ક્રીન શેર કરી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી, તે ૨૦૧૫ ના ડ્રગ કેસમાં તપાસ અને કાર્યવાહીને કારણે હેડલાઇન્સમાં છે.  તાજેતરમાં, અભિનેત્રી વિન્સી એલોસિયસે પણ તેમના પર ડ્રગ્સના પ્રભાવ હેઠળ અભિનેત્રી સાથે ગેરવર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. આ વર્ષની શરૂઆતમાં ૨૦૧૫ના ડ્રગ કેસમાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા બાદ આ ધરપકડ કરવામાં આવી…

Read More

Girsomnath,તા.૧૯ શિક્ષણ મંત્રી  ઋષિકેશ પટેલે આજે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે આવેલ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે નવનિર્મિત થનાર સોમેશ્વર કુમાર છાત્રાવાસ (બોય્ઝ હોસ્ટેલ) તથા નટેશ્વર રંગમંચનો શિલાન્યાસ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે કર્યો હતો.શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે આ અવસરે જણાવ્યું હતું કે, આપણાં વેદ, પુરાણ ઉપનિષદોમાં સમાજ જીવનને દર્શિત કરતા જ્ઞાનનો ભંડાર ભરેલો છે. આ ગ્રંથો સંસ્કૃતમાં લખાયેલા છે ત્યારે તેને તેમાંથી બહાર લાવી લોકભોગ્ય બનાવવાની જરૂરિયાત છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે, એક સમયે ઇઝરાયેલની હિબ્રુભાષા વિલુપ્તપ્રાય હતી, પરંતુ તેને બચાવવા માટેના પ્રયત્નો થવાથી આજે તે બચી શકે છે અને મોટા પ્રમાણમાં વિકસિત થઈ શકે છે. તેની સામે આપણી…

Read More