- Dholka માં ચોમાસામાં શાકભાજીના ભાવમાં ઘટાડો થવાને બદલે તોતિંગ વધારો
- Ahmedabad plane crash: ૮ મેડિકલ વિદ્યાર્થી પરીક્ષા ન આપી શક્યા
- Tennis player રાધિકા યાદવની હત્યા પૂર્વઆયોજિત ષડયંત્ર હતું
- Delhi Tragedy વેલકમ વિસ્તારમાં ચાર માળની ઇમારત ધરાશાયી
- બીજે દિવસે Joe Root ની સદી, બુમરાહની પાંચ વિકેટ
- પરિવર્તનથી દૂર રહીને ભારતે નિતિશ પર ભરોસો રાખવો જોઇએઃ Kumble
- Ahmedabad: મહિલા સાથે સંબંધ રાખવા દબાણ કરનાર આધેડની હત્યા કરાઈ
- Chandkheda માં યુવકનું અપહરણ કરી ઢોર માર મારતા મોત
Author: Vikram Raval
ચોળી, મરચા, સગરવો, કારેલા ટીંડોણાના ભાવ ૧૦૦ રૂ. કિલોએ પહોંચ્યો : થાળીમાં શાકભાજીનું સ્થાન બટેટા અને કઠોળે લીધુ Dholka તા.૧૨ ધોળકામાં ચોમાસામાં શાકભાજીના ભાવમાં ઘટાડો થવાને બદલે તોતિંગ વધારો થયો છે. સતત વધતા ભાવથી શ્રમજીવી, મધ્યમ વર્ગના લોકો ચિંતિત થયા છે. ચોળી, મરચા, સગરવો, કારેલા ટીંડોણાના ભાવ ૧૦૦રૂ. કિલોએ પહોંચ્યો છે. બીજી તરફ થાળીમાં શાકભાજીનું સ્થાન બેટાટા અને કઠોળે લીધુ છે.ધોળકા પંથકમાં હાલ વરસાદી મોસમ બરાબરની જામી છે. વાવણી લાયક વરસાદ પણ પડી ચૂક્યો છે. મોટાભાગના ખેત વિસ્તારોના આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાઇ ચૂક્યાં છે. ચોમસાાની સીઝનના ખેતપાકો, શાકભાજી, ઘાસચારો સહિત જંગલી વનસ્પતિઓ માટે વરસાદી મૌસમ આશીર્વાદરૂપ બની…
પ્લેન ક્રેશની ઘટના ૨૩૦ મુસાફરો અને ૧૨ ક્રૂ મેમ્બર્સ સહિત ૨૪૧ લોકો માટે તો કાળ બનીને આવી જ હતી Ahmedabad, તા.૧૨ અમદાવાદમાં ૧૨મી જૂને બનેલી ગોઝારી અને અતિકરૂણ એવી પ્લેન ક્રેશની ઘટનાને શનિવાર (૧૨મી જુલાઈ) એક મહિનો પૂર્ણ થયો છે ત્યારે આ ઘટનામાં મુસાફરો અને ક્રુ મેમ્બર્સ ઉપરાંત મેડિકલના વિદ્યાર્થીઓથી માંડી સ્થાનિક-સ્ટાફ અને સ્ટાફ પરિવારજન પણ મૃત્યુ પામ્યા છે. આ ઘટનામાં તે દિવસ મેસ બિલ્ડિંગ અને આસપાસ હાજર ૨૮થી ૩૦ જેટલા વિદ્યાર્થી-રેસિડેન્ટસ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાને લીધે એમબીબીએસના સેકન્ડ યરના ૮ વિદ્યાર્થીઓ પ્રિલિમ પરીક્ષા આપી શક્યા નથી. તેમના માટે ફરીથી પરીક્ષાનું આયોજન કરાશે. સુપર સ્પેશ્યાલિટીના પીજી રેસિડેન્ટ ડોક્ટરો-પરિવાર માટેની હોસ્ટેલ…
ગુરુગ્રામ પોલીસના પીઆરઓ સંદીપ કુમારે કહ્યું કે, પિતા દીપક ઇચ્છતો હતો કે તે દિવસે ઘરમાં બીજું કોઈ ન હોય Gurugram, તા.૧૨ હરિયાણાના ગુરુગ્રામમાં ટેનિસ ખેલાડી રાધિકા યાદવની હત્યાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. જોકે, આ હત્યાનો આરોપી પિતા પોતે જ હોવાની વાત કબુલી છે. તેમજ વારંવાર પોતાના નિવેદનને બદલી રહ્યો છે. જેમાં તેણે પોલીસને જણાવ્યું કે રાધિકાને મારવા માટે તેણે પહેલા યોજના કરી હતી. તેમજ તેથી પુત્રને બહાર મોકલી દીધો હતો. જો તે ઘરે હોત તો મારી યોજના સફળ ન થઈ હોત. તેમજ મારી પત્ની બીમાર હતી. જે રૂમમાં આરામ કરી રહી હતી.આ હત્યાની તપાસ કરી રહેલી પોલીસના જણાવ્યા અનુસાર…
આ ઇમારત ખૂબ જ જર્જરિત હતી, જેના કારણે આ અકસ્માત થયો હોવાની પ્રાથમિકા માહિતી મળી છે New Delhi તા.૧૨ દિલ્હીના વેલકમ વિસ્તારામાં આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હોવાના અહેવાલ મળ્યાં છે. વેલકલ વિસ્તારમાં આજે ચાર માળની એક ઇમારત ધરાશાયી થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઇમારત ધરાશાયી થતા આશરે ૧૨ લોકો નીચે દટાયા હોવાનો અંદાજ છે. સમગ્ર બાબતની જાણ થતા પોલીસ અને એનડીએરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અત્યારે સુધીમાં કુલ છ લોકોને કાટમાળ નીચેથી બહાર કાઢવામાં આવ્યા અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. હજી પણ પાંચ લોકો નીચે દટાયેલા હોવાની આશંકા છે.હાલમાં ઘટનાસ્થળે ૭ ફાયર એન્જિન અને…
ઇંગ્લેન્ડના ૩૮૭ રનના સ્કોર સામે રમતાં ભારતે તેના પ્રથમ દાવમાં ત્રણ વિકેટે ૧૪૫ રન નોંધાવી દીધા હતા London, તા.૧૨ ઓપનર કે એલ રાહુલ અને કરુણ નાયરની મક્કમ બેટિંગની મદદથી પ્રવાસી ભારતે અહીં રમાતી ત્રીજી ક્રિકેટ ટેસ્ટમાં શુક્રવારે ઇંગ્લેન્ડનો મક્કમ પ્રતિકાર કર્યો હતો. ઇંગ્લેન્ડના ૩૮૭ રનના સ્કોર સામે રમતાં ભારતે તેના પ્રથમ દાવમાં ત્રણ વિકેટે ૧૪૫ રન નોંધાવી દીધા હતા. આમ હાલમાં તે ૨૪૨ રન પાછળ છે અને તેની સાત વિકેટ જમા છે. અહીંના લોડ્ર્ઝ ખાતે રમાતી ટેસ્ટના ત્રીજા દિવસની રમતને અંતે લોકેશ રાહુલ ૫૩ અને રિશભ પંત ૧૯ રન સાથે રમતમાં હતા. રાહુલે ૧૧૩ બોલની ઇનિંગ્સમાં પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા.…
રેડ્ડી વર્તમાન સિરીઝમાં તેની બીજી ટેસ્ટ રમી રહ્યો છે જેના પ્રથમ દિવસે તે બે વિકેટ ખેરવીને ભારત માટે સૌથી સફળ બોલર રહ્યો હતો London, તા.૧૨ ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસમાં રમી રહી છે ત્યારે ભારતના મહાન સ્પિનર અનીલ કુંબલેએ એવો અભિપ્રાય આપ્યો હતો કે ટીમમાં નિતિશકુમાર રેડ્ડીને નિયમિત સ્થાન આપીને તેના પર ભરોસો રાખવો જોઇએ.કુંબલે વારંવારના પરિવર્તનની પ્રક્રિયાથી દૂર રહીને વર્તમાન ટીમની પ્રતિભા અને શિસ્તમાં રહેવા માટે નિતિશ રેડ્ડીને ટીમમાં કાયમી સ્થાન આપવું જોઇએ જેથી તે પોતાની જાતને પુરવાર કરી શકે.રેડ્ડી વર્તમાન સિરીઝમાં તેની બીજી ટેસ્ટ રમી રહ્યો છે જેના પ્રથમ દિવસે તે બે વિકેટ ખેરવીને ભારત માટે સૌથી…
આરોપીઓ પેસેન્જર બનીને રિક્ષામાં બેઠા અને બાદમાં હત્યાને અંજામ આપ્યો : પોલીસે ત્રણ આરોપીઓની હત્યાના ગુનામાં ધરપકડ કરી Ahmedabad, તા.૧૨ ચાંદખેડામાં આવેલા ત્રાગડમાંથી એક આધેડની લાશ મળી હતી. પોલીસે તપાસ કરતા આધેડની હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું હતું. વધુ તપાસ દરમિયાન મૃતક આધેડે તેના ઘર નજીકમાં રહેતી મહિલાને સંબંધ રાખવા દબાણ કર્યું હતું. જેને લઇને પોલીસે મહિલાની પૂછપરછ કરતા મહિલા, તેના ભત્રીજા સહિત ત્રણ આરોપીઓની હત્યાના ગુનામાં ધરપકડ કરી છે. સેટેલાઇટ રામદેવનગર ખાતે રહેતા ૫૦ વર્ષીય મોતીભાઇ ભટી રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત ગુરુવારે રાત્રે મોતીભાઇ તેમના સાળાની રિક્ષા લઇને ફેરો મારવા નીકળ્યા હતા. જે દરમિયાનમાં મોતીભાઇની લાશ…
આ મામલે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી બળદેવ ઉર્ફે તાવડી ઠાકોર, નિકુલ ઠાકોર અને પાર્થ બરોટની ધરપકડ કરી છે Ahmedabad , તા.૧૨ ચાંદખેડામાં આવેલા હુડકો વાસમાં રહેતો ૨૦ વર્ષીય અજય ઠાકોર ગત તા.૮ના રોજ એક્ટિવા લઇને ઘરેથી નીકળ્યો હતો. ત્યારે પાડોશમાં રહેતા બળદેવ ઉર્ફે તાવડી ઠાકોરના પરિવારજનોએ તેની સાથે વાહન પૂરઝડપે ચલાવવા બાબતે તકરાર કરી હતી. બન્ને પક્ષના લોકો વચ્ચે થયેલો ઝઘડો શાંત થયા બાદ અજય તેના ઘરે ગયો હતો. જે બાદ તે મોડી રાત્રે ઘરેથી આંટો મારવા નીકળ્યો હતો. ત્યારે ગાડીમાં આવેલા બળદેવ ઠાકોર, નિકુલ ઠાકોર, કાવ્ય ચૌહાણ અને પાર્થ બારોટ સહિતના લોકોએ રિક્ષા લઈને જઇ રહેલા અજય ઠાકોરનું અપહરણ…
ભારતીય લશ્કરે પહેલગામ હુમલાને લીધે આ વખતે સંવેદનશીલ ગણાતી અમરનાથ યાત્રામાં સલામતિ અને સુરક્ષા માટે લોખંડી બંદોબસ્ત ગોઠવ્યા New Delhi, તા.૧૨ ભારતીય લશ્કરે પહેલગામ હુમલાને લીધે આ વખતે સંવેદનશીલ ગણાતી અમરનાથ યાત્રામાં સલામતિ અને સુરક્ષા માટે લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો છે. ઈન્ડિયન આર્મીએ આ માટે ‘ઓપરેશન શિવા ૨૦૨૫’ શરૂ કર્યું છે. આ ઓપરેશનનો ઉદ્દેશ અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. ભારતે પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરતા ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું.પાક. સમર્થિત આતંકી સંગઠનો દ્વારા વળતો હુમલો કરવાની ધમકીઓ વચ્ચે આ વર્ષે અમરનાથ યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થાય તે ઓપરેશન શિવાનો ધ્યેય છે. સ્થાનિક…
કેટલીકવાર હાઇવે વપરાશકર્તાઓ ઇરાદાપૂર્વક વાહનોના વિન્ડસ્ક્રીન પર ફાસ્ટેગ લગાવતા નથી New Delhi, તા.૧૨ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ફાસ્ટેગને ઇરાદાપૂર્વક વ્હિકલની વિન્ડસ્ક્રીન પર યોગ્ય રીતે ન લગાવતા અથવા ફાસ્ટેગને હાથમાં રાખતા ડ્રાઇવરો સામે કાર્યવાહી કરીને તેમને બ્લેકલિસ્ટ કરશે. ‘લૂઝ ફાસ્ટેગ્સ’ અથવા ટેગ-ઇન-હેન્ડ યુઝર્સની ટોલ કલેક્શન એજન્સીઓ ઓથોરિટીને માહિતી આપશે અને તેના આધારે કાર્યવાહી થશે.ઓથોરિટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેને ટોલ વસૂલાતની સરળ કામગીરી સુનિશ્ચિત કરવા માટે બ્લેકલિસ્ટેડ વપરાશકર્તાઓ માટે ‘લૂઝ ફાસ્ટેગ’ રિપોર્ટ કરવાની પ્રક્રિયાને મજબૂત બનાવી છે.કેટલીકવાર હાઇવે વપરાશકર્તાઓ ઇરાદાપૂર્વક વાહનોના વિન્ડસ્ક્રીન પર ફાસ્ટેગ લગાવતા નથી. તેનાથી લેન પર ભીડ થાય છે, ખોટા ચાર્જબેક થાય, ક્લોઝ્ડ-લૂપ ટોલિંગ સિસ્ટમનો દુરુપયોગ…