Maharashtra,તા.30
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં મહાયુતીના ભવ્ય વિજયના એક સપ્તાહ બાદ પણ મુખ્યમંત્રી અંગે નિર્ણય નહી લઈ શકતા ભાજપ નેતૃત્વના મોરચામાં જબરો આંતરિક વિખવાદ હોવાનું સ્પષ્ટ થયુ છે અને ગુરૂવારે દિલ્હીમાં મધરાત સુધી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસે કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના બે નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડનવીસ અને અજીત પવાર વચ્ચે બેઠકોના દૌર પછી તેઓ મુંબઈ પરત આવ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે તેમના વતન ‘સતારા’ ચાલ્યા ગયા હતા તેઓ આજે મુંબઈ પરત ફરીને તેમના પતા ખોલશે તેવા સંકેત છે અને શિવસેનાના સૂત્રોના જણાવ્યા મુજબ શ્રી એકનાથ શિંદે કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. શ્રી શિંદે જે રીતે ખાતાની વહેંચણીમાં ભાજપની ફોર્મ્યુલાથી નારાજ છે.
મુખ્યમંત્રી ભાજપના જ હશે તે નિશ્ચિત છે અને તેઓ દેવેન્દ્ર ફડનવીસનું નામ નિશ્ચિત હોવાનું જણાવાય છે. તે વચ્ચે શિવસેનાએ કહ્યું કે મુખ્યમંત્રી તાવ-શરદીની બિમારીથી પીડાય છે અને તેથી તેઓ સતારા જીલ્લાના તેના વતન ગામમાં તાજી હવા લેવા ગયા છે. શિવસેનાના એક નેતા સંજય થિરસાદના જણાવ્યા મુજબ એકનાથ શિંદેને કોઈ મોટો નિર્ણય લેવો હોય તો તેઓ પોતાના આ વતન ગામમાં જાય છે. તેઓએ કહ્યું કે તા.2ના રોજ શપથગ્રહણ યોજાશે.
જો કે શિંદેને મોદી સરકારમાં કેબીનેટ મંત્રી બનાવવા પર તેઓએ કહ્યું કે શિંદે મહારાષ્ટ્રના રાજકારણમાં જ હતો તે પુર્વે કાલે ભાજપના ચુંટાયેલા ધારાસભ્યોની બેઠક મળશે. આ માટે દિલ્હી ભાજપના વરિષ્ઠ સભ્યો નિરિક્ષક તરીકે આવી શકે છે. શિવસેના-એનસીપીએ તેના વિધાનસભા પક્ષના નેતા નકકી કર્યા છે પણ ભાજપે વિલંબ કર્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શિંદે પોતાના માટે ગૃહ-વિભાગ માંગે છે પણ ભાજપ ગૃહ અને સામાન્ય વહીવટ વિભાગ તેની પાસેજ રાખવા માંગે છે તો અજીત પવાર નાણા મંત્રાલય માટે આગ્રહ રાખે છે તે ભાજપે સ્વીકાર્યુ છે.
નવી સરકારની શપથવિધિ તા.5 પુર્વે યોજાવાની શકયતા નહિવત
આઝાદ મેદાનમાં શપથવિધિ યોજવા તૈયારી
મહારાષ્ટ્રમાં સરકાર રચવા અંગે સર્જાયેલા વિખવાદ વચ્ચે હવે તા.5 સુધી નવી સરકારની રચના શકય નહી હોવાનું સંકેત છે. ભાજપ માટે એકનાથ શિંદે સૌથી મોટી સમસ્યા બની ગયા છે. જેમાં નાયબ સીએમ સાથે ગૃહ મંત્રાલય માંગે છે અને બીજી તરફ અમિત શાહ તમામ મુદાઓ પુરા કર્યા બાદ જ નવી સરકારની શપથવિધિ યોજાય તેવો આગ્રહ રાખે છે. તા.5ના મુંબઈના આઝાદ મેદાનમાં શપથવિધિ યોજાઈ શકે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમો વ્યસ્ત છે અને સોમવારથી સંસદનું સત્ર ફરી શરૂ થશે. શિંદે આ ઉપરાંત એનસીપી નેતા અજીત પવારની સાથે નાયબ મુખ્યમંત્રી બની રહેવા માંગતા નથી પણ ભાજપ તેને સમજાવી લે તેવા સંકેત છે.
CM માં ભાજપ આશ્ચર્ય સર્જશે! બે નામો પણ ચર્ચામાં: ફડનવીસ જો કે સૌથી ફેવરીટ
નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં મહાયુતી સરકારની રચનામાં વિલંબ પાછળ મુખ્યમંત્રી કોણ તે મુદો પણ ચર્ચા હોવાના સંકેત છે. સૌથી મોટા પક્ષ તરીકે ભાજપ જ આ પદ મેળવશે તેવી ત્રણેય સાથી પક્ષોએ સમજુતી બાદ ભાજપમાં શું દેવેન્દ્ર ફડનવીસને તક મળશે કે પછી ભાજપ મોવડીમંડળ મધ્યપ્રદેશ રાજસ્થાનની માફક કોઈ આશ્ચર્ય સર્જશે તેવી ચર્ચા છેડાય છે અને તેમાં બે નામો પણ ચર્ચામાં છે.
જેમાં એક મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રશેખર બાવનફુલે છે જેમાં ચોથી વખત વિધાનસભામાં ચુંટાયા છે અને તેમાં અગાઉ ફડનવીસ સરકારમાં ઉર્જા અને એકસાઈઝ મંત્રી પણ રહી ચૂકયા છે અને તેઓ ઓબીસી સમુદાયનો છે તેમાં નાગપુરના છે અને સંઘ મારફત નિતીન ગડકરીએ તેમનું નામ આગળ થયુ હોવાનું માનવામાં આવે છે તો બીજુ નામ પુનાના સાંસદ મુરલીધર મોહોલનું છે.
જે મોદી સરકારમાં રાજયમંત્રી છે અને તેઓ સંઘની પસંદ છે. હવે જો દેવેન્દ્ર ફડનવીસના બદલે અન્ય કોઈને મુખ્યમંત્રી બનાવાય તો તે સંઘની પસંદ હશે તેમ માનવામાં આવે છે. તા.20ના મતદાન બાદ શ્રી ફડનવીસ સીધા નાગપુરમાં સંઘના વડામથક ખાતે ગયા હતા અને મોહન ભાગવતે વડાપ્રધાન ખાતે ગયા હતા અને મોહન ભાગવતને મળ્યા હતા તે સૂચક છે.