આપણા ગુજરાતીમાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા. જો તમારૂ શરીર નરવું હશે તો તમામ સુખ તમારા દાસ છે. આજે પાઈલ્સ ડે નિમિતે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ પ્રોકટોલોજીસ્ટ મળ માર્ગના નિષ્ણાંત ડો.એમ.વી.વેકરીયા હરસ, મસા-પાઈલ્સ વિષે આપણને વિશેષ સવિસ્તાર તેના થવાના કારણો, તેના લક્ષણો, હરસથી બચવાના અને ન થાય તે માટેની પરેજી, તેની વૈજ્ઞાનિક સચોટ સારવાર અને હરસની સારવાર માટે આપણા માનસામાં પ્રવર્તી રહેલી પ્રચલિત ગેરમાન્યતા, અંધશ્રઘ્ધા વિશે સચોટ માહિતી આપશે. ડો.એમ.વી.વેકરીયા સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ અતિઆધુનિક ટેકનોલોજી અમેરીકન અલ્ટ્રાસોનીક હાર્મોનીક ફોકસ, યુરોપિયન એડવાન્સ્ડ લેસોટ્રોનીકસ લેસર, જર્મન ઈન્ફ્રારેડ કોએગ્યુલેશન (આઈ.આર.સી.) જાપાનીઝ હેલ-સ્ટેપલ, વેસલ સીલર, ક્ષારસુત્ર જેવી હરસ માટેની ટેકનોલોજીનો આવિષ્કાર કરી રાજકોટ શહેરનું ગૌરવ વધારેલ છે.
હરસ મસા એટલે શું? આપણા મળમાર્ગમાં રહેલી લોહીની નળીઓ રોજ બરોજ કબજીયાતના પ્રેશરના કારણે તેમજ લાઈફ સ્ટાઈલ તેમજ વારસાગતને કારણે ત્યાંની મળ માર્ગની ત્વચા-મ્યુકોઝાની નીચે રહેલી લોહીની નળીઓ ફુલાઈને ગંઠો આચળ જેવું જ બને તેને હરસ કહેવામાં આવે છે. હરસ મસા એ મળમાર્ગમાં થતો અતિકષ્ટાયક વ્યાધિ છે. જેમાં ખાસ કરીને અસહ્ય દુઃખાવો, બળતરા તથા લોહી પડે છે. આ આચળ ટઠાને આપણે ગુજરાતીમાં હરસ-મસા-હીન્દીમાં બવાસીર-સંસ્કૃતમાં અર્શ અંગ્રેજીમાં પાઈલ્સ મેડીકલમાં હેમોરોઈડસ લેટીનામાં પીલા કહેવાય છે.
હરસ થવાના કારણો : કબજીયાતને સર્વે રોગની જનની માતા કહી છે. હરસ થવામાં પણ મુખ્ય કારણ કબજીયાત છે. તેથી પહેલા તો કબજીયાત કરે તેવા આહારવિહાર છોડવા, બંધ કરવા, આજની લાઈફસ્ટાઈલ, મળમાર્ગના રોગોને નોતરે છે. પ્રવાહી, છાશ, દૂધ, પાણી, ફ્રૂટ, સુપ, જયુસ વધારે લેવા તેમજ પાન, બીડી, તમાકુ, ફાકી બંધ કરવા કબજીયાત કરે તેવો આહાર તેમજ તીખું, તળેલું તમતમતુ અને મસાલાવાળો ખોરાક ઓછો લેવો, ખોરાકની અનિયમિતતા, ફાઈબરલેસ ડાયેટ અને ફાસ્ટ ફુડ, જંકફુડનુ વધતુ જતુ પ્રમાણ, બેઠાડુ જીવન, કસરતનો અભાવ, ચિંતા, ક્રોધ અને ઉજાગરા, સંડાસમાં અતિશય જોર કરવાની ટેવ, વારંવાર સંડાસ જવાની ટેવ, તેમજ વારંવાર ઝાડા અને મરડો થવો, લેડીઝમાં પ્રેગ્નેન્સી દરમ્યાન તેમજ વારસાગત અને આપણા શરીરનું બંધારણ, ફિઝીયોલોજી, ગ્રેવીટેશન વગેરે કારણોથી હરસ થાય છે.
હરસ-ફીશર ભગંદરમાં જોવા મળતા સામાન્ય લક્ષણોઃ- મળત્યાગ વખતે મળમાર્ગમાં દુઃખાવો, બળતરા અથવા રક્તસ્ત્રાવ થવો, સંડાસ જતી વખતે આચળ જેવો કંઈક બહાર નીકળવો, કાયમી કબજીયાત, ગેસ ટ્રબલ, અપચો રહેવો, બેસવામાં તકલીફ થવી દુઃખાવો થવો, મળમાર્ગમાં ખંજવાળ આવવી, રસી નીકળવા, ચીકાશ આવવી કે ભીનુ લાગવુ, વારંવાર મળમાર્ગની આસપાસ ગડગુમડ જેવુ થઈને રસી નીકળવી, વારંવાર મરડો અથવા ઝાડા થવા, સંડાસ માટે કાયમી જુલાબ કે રેચક દવા લેવાની જરૂર પડે છે. ભુખ ન લાગવી, જમ્યા પછી પેટમાં ભારે લાગવુ, ગેસ ટ્રબલ રહેવી, શરીર ફીકકુ રહે, શરીર આખું દુઃખે, પીંડીમાં કે કમરમાં દુખાવો રહેવો, મળત્યાગ કંટ્રોલ ન હોવો, લાંબા સમયે મળમાર્ગ નબળો પડવો.
હરસ-મસા ભગંદર, ફીશર ન થાય તે માટે સોનેરી સૂચનો : જરૂરી પરેજી :- ખીચડી, કઢી, રોટલી, શાક, મગનું શાક, કઠોળ, કચુંબર, દાળ ઢોકળી, ખાંખરા, પાત્રા લેવા, ઊંધીયુ, લસણીયા બટેટા, ભરેલા મરચા, રગડા પેટીશ, અથાણુ, બાજરીનો રોટલો, ફ્રાસ્ટ ફુડ, ગાંઠીયા જેવો ખોરાક ટાળવો, મળમાર્ગના રોગો માટે જવાબદાર એવી કબજીયાતને અવગણશો નહીં, કાયમ કોઈ પણ જાતના જુલાબ કે રેચક દવા લેવી એ અત્યંત હાનિકારક છે.
કુદરતી હાજતના વેગને ગમે તેવા સંજોગોમાં રોકશો નહી. બિનજરૂરી ઉજાગરા, ચિંતા, ટેન્શન ન લેવુ,
હરસની સારવાર માટે આપણા માનસમાં પ્રર્વતતી પ્રચલીત ગેરમાન્યતા-અંધશ્રઘ્ધા :- જેમ કે હરસને શરીર પર ડામ દેવાથી મટાડી શકાય છે, ઘણા લોકો માનતા દિવા માને છે. હરસને મંત્રાવે છે. મંત્રેલી ચા પીવે છે. હરસને પાણીમાં બેસાડીને ખેરવી નાખે છે. મંત્રેલ પાણીમાં બેસાડે છે. હરસ ચેકીંગ વગર (તપસ્યા વગર), દુઃખાવા વગર, ઓપરેશન વગર, પોસ્ટથી દવા મોકલવી જેવી લોભામણી જાહેરાતથી દર્દીને છેતરે છે. તેનાથી દુર રહેવુ જોઈએ. કારણ કે તપસ્યા વગર સારવાર કરવાથી ઘણીવાર હરસ-મસા ન હોય અને બીજા ઘણા કારણોની-મળમાર્ગમાં લોહી પડે છે. જેમ કે આંતરડાનું અલ્સર, અલ્સેરેટીવ કોલાઈટીસ-લીવરના રોગો, કેન્સર, ફીશર જેવા ઘણા કારણોથી મળમાર્ગમાં લોહી પડે છે. તેથી તપાસ્યા વગર નિદાન કરાવ્યા સિવાય સારવાર લેવાથી ઘણા દર્દીઓ માટે ઘાતક નીવડે છે.
જાતે સેલ્ફ દવા લેતા હોય છે ગમે ત્યાંથી જે તે દવા લેવી, ડોકટરની સલાહ વગર દવા લેવી હિતાવહ નથી. હરસની મંત્રની વિંટી પહેરે છે વગેરે ચાલીને જવાની માતાજીની માનતા માને છે પણ ચાલવાથી હરસ-મસા વકરે છે. વડોદરાની નજીક તારાપુર ચોકડી પાસે, મઘરોલમાં પાણીમાં બેસાડીને હરસ ખેરી નાખવાની ખોટી માન્યતા ખુબ પ્રચલિત છે. વગેરે અંધ માન્યતાથી આપણે સમાજે દૂર રહેવુ જોઈએ.
આજના આધુનીક યુગમાં પણ હરસ-ફીશરના ઘણા દર્દીઓ-અનકવોલીફાઈડ ડોકટરો પાસે, એસીડ જેવા કેમીકલ લગાવીને ઓપરેશન કરાવે છે. જેમાં ખૂબજ પીડાય છે અને ભગંદર જેવા કોમ્પલીકેશન થાય છે.