Lucknow,તા,19
ઉતરપ્રદેશના રાજયપાલ અને ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રામાયણમાં કુંભકર્ણના પાત્ર અંગે એક રસપ્રદ ઘટસ્ફોટ કરતા કહ્યું કે લંકાપતિ રાવણના ભાઈ કુંભકર્ણ છ-છ માસ સૂતો રહેતો હતો તે માન્યતા ખોટી છે.
કુંભકર્ણ એ ટેકનોલોજી નિષ્ણાંત હતો અને તે છ માસ ગુપ્ત રીતે સંશોધન કરતો હતો. જેનો બાદમાં યુદ્ધમાં ઉપયોગ કર્યો હતો. આનંદીબેન પટેલે લખનૌની ખ્વાજા મોહીનુદીન ચિસ્તી ભાષા વિશ્વ વિદ્યાલયના 9માં દિક્ષાંત સમારોહમાં સંબોધન કરતા કહ્યું કે આજે વધુ સુનારાઓને કુંભકર્ણ કહેવામાં આવે છે પણ વાસ્તવમાં હકીકત જુદી છે.
રાવણના ભાઈની તે છ-છ માસ સુતો રહેતો હતો તે વાત ખૂબજ કહેવાય છે અને યુદ્ધ સમયે તેને જગાડવા ઢોલ-નગારા વગાડવા પડયા હતા તેવું દર્શાવાય છે. જેથી તે યુદ્ધમાં જઈ શકે. આજે હું તમને આ બધું શા માટે બતાવી રહી છું તે તમો વિચારતા હશો પણ વાસ્તવમાં કુંભકર્ણ એ ટેકનોકાફટ હતો.
તે ગુપ્ત રીતે સંશોધન કરતો રહેતો હતો તે છ માસ સૂતો રહેતો ન હતો પણ પોતાનું સંશોધન કરતો હતો. તે ગુપ્ત રીતે રિસર્ચ યંત્ર બનાવતો હતો અને રાવણે તે વાત છુપાવવા એવી અફવા ફેલાવી હતી કે કુંભકર્ણ છ માસ સૂતો રહે છે પણ એ જ્ઞાન આપણી પાસે નથી પણ પુસ્તકોમાં તે બધું લખાયુ છે. આનંદીબેનનું આ ભવન ખૂબજ વાયરલ થયુ અને હવે સોશ્યલ મીડીયામાં તેની ચર્ચા થઈ રહી છે.