Jamnagar તા.૧૦
દેશના આર્થિક વિકાસ, નિકાલ અને રોજગારી જેવા મુદ્દાઓમાં સિંહફાળો ધરાવતાં જામનગરના બ્રાસપાર્ટના નાના ઉદ્યોગકારોને સરળતાથી લોન સહાય મળી રહે તેવા આશયથી ભારત સરકારના નાણાં મંત્રાલયના નેજા હેઠળ કેનેરા બેંક દ્વારા જામનગરમાં એમએસએમઇ ક્લસ્ટર માટે આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ, આ કાર્યક્રમમાં એમએસએમઇ મુદ્દા, પીએમ વિશ્વકર્મા, પીએમ સ્વનિધિ, પીએમજીપી તેમજ કેનેરા બેંકની, જીએસ.ટી, એમએસએમઇ સ્ટાર, મહિલા વિકાસ યોજના સહિતની યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ૧૨૦થી વધુ એમએેસએમઇ સેકટરના ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા. જે પેકી ૨૧થી વધુ ઉદ્યોગકારોને ૨૨ કરોડની લોનને મંજુરી આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં કેનેરા બેંકના જામનગર ઉપરાંત પ્રાદેશીક કચેરી રાજકોટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.