New Delhi,તા.23
વર્ષ 2020 માં આવેલી કોરોના મહામારીએ પૂરી દુનિયાને ખળભળાવી નાંખી હતી. દેશમાં પણ આ બિમારીએ ગંભીર અસર છોડી હતી. બાદમાં ધીરેધીરે કોરોના અંકુશમાં આવી ગયો હતો. પણ તેની અસરથી થયેલા ઘાવના નિશાન હજુ પણ જોવા મળે છે.
આ નિશાન અનેક સ્વરૂપોમાં બહાર આવતા રહે છે.જાણીતા હાર્ટ એકસપર્ટ અને ફોર્ટીસ એસ્કોર્ટસ હાર્ટ ઈન્સ્ટીટયુટના ચેરમેન ડો.અશોક શેઠનાનું કહેવુ છે કે કોરોના ફેફસાની સાથે સાથે હાર્ટની પણ બીમારી છે. ડો.શેઠે વધુમાં જણાવ્યું હતું કે કોરોનાએ હાર્ટ એટેકનાં મામલામાં 200 થી 300 ટકો સુધીનો વધારો કર્યો હતો.
ડો.શેઠે જણાવ્યું હતું કે મે 2020 માં જ કહી દીધુ હતું કે કોરોના હાર્ટની પણ બિમારી છે.ડો.શેઠે કહ્યું હતું કે ચાલતા-ચાલતા કે ડાન્સ કરતા થઈ રહેલી એકાએક મૃત્યુના અનેક કારણો હોઈ શકે છે.પરંતુ તેમાં એક કારણ કોરોના પણ છે.
ઉલ્લેખનીય છે કે, કેટલાંક સમયમાં સાજા નરવા લોકોનું એકાએક હાર્ટએટેક થવાથી મોતના બનાવો વધી ગયા હતા. યુવાનો અને તરૂણો પણ નાની વયે હાર્ટ એટેકનાં ભોગ બન્યા હતા.રમતા રમતા વ્યાયામ કરતાં કરતા મૃત્યુનાં બનાવો બન્યા હતા તે સમયે એવી ચર્ચા થતી હતી કે એકાએક અને નાની વયે થતી હાર્ટ એટેકની ઘટનાઓ કોરોના રસીની સાઈડ ઈફેક્ટ છે પરંતુ આવી કોઈ વાત પુરવાર નહોતી થઈ.
બ્રિસ્ક વોક હાર્ટને રાખે છે હેલ્ધી
આજે દુનિયામાં રોગો વધી ગયા હોવાનું મોટુ કારણ માણસની ફીઝીકલ એકિટવીટી-શારીરીક પ્રવૃતિ ઘટવાનું નિષ્ણાંતો માને છે. આ ઉપરાંત ખાન-પાનની ટેવ પણ જવાબદાર છે. અનિયમીત ખોરાક લેવો ફાસ્ટ ફૂડ આરોગવા જેવી આદતોએ પણ રોગોને વકરાવવામાં ભુમિકા ભજવી છે.વ્યાયામનો સદંતર અભાવે પણ હાર્ટ સહીતનાં રોગોને વકરાવ્યા છે. ઘણા લોકો વોકીંગ કરે છે, પણ તે ટહેલવા જેવુ હોય તો તેનુ પરીણામ આવતુ નથી.
ડો.શેઠ કહે છે કે હાર્ટ એટેકનાં રીસ્ક ફેકટરને ઘટાડવા માટે આપણે પગ ચલાવવા પડશે. સપ્તાહમાં ઓછામાં ઓછુ 150 મીનીટ ચાલવુ જોઈએ,. સરેરાશ રોજ 40 મીનીટ બ્રિસ્ક વોક કરવાથી 25 ટકા રિસ્ક ઘટી જાય છે.
જયારે આમ વોકીંગ કરો તો તે એટલુ ઝડપી હોય કે આપની સાથે ચાલી રહેતા લોકો સાથે આપ એક વાકયથી વધુ વાત ન કરી શકે.એટલે કે આટલી ઝડપથી ચાલવાનું છે અને આ વોકીંગ 40 મીનીટનું લેવુ જોઈએ બે સેશનમાં પણ કરી શકો છો.હા એવુ નહિં કે પાર્કમાં ગયા અને ગાયા મારતાં મારતા ચાલતા પણ રહેવુ આ બિસ્ક વોક નથી.