New Delhi,તા.21
ક્રેડીટ કાર્ડ મામલે સુપ્રીમ કોર્ટે એક કેસમાં બેન્કોને રાહત આપી છે. ક્રેડીટ કાર્ડ પર 36થી 50 ટકા વ્યાજ મુદે બેંકોની તરફેણમાં ચૂકાદો આવ્યો છે. સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય ગ્રાહક અદાલત (એનસીડીઆરસી)ના એક ચુકાદાને ફગાવી દીધો છે. એનસીડીઆરસીએ કહ્યું હતું કે ક્રેડીટ કાર્ડ પર ગ્રાહકો પાસેથી ક્રેડીટ કાર્ડ પર ગ્રાહકો પાસેથી 36 થી 50 ટકા વાર્ષિક વ્યાજ લેવું વધુ પડતું અને ખોટી વ્યાપારી પ્રથા છે.
ગ્રાહક કોર્ટે ક્રેડીટ કાર્ડ પર વ્યાજ દરને વધુમાં વધુ 30 ટકા પર સીમિત કરી દીધું હતું. ગ્રાહક પંચે માન્યું હતું કે બેંકો અને ગ્રાહકો વચ્ચે સમજુતી અસામાન સ્થિતિમાં થાય છે. ક્રેડીટ કાર્ડ માટે ગ્રાહકો પાસે કોઈ મૂલ્ય ભાવની શકિત નથી હોતી, સિવાય કે તે ક્રેડીટ કાર્ડની સુવિધાનો અસ્વીકાર કરે.
ગ્રાહક અદાલતે ક્રેડીટ કાર્ડના અન્ય દેશોની બેન્કોના વ્યાજ દરની તુલના કરી કહ્યું હતું- બ્રિટનમાં આ વ્યાજદર 9.99 ટકાથી 17.99 ટકા છે. ઓસ્ટ્રેલિયામાં 18થી 24 ટકા છે. ભારત જેવા મોટા અને વિકાસશીલ દેશમાં ઉચ્ચતમ વ્યાજ દર અપનાવવો ઉચિત નથી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી અને જસ્ટિસ સતીષચંદ્ર શર્માની બેન્ચે વર્ષ 2008નાં આદેશ રદ કરીને બેન્કો દ્વારા દિવાની અપીલોને મંજૂરી આપી હતી.