Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh ના ભારતી આશ્રમમાંથી ગુમ થયેલા મહંત મળી આવ્યા!

    November 5, 2025

    શાકભાજી વેચનારાને લાગ્યો jackpot, ૧૧ કરોડની લોટરી જીત્યો

    November 5, 2025

    ગીતામૃતમ્.. ક્રોધ ઉપર કાબૂ મેળવવાનો ઉપાય

    November 5, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh ના ભારતી આશ્રમમાંથી ગુમ થયેલા મહંત મળી આવ્યા!
    • શાકભાજી વેચનારાને લાગ્યો jackpot, ૧૧ કરોડની લોટરી જીત્યો
    • ગીતામૃતમ્.. ક્રોધ ઉપર કાબૂ મેળવવાનો ઉપાય
    • Indian women’s cricket team નો વિજય – એક ક્રાંતિ, એક નવી શરૂઆત
    • Harmanpreet એવું કામ કરી દીધું છે કે ટ્રોફી કાયમ માટે તેની સાથે જ રહેશે
    • અંતિમ તબક્કામાં India-US ની ટ્રેડ ડીલ, વ્હાઇટ હાઉસનો દાવો
    • Mumbai માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર એશિયામાં સૌથી ખુશ શહેર
    • સંરક્ષણ દળોમાં અરાજકતા ફેલાવવાનો રાહુલનો પ્રયાસ : રાજનાથસિંહ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, November 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»ખેડૂતોની આત્માહત્યાના આંકડા જાહેર ન કરવા પડે એટલે સરકારનું શાણપણ?
    ગુજરાત

    ખેડૂતોની આત્માહત્યાના આંકડા જાહેર ન કરવા પડે એટલે સરકારનું શાણપણ?

    Vikram RavalBy Vikram RavalDecember 2, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.02

    રાજ્યમાં દેવામાં ડૂબેલા ખેડૂતોની આત્મહત્યાના આંકડા જાહેર ના કરવા પડે એટલે ગુજરાત પોલીસ દ્વારા હવે એક RTI અરજીને સ્ટેટ કંટ્રોલ રૂમ ધ્વારા CID ક્રાઇમને અરજી તબદીલ કરવામાં આવી દેવામાં આવી છે.  

    જેમાં માહિતી ના આપવાના કારણને CID ક્રાઇમે પત્રમાં કહ્યું છે કે, અમને માહિતી આપવામાંથી મુક્તિ આપવામાં આવી છે, જેથી રાજ્યમાં કેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી તેની માહિતી સામે જ ન આવે. સરકાર દરેક નીતિ નિયમ, ઠરાવ કે પરિપત્રમાં એક પાછલું બારણું રાખવાની કોશિષ કરતી હોય છે જેથી જરૂર પડે એના નેજા હેઠળ સત્ય હકીકતો કે માહિતી છુપાવી શકાય. 

    CID ક્રાઇમને  માહિતી આપવામાંથી મુક્તિ

    આવો જ એક કિસ્સો બહાર આવ્યો છે જેમાં રાજ્યમાં ખેડૂતોની આત્મહત્યા સંદર્ભે એક આર.ટી.આઇ. અરજીથી ગુજરાત રાજયમાં 1 જાન્યુઆરી 2020થી 1 ઑક્ટોબર 2024 સુધીમાં આત્મહત્યા કરનાર ખેડૂતોની માહિતી માંગ કરવામાં આવી હતી. આ આર.ટી.આઇ. અરજીથી ગુજરાત પોલીસના અધિક પોલીસ મહાનિર્દેશકની કચેરી CID ક્રાઇમ અને રેલવેઝ દ્વારા માહિતી અધિકાર અધિનિયમ-2005 હેઠળ માહિતી આપવાની જગ્યાએ જાણ કરવામાં આવી કે CID ક્રાઇમને માહિતી આપવામાંથી મુક્તિ આપેલી છે. 

    સ્ટેટ કંટ્રોલ દ્વારા પત્રમાં લખવામાં આવ્યું કે આર.ટી.આઇ. અરજીની વિગતો જોતાં, માંગેલી માહિતીના મુદ્દાઓની માહિતી અત્રેની કચેરી ખાતે ઉપલબ્ધ ન હોય આપની (CID ક્રાઇમ) કચેરીના કાર્યો સાથે વધુ નિકટતાથી સંકળાયેલ હોય, અરજદારની આર.ટી.આઇ. અરજી આગળની જરૂરી કાર્યવાહી માટે આપને મોકલી આપેલી છે અને કોઈ અન્ય જાહેર માહિતી અધિકારીને લગતી હોય તો સંલગ્ન પરત્વે અરજી તેઓને આપના સ્તરેથી તબદીલ કરવા વિનંતી છે. 

    પત્રમાં લખવામાં આવ્યું કે માહિતી અધિકાર અધિનિયમ-2005 હેઠળની અરજી કચેરીને તબદીલ કરવામાં આવેલી છે પરંતુ CID ક્રાઇમને માહિતી અધિકાર અધિનિયમ-2005ની કલમ-24(4) હેઠળ ગુજરાત સરકારના જાહેરનામા નં.એસબી- 1/10202001/8203/જીઓઆઇ-62(પાર્ટ ફાઇલ) અન્વયે માહિતી આપવામાંથી મુક્તિ આપેલી છે, જેથી આપ દ્વારા માંગેલી માહિતી પૂરી પાડી શકાય તેમ નથી જે જાણવા વિનંતી છે. 

    CID ક્રાઇમના જાહેર માહિતી અધિકારી અને નાયબ પોલીસ અધિક્ષક (વહીવટ) એ. એમ. ભગોરા દ્વારા આ જાણ અરજદાર ભરતસિંહ ઝાલા અને મદદનીશ જાહેર માહિતી અધિકારી અને નાયબ પોલીસ અધીક્ષક સ્ટેટ કંટ્રોલ રૂમ ગાંધીનગરને પણ કરવામાં આવી છે. 

    ખેડૂત આગેવાન અને અરજી કરનાર ભરતસિંહ ઝાલાએ જણાવ્યું કે સરકારની ખેડૂત વિરોધી આર્થિક નીતિ, મોંઘા બિયારણ, ખાતર, જંતુનાશક દવા, ડીઝલ, મજૂરી ખર્ચ અને પોતે પરિવાર સાથે મહેનત કરે. વીજળી બીલ કે સિંચાઈ ખર્ચ સાથે એક હેકટર જમીનમાં ઓછામાં ઓછો ખર્ચ એક લાખ રૂપિયા સુધી પહોંચે છે, તેની સામે કુદરતી આપત્તિમાં પાક નુકસાન થયું તેનું કદી પૂરું વળતર ન મળે. પાક ઉત્પાદનના પૂરા ભાવ ન મળે ઉપરાંત બૅંકોની નોટિસ મળતાં આબરુ ન સાચવી શકતાં પોતાના પરીવારનું ભરણ પોષણ ન થતાં ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે. 

    તેમણે જણાવ્યું કે અગાઉ 2007માં ગુજરાત રાજ્ય માહિતી આયોગ દ્વારા તમામ માહિતી વિનામૂલ્યે આયોગમાં જાહેર કરી હતી અને એ માહિતીના આધારે દેશમાં અને રાજ્યમાં ખેડૂતોના આપઘાત અટકાવવા સર્વોચ્ચ અદાલત સમક્ષ અરજી થતાં સર્વોચ્ચ અદાલતે હુકમ કર્યો હતો કે સરકાર દ્વારા યોગ્ય કાયમી નીતિ બનાવવામાં આવે છતાં પણ  ગુજરાત સરકાર કેમ આત્મહત્યા કરનાર ખેડૂતના આંકડા જાહેર કરતી નથી. 

    GADHINAGAR
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot : DCB એ જાહેર કરેલ નંબરની અસર : લોકો નિડર બન્યા

    November 5, 2025
    રાજકોટ

    Rajkot : રાતે 11 ના ટકોરે ન્યુસન્સ પોઇન્ટ બંધ થવા લાગ્યાં : સુરક્ષાનો માહોલ

    November 5, 2025
    રાજકોટ

    Rajkot : કાલથી કોંગ્રેસની ‘કિસાન આક્રોશ યાત્રા’નું સોમનાથથી પ્રસ્થાન

    November 5, 2025
    રાજકોટ

    Rajkot : જુના ગણેશનગરમાં બીમારીથી કંટાળી યુવાન નો આપઘાત

    November 5, 2025
    રાજકોટ

    Rajkot : સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં 4 લોકોના મૃત્યુ નીપજ્યા હતા

    November 5, 2025
    મોરબી

    Morbi : રાજપર પાસે છકડો રીક્ષા-ઇકો કાર વચ્ચે અકસ્માત

    November 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Junagadh ના ભારતી આશ્રમમાંથી ગુમ થયેલા મહંત મળી આવ્યા!

    November 5, 2025

    શાકભાજી વેચનારાને લાગ્યો jackpot, ૧૧ કરોડની લોટરી જીત્યો

    November 5, 2025

    ગીતામૃતમ્.. ક્રોધ ઉપર કાબૂ મેળવવાનો ઉપાય

    November 5, 2025

    Indian women’s cricket team નો વિજય – એક ક્રાંતિ, એક નવી શરૂઆત

    November 5, 2025

    Harmanpreet એવું કામ કરી દીધું છે કે ટ્રોફી કાયમ માટે તેની સાથે જ રહેશે

    November 5, 2025

    અંતિમ તબક્કામાં India-US ની ટ્રેડ ડીલ, વ્હાઇટ હાઉસનો દાવો

    November 5, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh ના ભારતી આશ્રમમાંથી ગુમ થયેલા મહંત મળી આવ્યા!

    November 5, 2025

    શાકભાજી વેચનારાને લાગ્યો jackpot, ૧૧ કરોડની લોટરી જીત્યો

    November 5, 2025

    ગીતામૃતમ્.. ક્રોધ ઉપર કાબૂ મેળવવાનો ઉપાય

    November 5, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.