Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજે ઈંગ્લેન્ડ વિખેરાવાની સ્થિતિમાં છે પણ ભારત નહીં તૂટે : Mohan Bhagwat

    September 16, 2025

    Assam માં મહિલા અધિકારીના નિવાસે દરોડામાં 1 કરોડનુ સોનુ અને 90 લાખ રોકડ ઝડપાઈ

    September 16, 2025

    આજથી માન્ય વેપારીઓ UPI થી 10 લાખ રૂપિયાનું રોજ પેમેન્ટ કરી શકશે

    September 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજે ઈંગ્લેન્ડ વિખેરાવાની સ્થિતિમાં છે પણ ભારત નહીં તૂટે : Mohan Bhagwat
    • Assam માં મહિલા અધિકારીના નિવાસે દરોડામાં 1 કરોડનુ સોનુ અને 90 લાખ રોકડ ઝડપાઈ
    • આજથી માન્ય વેપારીઓ UPI થી 10 લાખ રૂપિયાનું રોજ પેમેન્ટ કરી શકશે
    • Abhishek Sharma ની વિસ્ફોટક બેટિંગથી પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર આશ્ચર્યચકિત
    • ભારત PAKનો વિરોધ ચાલુ રાખશે: જો Asia Cup જીતે તો મોહસીનના હસ્તે ટ્રોફી નહીં સ્વીકારે
    • Dehradun માં સહસ્ત્રધારામાં વાદળ ફાટયું : અનેક દુકાનો તણાઈ, બે લોકો લાપતા
    • Income Taxનું સુપર ઓપરેશન: મોરબીમાં 40 અને રાજકોટમાં 6 સ્થળોએ દરોડા
    • CM ભૂપેન્દ્ર પટેલ બુધવારે મોરબીમાં: દસ લાખ વૃક્ષોથી તૈયાર થયેલ વનનું લોકાર્પણ કરશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»ખેડૂત પ્રમાણપત્ર માંગે તો આવી જમીન બિનખેતી થયા બાદ એક વર્ષમાં ખેડૂત પ્રમાણપત્ર આપવાનું રહેશે
    ગુજરાત

    ખેડૂત પ્રમાણપત્ર માંગે તો આવી જમીન બિનખેતી થયા બાદ એક વર્ષમાં ખેડૂત પ્રમાણપત્ર આપવાનું રહેશે

    Vikram RavalBy Vikram RavalDecember 30, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.૩૦

    ગુજરાત સરકારે જમીન રી-સરવેમાં ભૂલોને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં ભુલો દૂર કરવાની અરજી માટેનો સમય વધારવામાં આવ્યો છે. જમીનના રેકોર્ડ રી-સરવે પ્રમોલગેશનની ક્ષતિઓ માટે નિર્ણય લેવામાં આવ્યા છે,ક્ષતિ દૂર કરવા ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધી અરજી કરી શકાશે ક્ષતિઓ દૂર કરવા માટે એક વર્ષનો સમય વધારાયો છે સાથે સાથે ખેડૂતોના ભારે વિરોધ બાદ સરકારે મુદત વધારી છે અને રી-સરવેની કામગીરીમાં અનેક પ્રકારની ભૂલો પણ સામે આવે છે.રાજ્યમાં ખેતીની જમીનના રેકોર્ડ રી-સરવે પ્રમોલગેશનની ક્ષતિઓ દૂર કરવા અરજી માટેની તારીખ લંબાવી છે જેમાં એક વર્ષ સુધીનો સમય વધારવામાં આવ્યો છે.

    હવે ૩૧/૧૨/૨૦૨૫ સુધીમાં ક્ષતિ દૂર કરવા માટેની અરજી કરી શકાશે તેમજ રાજ્યના ૩૩ જિલ્લામાં આ કામગીરી હાથ ધરાઈ છે જોકે આ મુદ્દત દરમિયાન પણ સંપૂર્ણ ક્ષતિ જો સામે વાંધા અરજી કરવામાં રહી ગઈ હોય તો સરકારે તક આપી છે જેને લઈ રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા આ પરિપત્ર કરાયો છે.ગુજરાતમાં વિકાસ અને ખેતીની જમીનમાં બિનખેતી-એનએ રૂપાંતરણ તેમજ જમીનમાંથી પૈકી અથવા તો હિસ્સાના વેચાણને તબક્કે પ્રોપર્ટીકાર્ડ ઝડપી જનરેટ થઈ શકે, દૂરસ્તી કમી જાસ્તી પ્રત્રક -કેજેપીની કાર્યવાહી થઈ શકે તેવા ઉદ્દેશ્યથી મહેસૂલ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે.જમીનમાં હિસ્સા માપણીની અરજી ‘અરજન્ટ’ ગણી તેમાં ફી રિસિપ્ટ જનરેટ થયાથી ૨૧ દિવસમાં જ માપણી પૂર્ણ કરવા અથવા એવી અરજીનો નિકાલ કરવા આદેશ થયો છે.મહેસૂલ વિભાગના નાયબ સચિવ પ્રેરક પટેલની સહીથી પરિપત્રનો તમામ કલેક્ટર તેમજ જમીન માપણી દફતર અધિકારીઓને અમલ કરવા કહેવાયુ હતુ.

    જે ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ ગઈ હોવા છતાં પ્રમાણપત્રના અભાવે બિન ખેડૂત બન્યા હોય તેવા ખેડૂતોના વિશાળ હિતમાં ખેડૂત પ્રમાણપત્ર મેળવવાની સુલભતા કરતી એક તક આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એક હિતકારી નિર્ણય કરીને તે અંગેનો ઠરાવ પ્રસિદ્ધ કરવાના દિશા નિર્દેશો આપ્યા છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર તા.૦૧/૦૫/૧૯૬૦થી એટલે કે ગુજરાતના અલગ રાજ્ય તરીકેના સ્થાપના કાળથી વિવિધ પ્રોજેક્ટ્‌સમાં ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ હોય અને જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર મેળવી ન શક્યા હોય તેવા ખેડૂતો રાજ્ય સરકાર દ્વારા આ ઠરાવ પ્રસિદ્ધ થયાના એક વર્ષમાં પ્રમાણપત્ર મેળવવા માટે સંબંધિત કલેકટર સમક્ષ અરજી કરી શકશે.

    આવી અરજી મળ્યા પછી સંબંધિત કલેકટર દ્વારા જાતે ખરાઈ કરીને ખેડૂત પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવશે. એટલું જ નહીં, આવું પ્રમાણપત્ર મળ્યાના ત્રણ વર્ષમાં જે તે ખેડૂતને જમીન ખરીદી કરી લેવાની રહેશે.રાજ્યના જે ખેડૂતોની જમીનો પ્રોજેક્ટ્‌સમાં સંપાદિત થઈ છે પરંતુ જે તે વખતે એ ખેડૂત પ્રમાણપત્ર મેળવી ન શકેલા ખેડૂતો કે જે ખેડૂત મટી ગયા છે તેમને મુખ્યમંત્રીના આ નિર્ણયના પરિણામે ખેતી કરવાનું પ્રોત્સાહન મળશે.આ ઉપરાંત જે ખેડૂત પોતાનાં ખાતાના સર્વે નંબર પૈકી બચત રહેલો એક માત્ર સર્વે નંબર બિનખેતી કરાવે તેના કારણે ખેડૂત મટી જતા હતાં.આવા કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર મેળવવાની કોઈ જોગવાઈ ન હોવાના કારણે ખેતીની જમીન ખરીદવામાં તેઓ મુશ્કેલી અનુભવતા હતા. એવી રજૂઆતો મુખ્યમંત્રી સમક્ષ અવારનવાર ખેડૂતો દ્વારા આવી હતી. આવી રજૂઆતોના સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવો નિર્ણય કર્યો છે કે, હવે પછી પોતાની ખેતીની જમીનનો છેલ્લો સર્વે નંબર પણ બિનખેતી થયા બાદ કોઈ ખેડૂત, ખેડૂત પ્રમાણપત્ર માંગે તો આવી જમીન બિનખેતી થયા બાદ એક વર્ષમાં ખેડૂત પ્રમાણપત્ર આપવાનું રહેશે. ખેડૂતે આ પ્રમાણપત્રની તારીખથી બે વર્ષમાં જમીન ખરીદી કરવાની રહેશે. આ અંગેનો ઠરાવ પ્રસિદ્ધ થયાના એક વર્ષ પહેલાંથી આ પ્રકારે બિન ખેડૂત થયેલા અરજદારોને પણ આ નિર્ણયનો લાભ મળશે.

    Gandhiangar re-survey land
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Income Taxનું સુપર ઓપરેશન: મોરબીમાં 40 અને રાજકોટમાં 6 સ્થળોએ દરોડા

    September 16, 2025
    મોરબી

    CM ભૂપેન્દ્ર પટેલ બુધવારે મોરબીમાં: દસ લાખ વૃક્ષોથી તૈયાર થયેલ વનનું લોકાર્પણ કરશે

    September 16, 2025
    અમદાવાદ

    Gujarat High Court ને ત્રણ મહિનામાં ચોથીવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    September 16, 2025
    સુરત

    Bardoli માં પ્રેમિકાની છરીના ઘા મારી પ્રેમીએ કરી હત્યા, આરોપીની ધરપકડ

    September 15, 2025
    સુરત

    અમદાવાદમાં ૧.૧૯ કરોડની જ્વેલરી ચોરીનો ભેદ ઉકેલાયો, Surat થી આરોપી ઝડપાયો

    September 15, 2025
    અમદાવાદ

    નરેન્દ્ર મોદીના ૭૫માં જન્મદિવસથી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો ગુજરાત સહિત દેશભરમાં પ્રારંભ કરાશે

    September 15, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આજે ઈંગ્લેન્ડ વિખેરાવાની સ્થિતિમાં છે પણ ભારત નહીં તૂટે : Mohan Bhagwat

    September 16, 2025

    Assam માં મહિલા અધિકારીના નિવાસે દરોડામાં 1 કરોડનુ સોનુ અને 90 લાખ રોકડ ઝડપાઈ

    September 16, 2025

    આજથી માન્ય વેપારીઓ UPI થી 10 લાખ રૂપિયાનું રોજ પેમેન્ટ કરી શકશે

    September 16, 2025

    Abhishek Sharma ની વિસ્ફોટક બેટિંગથી પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર આશ્ચર્યચકિત

    September 16, 2025

    ભારત PAKનો વિરોધ ચાલુ રાખશે: જો Asia Cup જીતે તો મોહસીનના હસ્તે ટ્રોફી નહીં સ્વીકારે

    September 16, 2025

    Dehradun માં સહસ્ત્રધારામાં વાદળ ફાટયું : અનેક દુકાનો તણાઈ, બે લોકો લાપતા

    September 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજે ઈંગ્લેન્ડ વિખેરાવાની સ્થિતિમાં છે પણ ભારત નહીં તૂટે : Mohan Bhagwat

    September 16, 2025

    Assam માં મહિલા અધિકારીના નિવાસે દરોડામાં 1 કરોડનુ સોનુ અને 90 લાખ રોકડ ઝડપાઈ

    September 16, 2025

    આજથી માન્ય વેપારીઓ UPI થી 10 લાખ રૂપિયાનું રોજ પેમેન્ટ કરી શકશે

    September 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.