Veraval તા.૧૬
ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને ઉનાના પ્રાંત અધિકારી ચિરાગ હિરવાણિયાના માર્ગદર્શન હેઠળ આજરોજ મામલતદાર કચેરી,ઉના અને પ્રાંત કચેરી,ઉનાના સ્ટાફ દ્વારા ગીરગઢડા તાલુકાના પતાપુર – કાંધી ગામેથી પસાર થતી રાવલ નદીમાંથી ખનીજ ચોરી કરતાં ૧ જેસીબી અને ૨ ટ્રેકટર મળી કુલ રૂ. ૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.આ મુદ્દામાલ ગીરગઢડા, મામલતદાર કચેરી ખાતે રાખવામાં આવેલ છે. આ બાબતે આગળની કાર્યવાહી ખાણ ખનીજ વિભાગ કરી રહ્યું છે.