Manavadar તા.૨૦
મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં ગૌમાતા ને રાજ્ય માતા નો સન્માન આપવા માટે હિન્દુ સંગઠનો સાધુ સંતો, ધર્મગુરુઓ ખુલ્લી ને સરકાર પાસે માંગ કરી રહ્યા છે. ત્યારે દેશમાં ગાય ને રાષ્ટ્ર માતા નો દરજ્જો આપવા માટે છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત રહેલ દ્વારકા ના વતની અર્જુન આંબલીયા જેઓ એ આ મુદ્દે સરકારનું ધ્યાન દોરવા માટે ૬૦૩ દિવસ દિલ્લી જંતર મંતર પર ધરણાં પણ કરેલ છે. તેઓ દ્વારા ગુજરાતમાં ગાય ને રાજ્ય માતા નો દરજ્જો આપવા માં આવે તે માટે ગૌ ક્રાંતિ રાષ્ટ્રીય એકતા ફૌજ ભારત ના બેનર હેઠળ તાજેતરમાં લોગો અભિયાન શરૂ કર્યું. માણાવદર મત વિસ્તાર ના ધારાસભ્ય શ્રી અરવિંદ લાડાણી સાથે મુલાકાત કરી રજુઆત કરી હતી. ધારાસભ્યએ એમની વાત તરત સમજી ને મહારાષ્ટ્ર ની જેમ ગાય ને રાજ્ય માતા નો દરજ્જો આપવા માટે મુખ્યમંત્રી શ્રી ને પત્ર લખવામાં આવ્યો છે. તે બદલ ગૌભકતો દ્વારા ધારાસભ્ય શ્રી નો આભાર વ્યક્ત કર્યો હતો.