New Delhi,તા.૨
નેશનલ કેપિટલ રિજનમાં વાયુ પ્રદૂષણને લઈને સોમવારે સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે કહ્યું કે રાષ્ટ્રીય રાજધાનીમાં વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે ગ્રેપ ના ચોથા તબક્કાનો ભાગ્યે જ કોઈ અમલ થયો છે. કોર્ટે દિલ્હી સરકારને પૂછ્યું કે પ્રતિબંધો લાગુ કરવા, ખાસ કરીને ટ્રકોને રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રવેશતા રોકવા માટે કેટલા અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે?
આ મામલે દિલ્હી સરકારે કોર્ટને કહ્યું કે તે ય્ઇછઁ પ્રતિબંધોનું પાલન ન કરવાના આરોપોની તપાસ કરશે. માત્ર બે-ત્રણ ઘટનાઓના આધારે એવું ન કહી શકાય કે દોઢ કરોડની વસ્તી ધરાવતું આખું શહેર નિયમોનું પાલન કરતું નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગ્રેપના ચોથા તબક્કામાં નિયંત્રણો હળવા કરવામાં આવે તે પહેલા પ્રદૂષણમાં ઘટાડો થવો જોઈએ. કોર્ટે એનસીઆર રાજ્યોના મુખ્ય સચિવોને વિડિયો કોન્ફરન્સ દ્વારા હાજર થવા કહ્યું હતું અને જણાવો કે શું બાંધકામ કામદારોને વળતર આપવામાં આવ્યું છે કે નહીં? હવે દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના મુખ્ય સચિવો ૫ ડિસેમ્બરે વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં હાજર થશે અને પોતાનો જવાબ રજૂ કરશે.
સુનાવણી દરમિયાન, કોર્ટે નેશનલ કેપિટલ રિજન માં વાયુ પ્રદૂષણના તમામ કારણોની તપાસ કરવા અને કાયમી ઉકેલ શોધવાનો પ્રસ્તાવ મૂક્યો. હવે કોર્ટે નક્કી કરવું જોઈએ કે ગ્રેપ ના ચોથા તબક્કા હેઠળ પ્રતિબંધો હળવા કરવા જોઈએ કે નહીં? આ અંગે ૫ ડિસેમ્બરે તમામ પક્ષકારોને સાંભળવામાં આવશે. કોર્ટે કહ્યું કે ૫ ડિસેમ્બરે એર ક્વોલિટી ઈન્ડેક્સના સ્તરની તપાસ કરવામાં આવશે અને જાણવા મળશે કે તે ઘટી રહ્યો છે કે નહીં.