RAJKOT, તા.17
અલગ અલગ કારણોસર શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ઘર મૂકી નિકળી ગયેલ યુવતી સહિત ચાર લોકોને શોધી પરીવાર સાથે મિલન કરાવી પોલીસે સરાહનીય કામગીરી કરી હતી.
શહેર પોલીસ કમીશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, જગદિશ બાંગરવાએ ગુમ-અપહરણ થયેલ સ્ત્રી-પુરૂષ તથા બાળકો શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવાની આપેલ સુચનાથી એલસીબી ઝોન-1 પીએસઆઇ બી.વી.બોરીસાગર અને ટીમે તપાસ હાથ ધરી હ્યુમન સોર્સની મદદથી અલગ અલગ ટીમોએ ગુમ થયેલ એક યુવતી સહિત ચાર લોકોને અલગ અલગ સ્થળોએથી શોધી પરીવાર સાથે મીલન કરાવ્યું હતું.
જેમાં ગુમ થયેલ સોખડા ગામે રહેતાં અજય દામજીભાઈ રાઠોડ (ઉ.વ.21) ને સોખડા ચોકડી પાસેથી, ચિત્રકુટ પાર્ક શેરી નં. 3 માં રહેતાં બાબુભાઈ મોહનભાઈ કાકડીયા (ઉ.વ.54) ને કાલાવડના ખંઢેરા ગામેથી, મોરબી રોડ સીટી સ્ટેશન પાસે શાળા નંબર-77 પાસે, મફતીયાપરામાં રહેતાં દિનેશભાઇ આણંદજીભાઈ પરમાર (ઉ.વ.55) ને હોસ્પિટલ ચોક પાસેથી અને સહકાર મેઇન રોડ પરથી ગુમ થયેલ એક યુવતીને ગોંડલ પાસેથી શોધી લાવી પરિવારને સોંપ્યા હતાં.
જે કામગીરીમાં પીએસઆઇ બી.વી.બોરીસાગરની સાથે એએસઆઇ ભરત વાઘેલા, હેડ કોન્સ્ટેબલ વિજેન્દ્રસિંહ ઝાલા, જીતુભા ઝાલા, મનરૂપગીરી ગૌસ્વામી, ધર્મરાજસિંહ જાડેજા, કોન્સ્ટેબલ રવીરાજ પટગીર, સત્યજીતસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજાએ કામગીરી કરેલ હતી.