New Delhi,તા.27
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025નું મેગા ઓક્શન સાઉદી આરબના જેદ્દામાં યોજાયો. ફ્રેન્ચાઈઝીઓએ ખેલાડીઓ પર બોલી લગાવી. એવામાં સ્પિનર યુજવેન્દ્ર ચહલને પણ ગોલ્ડન ચાન્સ મળ્યો.
IPL 2025ના મેગા ઓક્શનમાં સ્ટાર સ્પિનર યુજવેન્દ્ર ચહલને પંજાબ કિંગ્સે 18 કરોડમાં સૌથી મોટી બોલી લગાવીને ખરીદ્યો છે. આ સાથે જ યુજવેન્દ્ર ચહલ IPL ઓક્શનના ઈતિહાસમાં સૌથી મોંઘો વેચાનારો ભારતીય સ્પિનર બન્યો છે.
ભારતીય ટીમના સ્ટાર અને અનુભવી બેટર શ્રેયસ અય્યર પર IPL ઈતિહાસની બીજી સૌથી મોટી બોલી બોલાઈ છે. તેને મિચેલ સ્ટાર્કનો 24.75 કરોડનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. અય્યરને પણ પંજાબ કિંગ્સે 26.75 કરોડ રુપિયામાં ખરીદ્યો છે.
એવામાં ચહલ અને અય્યર એક જ ટીમમાં સાથે રમતા જોવા મળશે. ચહલ અને અય્યરને એક જ ટીમ મળવા પર સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની ચર્ચા જોવા મળી રહી છે. તે સોશિયલ મીડિયા માટે મોટો મુદ્દો બની ગયો છે, કેમકે યુજવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માની સાથે શ્રેયસ અય્યરનું નામ જોડવામાં આવે છે.
યુજવેન્દ્ર ચહલને લઈને અને મીમ્સ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. ચહલ અને ધનશ્રી વર્માના સંબંધમાં ખટાસના સમાચાર પણ સામે આવ્યા હતા અને તેનું મોટું કારણ શ્રેયસ અય્યર હોવાનું માનવામાં આવતું હતું. પરંતુ આ તમામ સમાચાર પર ક્યારેય કોઈ પણ પ્રકારની પુષ્ટિ થઈ ન હતી.
હવે ધનશ્રી વર્માના પતિ યુજવેન્દ્ર ચહલ અને શ્રેયસ અય્યર બંને એક જ ટીમમાં રમી રહ્યાં છે, તો એવામાં સોશિયલ મીડિયા પર અનેક મીમ્સ વાયરલ થઈ રહ્યાં છે.
ફેન્સનું કહેવું છે કે, હવે યુજવેન્દ્ર ચહલને ચીયર કરવામાં ધનશ્રીને કોઈ મુશ્કેલી નહીં પડે કેમકે અય્યર પણ તે જ ટીમમાં હશે. કેમકે ધનશ્રી છેલ્લાં કેટલાંક સમયથી ચહલની કોઈ પણ ખુશીની વાતને ચીયર કરતી ન હતી. જો કે ધનશ્રી અને યુજી તરફથી આવા કોઈ સમાચાર નથી તો એવામાં આ રુમર્સ જ માત્ર છે.