New Delhi,તા.15
ચુંટણીપંચ દ્વારા 1961ના ચુંટણીધારામાં કરાયેલા સુધારાને પડકારતી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજયસભાના સભ્ય જયરામ રમેશની અરજી પરથી સુપ્રીમકોર્ટે આજે પંચને નોટીસ ફટકારી છે અને તા.17 માર્ચ બાદ સુનાવણી યોજાશે.
ચુંટણીપંચે કેટલાક ચુંટણી સંબંધીત દસ્તાવેજો સામાન્ય મતદારને મળી ન શકે તેવી જોગવાઈ અમલમાં મુકી છે અને આ પ્રકારના દસ્તાવેજો મેળવવા માટે ફી પણ ઉંચી નકકી કરવામાં આવી છે. જે મુદે ચુંટણીની પારદર્શકતા જળવાતી નથી તેવો વાંધો જયરામ રમેશ દ્વારા ઉઠાવાયો છે.