Ahmedabad,તા.૨૮
છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ૮,૬૮૪ કંપનીઓને નકલી જાહેર કરવામાં આવી છે, જે રદ કરવામાં આવી છે. કાગળ પર કોઈપણ પ્રકારનો ધંધો ન કરતી નકલી કંપનીઓ સામે સરકારી તંત્ર દ્વારા સમયાંતરે કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ એવા સવાલો પણ ઉઠી રહ્યા છે કે ગુજરાતમાં શેલ કંપની કોના ફાયદા માટે ફૂલીફાલી રહી છે, તેના માટે જવાબદાર કોણ, ગુજરાતમાં છેતરપિંડી વચ્ચે શેલ કંપનીઓ પણ પડી ભાંગી છે. ગુજરાતમાં ૨૦૧૯-૨૦માં ૧૭૪૦, ૨૦૨૦-૨૧માં ૨૫૨, ૨૦૨૧-૨૨માં ૩,૪૦૧, ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪માં ૨,૬૨૬.
૫ વર્ષમાં કેટલી નકલી કંપનીઓ સામે પગલાં લેવાયા છે તેમાં મહારાષ્ટ્ર ૩૬.૮૫૬,દિલ્હી ૩૫,૬૩૭.ઉત્તર પ્રદેશ,૨૨.૬૪૪ કર્ણાટક ૧૯, ૨૪૨, તમિલનાડુ ૧૬.૧૪૩,તેલંગાણા ૧૩,૭૬૪, હરિયાણા ૯,૦૪૭,રાજસ્થાન ૮.૯૯૮,ગુજરાત ૮.૬૮૪,કેરળ ૯.૭૬૩,બિહાર ૬.૮૮૭,આંધ્ર પ્રદેશ ૫,૦૯૧ છે કુલ ૮,૬૮૪ કંપનીઓને શેલ કંપનીઓ જાહેર કરવામાં આવી છે અને પાંચ વર્ષમાં તેને રદ કરવામાં આવી છે. આજે ગુજરાતીઓ જીએસટીમાં કરોડોની ચોરી, નકલી નોટો વગેરે જેવા ગુનાઓનો શિકાર બની રહ્યા છે.
યુનિયન કોર્પોરેટ મિનિસ્ટ્રી અનુસાર, કંપની રજિસ્ટ્રાર દ્વારા એવા કિસ્સામાં પગલાં લેવામાં આવે છે જ્યાં કંપનીઓ કોઈ ભૂલ કરે છે, જેમ કે એક વર્ષમાં કોઈ બિઝનેસ શરૂ ન કરવો, કોઈ ઓપરેશન ન કરવું. અને વિવિધ કેસોમાં કાર્યવાહી કરવામાં આવે છે જેમાં આવી કંપની બંધ કરવા માટે કોઈ અરજી કરવામાં આવી નથી. દેશમાં નકલી કંપનીઓના મામલે મહારાષ્ટ્ર, દિલ્હી અને ઉત્તર પ્રદેશ ટોચ પર છે, જ્યારે નકલી કે શેલ કંપનીઓની સંખ્યાના મામલે ગુજરાત દેશમાં નવમા સ્થાને છે. ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૩૬,૮૫૬ કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.