New Delhi,તા.16
નવેમ્બરમાં અણધાર્યો ઉછાળો આવ્યા બાદ ડિસેમ્બરમાં સોનાની આયાતમાં ગત વર્ષની સરખામણીમાં લગભગ 58% નો વધારો નોંધાયો છે. બુધવારે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર, ડિસેમ્બરમાં 4.7 (અંદાજે રૂ. 39961 કરોડ)ના સોનાની આયાત કરવામાં આવી હતી.
જે ગત વર્ષે આજ મહિના કરતાં 55.4% વધુ હતી. આ સાથે ડિસેમ્બરમાં તમામ માલસામાનની કુલ આયાત એક વર્ષ અગાઉની સરખામણીમાં 4.9% વધીને 59.95 અબજ ડોલર પર પહોંચી ગઈ છે. નિકાસ સતત બીજા મહિને ઘટી છે. તે ગત વર્ષની સરખામણીમાં 0.99% ઘટીને 38.01 બિલિયન થયું છે.
નવેમ્બરમાં સોનાની આયાત 14.8 અબજ ડોલરની સરખામણીએ ગત વર્ષ કરતા 331 ટકા વધુ હતું. તેના કારણે વેપાર ખાધ પણ 37.84 અબજ ડોલરની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગઈ છે.
મંત્રાલયે સોનાની આયાતનો આંકડા નું સંશોધન કરી 9.8 બિલિયન ડોલર કર્યો અને વાર્ષિક વધારો 188% થયો. તેના કારણે વેપાર ખાધ પણ ઘટીને 32.8 અબજ ડોલર થઈ ગઈ છે.
આ અંગે વાણિજ્ય સચિવ સુનીલ વડથવલ એ બુધવારે જણાવ્યું હતું કે સાચા ડેટા જાહેર કરવાની સિસ્ટમમાં સુધારો કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે.તેમણે કહ્યું કે આંકડાઓ ની સતત ચકાસણી થઈ રહી છે અને મંત્રાલય ગ્લોબલ પ્રેકિટસેજ અનુસાર આ સંદર્ભે કામ કરી રહ્યું છે.
ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ અશ્વની કુમારે જણાવ્યું હતું કે, કોમોડિટી અને મેટલની કિંમતોની સાથે ચલણમાં વધઘટ અને આંતરરાષ્ટ્રીય વેપાર સંબંધિત મુદ્દાઓની અસર નિકાસ પર પડી હતી. તેમણે કહ્યું કે આગામી બજેટમાં નિકાસકારોને મદદ કરવા માટે પગલાં લેવાની જરૂર છે