Jetpur,તા.2
જેતપુરના થાણાગાલોળ ગામે છોટે સરદાર સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવેલ હતું.તેની સાથોસાથ લેઉઆ પટેલ સમાજ ભવનનું ખાતમુહૂર્ત અને નવનિર્મિત આંગણવાડીના લોકોર્પણ કરવામાં આવેલ હતું.
રાજકોટ જિલ્લા બેંક જી.એસ.સી.બેંક ઈફકો નવી દિલ્હી તથા સર્વોદય સેવા સહકારી મંડળી થાણા ગાલોળના સંયુકત ઉપક્રમે યુવા સહકારી નેતા જયેશ રાદડીયાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રવિપાક શિબીર, રકતદાન કેમ્પ અને રકતતુલાના કાર્યક્રમ પણ યોજવામાં જયેશભાઈ રાદડીયાની રકતતુલા કરવામાં આવી હતી.કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ દંડક કૌશીકભાઈ વેકરીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં.