Jamnagar, તા.05
સ્વ આર. એસ. શાહ આયુર્વેદ હોસ્પિટલ દ્વારા તા. ૧૯ નવેમ્બર ૨૦૨૪ થી ૨૧ નવેમ્બર ૨૦૨૪ દરમિયાન સ્વ આર.એસ. શાહ હોસ્પિટલ આયુર્વેદ હોસ્પિટલ (ગાર્ડી વિદ્યાપીઠ), આણંદપર કાલાવડ રોડ રાજકોટ ખાતે નિઃશુલ્ક મેગા સર્જીકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ મેગા સર્જિકલ કેમ્પનો ૩૫ થી વધુ દર્દીઓએ લાભ લીધો.
આ સર્જીકલ કેમ્પમાં હરસ- મસા -ભગંદર, લોહી પડવું જેવા મળમાર્ગ ના રોગો, સારણગાંઠ ,ચામડી પરના મસા, રસોડી, શરીરના કોઈપણ ભાગમાં ગાંઠ, કપાસી, કાનની બુટ સાંધવી, સુન્નત નું ઓપરેશન, ન રૂઝાતા ઘા (ડાયાબીટીક ફૂટ), આંખ પર થતા સૂકા મસા, આંખમાં થતી વેલ અને ગાંઠ દાંતનો સડો દૂર કરવો, મોઢામાં થતી ચાંદી, દાંતના ચોકઠાં બેસાડવા, દાંતમાં સિમેન્ટ ભરવી, દાંત કઢાવવા, ડહાપણ દાઢની સર્જરી, રૂટ કેનાલ ટ્રીટમેન્ટ, કેન્સર દ્વારા બંધ થયેલું મોં ખોલવું વગેરે જેવા રોગોનું નિદાન અને સારવાર વિનામૂલ્યે કરવામાં આવેલ.
આ કેમ્પમાં સર્જરીમાં નિષ્ણાંત તબીબો ડૉ. શાહેદા લોખંડવાલા, ડૉ. નમ્રતા સોજીત્રા, ડૉ. અંકિત લાડાણી, ડૉ. પ્રિયલ ઘોનીયા તેમજ આંખ – નાક – ગળાના રોગોમાં નિષ્ણાંત તબીબો ડૉ.જયેશ કાત્રોડીયા, ડૉ.વરુણ સેટિયા, ડેન્ટિસ્ટ ડૉ. વિવેક દક્ષિણી, અને ડૉ.ઉમેશ પંડ્યા સહિતના તબીબો જોડાયા હતા. આ કેમ્પના સફળ આયોજન માટે ગાર્ડી વિદ્યાપીઠના મેનેજિંગ ડિરેક્ટર જયભાઈ મેહતા, આયુર્વેદ કૉલેજના પ્રિન્સીપાલ શ્રી ડૉ. રવિકાન્ત ગોયલ અને ડૉ. ગિરિરાજસિંહ ગોહિલ સાહેબે તબીબોને અભિનંદન પાઠવ્યા હતા