માછીમાર આગેવાનો દ્વારા માચ્છીમારો માટે જરૂરી મુળભૂત જરૂરિયાતો, ભવિષ્યનાં સમય માટે ઉભી કરવાની થતી સુવિધાઓ બાબતે રજૂઆત કરી
Veraval,તા,18
ખારવા સંયુકત માચ્છીમાર બોટ એશોસીએશન (સાગરપુત્ર ફાઉન્ડેશન) નાં પ્રમુખ તુલસીભાઈ ગોહેલની યાદી જણાવે છે કે, ન્યુ દિલ્હીથી આવેલ ફીશરીઝ ખાતાનાં જોઈન્ટ સેફ઼ેટરી શ્રી નિતુકુમારી પ્રસાદ તેમજ જોઈન્ટ કમિશ્નર પાંડે તેમજ કેન્દ્ર સરકારનાં ફીશરીઝ ખાતાનાં અધિકારીઓ તથા સ્થાનિક ફીશરીઝ અધિકારીઓ ઘ્વારા આજરોજ વેરાવળ બંદરની મુલાકાત લીધેલ હતી અને હાલ વેરાવળ બંદરે ચાલતી ફેસ-ર યોજના અંતર્ગતનાં કામોનું નિરીક્ષણ કરી સમિક્ષા કરવામાં આવેલ.આ મુલાકાત દરમ્યાન બન્ને અધિકારીઓ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થાનિક માચ્છીમાર આગેવાનો ઘ્વારા રૂબરૂ ચર્ચા કરવામાં આવેલ,જેમાં માચ્છીમારો માટે જરૂરી મુળભૂત જરૂરિયાતો, ભવિષ્યનાં સમય માટે ઉભી કરવાની થતી સુવિધાઓ બાબતે રજૂઆતો કરવામાં આવેલ. તદૃઉપરાંત વિશાળ દરિયાની અંદર માચ્છીમારી માટેની નવી તકો ઉભી થાય અને ડીપ-સી ફીશીંગ કરવા માટેની સ્કીલ ડેવલપ કરવા માટે તેમજ માછલીની ગુણવતા વધુ સારી રીતે જળવાય તેવી રીતે બોટોમાં આધુનિકરણ કરવા સહિતની બાબતો માટે સ્થાનિક માચ્છીમારો માટે વિવિધ ટ્રેનીંગ સેન્ટરો ઉભા કરવા બાબતે પણ સ્થાનિક માચ્છીમાર આગેવાનો ઘ્વારા રજૂઆતો કરવામાં આવેલ હતી.