Melbourne,તા.31
ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન રોહિત શર્માએ આક્રમક શોટ પર પોતાની વિકેટ ગુમાવનાર ઋષભ પંતને કહ્યું કે, તેને સમજવું પડશે કે તેનાં માટે શું મહત્વનું છે. પંત આ મેચની પ્રથમ ઇનિંગમાં પણ બેજવાબદાર શોટ રમીને આઉટ થયો હતો.
સોમવારે જ્યારે રોહિતને પંતના આઉટ થવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે મજાકમાં પૂછ્યું કે ’આજે કે તે દિવસે.” તેણે કહ્યું કે, ’આજે અમે કોઈ ચર્ચા કરી નથી. અમે હમણાં જ મેચ હારી છે અને તે અંગે દરેક વ્યક્તિ નિરાશ છે.
રોહિતે કહ્યું કે, અમે આ પરિણામ વિશે વિચાર્યું ન હતું. પંતે આ સમજવાની જરૂર છે કે તેમનાં માટે શું મહત્વનું છે. રોહિતે કહ્યું કે, કોઈ પંતને આ બાબતો વિશે કહે તેનાં કરતાં તેને જાતે જ આ બાબતો સમજવાની જરૂર છે.