તેમણે દાવો કર્યો હતો કે, આ ચૂંટણીમાં NDA બિહારની ૨૪૩ બેઠકોમાંથી ૧૬૦થી વધુ બેઠકો પર જીત મેળવશે
Patna, તા.૮
બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫માં NDA ના મુખ્યમંત્રી પદના ચહેરાને લઈને ઊભા થઈ રહેલા સવાલો વચ્ચે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહે તમામ ગૂંચવણો દૂર કરી દીધી છે. શુક્રવારે (૭ નવેમ્બર) રાજનાથ સિંહે સ્પષ્ટતા કરી કે, ચૂંટણી પછી પણ નીતિશ કુમાર જ બિહારના મુખ્યમંત્રી બનશે.
તેમણે દાવો કર્યો હતો કે, આ ચૂંટણીમાં NDA બિહારની ૨૪૩ બેઠકોમાંથી ૧૬૦થી વધુ બેઠકો પર જીત મેળવશે. ઉલ્લેખનીય છે કે, મહાગઠબંધન દ્વારા તેજસ્વી યાદવને મુખ્યમંત્રી ઉમેદવાર જાહેર કર્યા બાદ વિપક્ષ દ્ગડ્ઢછના મુખ્યમંત્રીના ચહેરાની સત્તાવાર જાહેરાત માટે સતત માંગ કરી રહ્યો હતો.
એક ઇન્ટરવ્યુમાં રાજનાથ સિંહે મુખ્યમંત્રીના ચહેરાના સવાલનો જવાબ આપતા કહ્યું કે, NDA નીતિશ કુમારના નેતૃત્વમાં જ ચૂંટણી લડી રહ્યું છે. સ્વાભાવિક છે કે ચૂંટણી પછી પણ તેઓ જ મુખ્યમંત્રી હશે. NDA ની રેલીઓમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તેના પરથી નિશ્ચિતપણે લાગે છે કે ગઠબંધનને બે-તૃતિયાંશ બહુમતી મળશે. મહિલાઓને વિશ્વાસ છે કે નીતિશ કુમારના શાસનમાં (RJD ના શાસનથી વિપરીત) કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે છે.
ભાજપ અને ચિરાગ પાસવાનના પક્ષ ન્ત્નઁ (રામવિલાસ)માંથી એક-એક નાયબ મુખ્યમંત્રી હશે તેવા અટકળો પર તેમણે કહ્યું કે, ભવિષ્યમાં જે કંઈ પણ નક્કી થશે, તે સર્વસંમતિથી નક્કી કરવામાં આવશે. તેમજ તેમણે કહ્યું કે, ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષના નામની જાહેરાત બિહાર ચૂંટણી પછી થઈ શકે છે.
આ સિવાય રાજનાથ સિંહે બિહારની ચૂંટણીમાં પ્રશાંત કિશોરના ’જન સુરાજ’ પક્ષના પ્રભાવને નકાર્યો અને દાવો કર્યો કે આ પક્ષ એક પણ બેઠક જીતી શકશે નહીં.

