Mumbai,તા.૧૧
ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ટીમ ઈન્ડિયા ખરાબ રીતે નિષ્ફળ ગઈ. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય બેટ્સમેન નિષ્ફળ ગયા. જસપ્રીત બુમરાહ સિવાય, ભારતીય બોલિંગ પણ નબળી રહી. પરિણામ એ આવ્યું કે ઓસ્ટ્રેલિયાએ ૫ મેચની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને ૩-૧થી હરાવ્યું અને ૧૦ વર્ષ પછી મ્ય્ પર કબજો કર્યો એટલું જ નહીં, પરંતુ સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ની ફાઇનલમાં પણ પ્રવેશ કર્યો. હવે ઓસ્ટ્રેલિયન ટીમ લોર્ડ્સ ખાતે ઉ્ઝ્ર ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાનો સામનો કરશે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં એક મહાન ભારતીય બોલરની નિવૃત્તિ પણ જોવા મળી. ગાબા ખાતે ત્રીજી ટેસ્ટ ડ્રો થયા પછી તરત જ, અનુભવી સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. આ પછી અશ્વિન શ્રેણીની વચ્ચે ભારત પાછો ફર્યો. બોર્ડર-ગાવસ્કર શ્રેણીના અંત પછી, બીજા સ્પિનરના નિવૃત્તિ અંગે અટકળો ચાલી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર થયા બાદ નિવૃત્તિ અંગેની અટકળોને વધુ વેગ મળ્યો છે.
ખરેખર, સ્ટાર ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક તસવીર શેર કરી છે, જેના પછી તેમના નિવૃત્તિ અંગે અટકળો શરૂ થઈ ગઈ છે. જાડેજાએ પોતાની ટેસ્ટ જર્સીનો ફોટો ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો, જે થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. જાડેજાએ આ ફોટો કોઈ પણ કેપ્શન વગર શેર કર્યો છે, જેના કારણે તેમની નિવૃત્તિ અંગેની અટકળો વધી ગઈ છે. ચાહકો હવે જાડેજાના જર્સીના ફોટાને તેની નિવૃત્તિ સાથે જોડી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન વિરાટ કોહલી અને રોહિત શર્માને શરમજનક પ્રદર્શન બદલ ટીકાનો સામનો કરવો પડ્યો હતો. રવિન્દ્ર જાડેજાને પણ પોતાના ખરાબ પ્રદર્શન માટે ચાહકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. આ અનુભવી ઓલરાઉન્ડર ટેસ્ટ શ્રેણીમાં બેટ અને બોલ બંનેથી યોગદાન આપવામાં નિષ્ફળ ગયો. ૫ મેચની ટેસ્ટ શ્રેણીમાં જાડેજાએ ફક્ત ૧૩૫ રન બનાવ્યા અને ફક્ત ૪ વિકેટ લીધી.
ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી સમાપ્ત થયા બાદ, ટીમ ઈન્ડિયા હવે ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે ૫ મેચની ્૨૦ૈં શ્રેણી અને ૩ મેચની વનડે શ્રેણી રમશે. ગયા વર્ષે ટી ૨૦ વર્લ્ડ કપ જીત્યા બાદ જાડેજાએ ્ટી ૨૦ ફોર્મેટને અલવિદા કહી દીધું હતું. હવે એ જોવું રસપ્રદ રહેશે કે તેનેર્ ંવનડે શ્રેણીમાં સ્થાન મળે છે કે નહીં.