Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh: કોંગ્રેસ દ્વારા વોર્ડ નં. ૧ થી ૧૫ ના વોર્ડ પ્રમુખો માટે સેન્સ લેવાશે

    August 2, 2025

    ખાડા ગઢ Junagadh માં ભાજપના ચિન્હ કમળના ચિત્રને ઊંધું રાખી નવતર વિરોધ કરાયો

    August 2, 2025

    Ardoi નો ઉપસરપંચ છું તમારે મને પૂછ્યા વગર તાસ કાઢો છો તેમ કહી બે યુવકને માર માર્યા

    August 2, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh: કોંગ્રેસ દ્વારા વોર્ડ નં. ૧ થી ૧૫ ના વોર્ડ પ્રમુખો માટે સેન્સ લેવાશે
    • ખાડા ગઢ Junagadh માં ભાજપના ચિન્હ કમળના ચિત્રને ઊંધું રાખી નવતર વિરોધ કરાયો
    • Ardoi નો ઉપસરપંચ છું તમારે મને પૂછ્યા વગર તાસ કાઢો છો તેમ કહી બે યુવકને માર માર્યા
    • Jasdan નજીક ગાંજા ના જથ્થા સાથે નામચીન જશવંત સદાદિયા ઝડપાયો
    • Dhoraji નજીક યુવકનું ડમ્પરની ઠોકરે કાળનો કોળિયો
    • Keshod ના અગતરાઈ ગામેં છૂટાછેડાના 10 લાખ માંગી ધમકી અપાતા યુવકનો આપઘાત
    • Rajkot: ESI કોર્ટનો 50% ડેમેજીસ ભરવાનો હુકમ મંજૂર
    • Rajkot: કેવલમ ક્વાર્ટરમાં જુગાર રમતા સાત પત્તા પ્રેમી ઝડપાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, August 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»માનહાનિના કેસમાં કોંગ્રેસ નેતાRahul Gandhiને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી
    રાષ્ટ્રીય

    માનહાનિના કેસમાં કોંગ્રેસ નેતાRahul Gandhiને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી

    Vikram RavalBy Vikram RavalJanuary 20, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.20

    માનહાનિના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી ગઈ છે. સુપ્રીમ કોર્ટે આગામી આદેશ સુધી ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર સ્ટે લગાવી દીધો છે. જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની ખંડપીઠે કેસ રદ કરવાની માગ કરતી રાહુલ ગાંધીની અરજી પર ઝારખંડ સરકાર અને ફરિયાદી પાસેથી જવાબ પણ માગ્યો છે.

    ફરિયાદ કોઈ ત્રીજા પક્ષ દ્વારા દાખલ કરવામાં આવી

    સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન રાહુલ ગાંધી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ એ વાત પર પ્રકાશ પાડ્યો હતો કે, ફરિયાદ કોઈ ત્રીજા પક્ષ દ્વારા દાખલ કરવામાં આવી હતી અને માનહાનિના ગુનાના કેસમાં આવું કરવું સ્વીકાર્ય નથી. સિંઘવીએ પૂછ્યું કે, જો તમે પીડિત વ્યક્તિ નથી તો ફરિયાદ નોંધાવવા માટે પ્રોક્સી કેવી રીતે મેળવી શકો છો? 

    સુપ્રીમ કોર્ટે ઝારખંડ સરકાર અને નવીન ઝાને નોટિસ મોકલી

    બીજી તરફ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમ કોર્ટે ઝારખંડ સરકાર અને ફરિયાદી ભાજપ કાર્યકર નવીન ઝાને નોટિસ મોકલી છે. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ભાજપ નેતા નવીન ઝાએ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને આરોપ લગાવ્યો કે, રાહુલ ગાંધીએ 18 માર્ચ, 2018ના રોજ ભાજપની ટીકા કરતું ભાષણ આપ્યું હતું અને અમિત શાહ પર હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો અને તેમને ખુની કહ્યા હતા. શરૂઆતમાં રાંચીની મેજિસ્ટ્રેટ કોર્ટે ઝાની ફરિયાદ ફગાવી દીધી હતી, ત્યારબાદ તેમણે રાંચીમાં ન્યાયિક કમિશનર સમક્ષ પુનર્વિચાર અરજી દાખલ કરી હતી.

    15 સપ્ટેમ્બર 2018ના રોજ રાંચીના ન્યાયિક કમિશનરે ફરિયાદ અરજીને ફગાવી દેવાના આદેશને પલટી નાખ્યો અને તેને મેજિસ્ટ્રેટ કોર્ટમાં પાછો મોકલ્યો. ન્યાયિક કમિશનરે મેજિસ્ટ્રેટને રેકોર્ડ પરના પુરાવાઓની ફરીથી સમીક્ષા કરવા અને કેસ આગળ વધારવા માટે પ્રથમ દ્રષ્ટિએ સામગ્રી નક્કી કરીને નવો આદેશ જારી કરવાનો નિર્દેશ આપ્યો હતો.

    રાહુલ ગાંધીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો

    ત્યારબાદ મેજિસ્ટ્રેટે 28 નવેમ્બર 2018ના રોજ એક નવો આદેશ પસાર કર્યો અને તારણ કાઢ્યું કે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 500 હેઠળ ગાંધી વિરુદ્ધ પ્રથમ દૃષ્ટિએ કેસ સ્થાપિત કરવા માટે પૂરતા પુરાવા છે. પરિણામે મેજિસ્ટ્રેટે રાહુલ ગાંધીને હાજર થવા માટે સમન્સ જારી કર્યું. ત્યારબાદ ગાંધીએ રાંચી જ્યુડિશિયલ કમિશનરના 15 સપ્ટેમ્બર 2018ના આદેશને પડકારતા હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

    સિંગલ જજ જસ્ટિસ અંબુજ નાથે જાણવા મળ્યું કે ગાંધીજીએ કહ્યું હતું કે ભાજપના નેતાઓ જૂઠા છે જેઓ સત્તાના નશામાં છે અને ભાજપના કાર્યકરો હત્યાના આરોપી વ્યક્તિને પોતાના અધ્યક્ષ તરીકે સ્વીકારશે. હાઈકોર્ટે કહ્યું કે, ગાંધીના આ નિવેદનો ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 499 હેઠળ પ્રથમદ્રષ્ટિએ અપમાનજનક છે. પ્રથમ દૃષ્ટિએ  રાહુલ ગાંધીના નિવેદન પરથી એવું લાગે છે કે, ભાજપનું નેતૃત્વ સત્તાના નશામાં છે અને તેમાં છેતરપિંડી કરનારા લોકો સામેલ છે.

    રાહુલ ગાંધીએ હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો

    અરજીમાં રાહુલ ગાંધીએ ઝારખંડ હાઈકોર્ટના 22 ફેબ્રુઆરી 2024ના નિર્ણયને પડકાર્યો છે. હાઈકોર્ટે માનહાનિના કેસને રદ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. વાસ્તવમાં બીજેપી કાર્યકર નવીન ઝાએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

    Rahul Gandhi Supreme Court
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Rohan Jaitley મારા પિતાનું ૨૦૧૯માં નિધન થયું તો ૨૦૨૦માં તેમણે રાહુલ ગાંધીને કેવી રીતે ધમકાવ્યા?

    August 2, 2025
    રાષ્ટ્રીય

    મહિલાઓ અંગે વિવાદિત ટિપ્પણી બાદ Sadhvi Ritambhara એ તરત માફી માગી

    August 2, 2025
    રાષ્ટ્રીય

    Himachal માં ૩ જગ્યાએ આભ ફાટ્યું, ધાર્મિક યાત્રા અટકી

    August 2, 2025
    રાષ્ટ્રીય

    Kashmir ના કુલગામમાં શુક્રવાર મોડી રાતથી ઓપરેશન જારી

    August 2, 2025
    રાષ્ટ્રીય

    Rahul Gandhi એ ફરી એકવાર ચૂંટણી પંચ પર જોરદાર શાબ્દિક હુમલો કર્યો

    August 2, 2025
    રાષ્ટ્રીય

    Indian Railways તરફથી મુસાફરોને ભાડામાં મળી શકે છે છૂટ

    August 2, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Junagadh: કોંગ્રેસ દ્વારા વોર્ડ નં. ૧ થી ૧૫ ના વોર્ડ પ્રમુખો માટે સેન્સ લેવાશે

    August 2, 2025

    ખાડા ગઢ Junagadh માં ભાજપના ચિન્હ કમળના ચિત્રને ઊંધું રાખી નવતર વિરોધ કરાયો

    August 2, 2025

    Ardoi નો ઉપસરપંચ છું તમારે મને પૂછ્યા વગર તાસ કાઢો છો તેમ કહી બે યુવકને માર માર્યા

    August 2, 2025

    Jasdan નજીક ગાંજા ના જથ્થા સાથે નામચીન જશવંત સદાદિયા ઝડપાયો

    August 2, 2025

    Dhoraji નજીક યુવકનું ડમ્પરની ઠોકરે કાળનો કોળિયો

    August 2, 2025

    Keshod ના અગતરાઈ ગામેં છૂટાછેડાના 10 લાખ માંગી ધમકી અપાતા યુવકનો આપઘાત

    August 2, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh: કોંગ્રેસ દ્વારા વોર્ડ નં. ૧ થી ૧૫ ના વોર્ડ પ્રમુખો માટે સેન્સ લેવાશે

    August 2, 2025

    ખાડા ગઢ Junagadh માં ભાજપના ચિન્હ કમળના ચિત્રને ઊંધું રાખી નવતર વિરોધ કરાયો

    August 2, 2025

    Ardoi નો ઉપસરપંચ છું તમારે મને પૂછ્યા વગર તાસ કાઢો છો તેમ કહી બે યુવકને માર માર્યા

    August 2, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.