Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    “દે દે પ્યાર દે ૨”ના સેટ ઉપર ઘાયલ થઈ હતી Rakul Preet Singh

    November 22, 2025

    Aishwarya Rai પિતાના જન્મ દિવસ પર કરી ભાવુક પોસ્ટ

    November 22, 2025

    Ahan Pandey and Anita Padda વચ્ચે કોઈ રોમેન્ટિક સંબંધ નથી

    November 22, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • “દે દે પ્યાર દે ૨”ના સેટ ઉપર ઘાયલ થઈ હતી Rakul Preet Singh
    • Aishwarya Rai પિતાના જન્મ દિવસ પર કરી ભાવુક પોસ્ટ
    • Ahan Pandey and Anita Padda વચ્ચે કોઈ રોમેન્ટિક સંબંધ નથી
    • મમદાની અને ટ્રમ્પની વ્હાઈટ હાઉસમાં મુલાકાત
    • Israel ને હમાસની સાત કિ.મી. લાંબી ૮૦ રૂમ ધરાવતી ટનલ મળી
    • MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
    • આરબીઆઈ દ્વારા ડિસેમ્બર માસમાં રેપો રેટમાં ૦.૨૫% ઘટાડાની શક્યતા : મોર્ગન સ્ટેન્લી
    • કોર ઈન્ડસ્ટ્રીઝની વૃદ્ધિ અટકી, ઓક્ટોબર માસમાં વૃદ્ધિ શૂન્ય…!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, November 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»રાજ્યના ૭.૫૮ લાખ Untraceable- Drop Out બાળકોને શોધવા સર્વે કરાશે
    અમદાવાદ

    રાજ્યના ૭.૫૮ લાખ Untraceable- Drop Out બાળકોને શોધવા સર્વે કરાશે

    Vikram RavalBy Vikram RavalNovember 9, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ડ્રોપ આઉટ અને અનટ્રેસ બાળકોને શોધવાની કામગીરીનો સર્વે ૩૦ નવેમ્બર સુધી પૂર્ણ કરાશે

    Ahmedabad, તા.૯

    રાજ્યના ૭.૫૮ લાખ જેટલા અનટ્રેસ અને ડ્રોપઆઉટ બાળકોનો સર્વે કરી તેમને પુનઃ શાળામાં દાખલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં આવા બાળકોનો સર્વે કરવા માટે સુચના અપાઈ છે. આ માટે ૩૦ નવેમ્બર સુધીમાં તમામ પ્રકારની કામગીરી પુર્ણ કરવા આદેશ આપવામાં આવ્યો છે. અગાઉ ઓક્ટોબર અને એપ્રિલ દરમિયાન સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ૧.૧૫ લાખ બાળકોની એન્ટ્રી કરવામાં આવી હતી. આમ, છતાં હજુ મોટી સંખ્યામાં બાળકો અનટ્રેક હોવાથી તેમનો સર્વે કરવા માટે જણાવાયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સમગ્ર શિક્ષા અંતર્ગત દર વર્ષે જુદાજુદા કારણોથી શાળા બહાર રહેલા ૬થી ૧૯ વર્ષની વયજૂથના બાળકો અને જેઓ પોતાનું ધોરણ-૧થી ૧૨નું શિક્ષણ પુર્ણ કરી શક્યા નથી તેવા શાળા બહારના બાળકોનો સર્વે કરી તેમના શૈક્ષણિક પુનર્વસનની કામગીરી કરવામાં આવે છે. રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર છે, જે અન્વયે બાળકોનો સર્વે કરીને બાળકોની વયને અનુરૂપ શૈક્ષણિક પુનઃ વસન અને જરૂર પડે તો ખાસ તાલીમ આપવામાં આવે છે. શિક્ષણ વિભાગના ડાયસના ડેટા મુજબ પ્રારંભિકથી માધ્યમિક કક્ષાનો ટ્રાન્ઝીશનરેટ ઓછો છે. ધોરણ-૬થી ૮ અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ ડ્રોપઆઉટ રેટ વધારે છે, આ બાળકોને મુખ્યધારામાં લાવવા માટે બાળકોનો સર્વે કરવા માટે આદેશ અપાયો છે. રાજ્યના ધોરણ-૧થી ૫નો ડ્રોપ આઉટ રેટ ૧.૧૭, ધોરણ-૧થી ૭નો ડ્રોપ આઉટ રેટ ૨.૬૮, ધોરણ-૯થી ૧૦નો ડ્રોપ આઉટ રેટ ૨૩.૨૮ અને ધોરણ-૧૧થી ૧૨નો ડ્રોપ આઉટ રેટ ૬.૧૯ છે. આ ઉપરાંત શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાળકની વયકક્ષા મુજબ જે તે ધોરણમાં નામાંકનના પ્રયાસો કરવામાં આવે છે. ઉપરાંત ધોરણ-૫ના તમામ બાળકો ધોરણ-૬માં પ્રવેશે તે માટે અને ધોરણ-૮ના તમામ બાળકો ધોરણ-૯માં નામાંકન થાય તેના માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે. આમ, છતાં ઘણા બાળકો અનટ્રેક રહેલા છે. રાજ્યમાં અનટ્રેક અને ડ્રોપઆઉટ રહેલા બાળકોની સંખ્યા ૭.૫૮ લાખ જેટલી છે. આ ડ્રોપ આઉટ રેટ અને ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં અનટ્રેક બાળકોની માહિતીના અનુસંધાને માનવ વસાહત ધરાવતા કેટલાક વિસ્તારોના બાળકો કોઈ કારણોથી આવરી ન લેવાયેલા હોય અથવા શિક્ષણ મુખ્યધરામાંથી અધવચ્ચેથી શિક્ષણ થોડી દીધેલા હોય તેવા ૬થી ૧૯ વર્ષની વયજૂથના શાળા બહારના બાળકોની સર્વે પ્રક્રિયા દ્વારા ઓળખાણ કરવા માટે સુચના અપાઈ છે. ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે ઓક્ટોબર, ૨૦૨૩ અને એપ્રિલ, ૨૦૨૪ના રોજ શાળા બહારનો સર્વે કરવાની સુચના આપવામાં આવી હતી. જેના પગલે જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએથી થયેલા સર્વે અને સર્વે મુજબ દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં સર્વે દરમિયાન ૧.૧૫ લાખ બાળકોની એન્ટ્રી કરવામાં આવી હતી, જ્યારે ૬૭ હજાર દરખાસ્ત કરાઈ હતી. મોટી સંખ્યામાં એન્ટ્રી અને દરખાસ્ત પછી પણ ડ્રોપ આઉટ રેટ અને અનટ્રેક બાળકોની સંખ્યા વધુ હોવાથી તેમને સમાવવા માટે નવેમ્બર માસમાં સર્વે કરવા માટે સુચના આપવામાં આવી છે. જેમાં સર્વેયર દ્વારા ૧૬ નવેમ્બર સુધી સર્વે કરવામાં આવશે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    વિદ્યાર્થીએ સ્કૂલના બીજા માળેથી પડતું મૂકીને આપઘાતનો પ્રયાસ કર્યો

    November 22, 2025
    સુરત

    Surat : નકલી દસ્તાવેજો સાથે અફઘાની નાગરિક ઝડપાયો

    November 22, 2025
    મોરબી

    Morbi: હળવદના ચરાડવા પાસે ડમ્પર-બાઈકની વચ્ચે ટક્કર થઇ

    November 22, 2025
    વડોદરા

    Vadodara: આજથી લંગડી નેશનલ્સ ચેમ્પિયનશીપનો પ્રારંભ

    November 22, 2025
    સુરત

    Surat: વાલોડમાં BLO સહાયક મહિલા આચાર્યનું નિધન થયું

    November 22, 2025
    ગુજરાત

    ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવાયો

    November 22, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    “દે દે પ્યાર દે ૨”ના સેટ ઉપર ઘાયલ થઈ હતી Rakul Preet Singh

    November 22, 2025

    Aishwarya Rai પિતાના જન્મ દિવસ પર કરી ભાવુક પોસ્ટ

    November 22, 2025

    Ahan Pandey and Anita Padda વચ્ચે કોઈ રોમેન્ટિક સંબંધ નથી

    November 22, 2025

    મમદાની અને ટ્રમ્પની વ્હાઈટ હાઉસમાં મુલાકાત

    November 22, 2025

    Israel ને હમાસની સાત કિ.મી. લાંબી ૮૦ રૂમ ધરાવતી ટનલ મળી

    November 22, 2025

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    November 22, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    “દે દે પ્યાર દે ૨”ના સેટ ઉપર ઘાયલ થઈ હતી Rakul Preet Singh

    November 22, 2025

    Aishwarya Rai પિતાના જન્મ દિવસ પર કરી ભાવુક પોસ્ટ

    November 22, 2025

    Ahan Pandey and Anita Padda વચ્ચે કોઈ રોમેન્ટિક સંબંધ નથી

    November 22, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.