સીમા કૌલ અને વિશાલની કૌલ નામની બે પંડિત મહિલાઓના કેસમાં હાઇકોર્ટે આ આદેશ આપ્યો હતો
Jammu, તા.૨
કાશ્મીરમાંથી વિસ્થાપિત થયેલી પંડિત મહિલાઓની તરફેણમાં એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતા જમ્મુ-કાશ્મીર એન્ડ લદ્દાખની હાઇકોર્ટે જણાવ્યું હતું કે સુરક્ષાના કારણોસર ખીણમાંથી ભાગી ગયેલી કાશ્મીરી પંડિત મહિલા બિન-વિસ્થાપિત વ્યક્તિ સાથે લગ્ન કરે તો પણ તે વિસ્થાપિતનો દરજ્જો ગુમાવશે નહીં. હાઇકોર્ટે HC રોજગાર પેકેજ હેઠળ પસંદ કરાયેલ બે મહિલાઓની તરફેણમાં સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (ઝ્રછ્) આપેલા આદેશને યોગ્ય ઠેરવ્યો હતો. સીમા કૌલ અને વિશાલની કૌલ નામની બે પંડિત મહિલાઓના કેસમાં હાઇકોર્ટે આ આદેશ આપ્યો હતો. આ બંને મહિલાઓની કાશ્મીરી વિસ્થાપિત માટેની પીએમ પેકેજ હેઠળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ રાહત, પુનર્વસન અને પુનઃનિર્માણ વિભાગમાં કાયદાકીય સહાયકના પદ પર કામચલાઉ પસંદગી થઈ હતી. પરંતુ એવા આધારે તેમને નિમણૂક અપાઈ ન હતી કે તેઓએ બિન-વિસ્થાપિત વ્યક્તિઓ સાથે લગ્ન કરીને વિસ્થાપિતનો દરજ્જો ગુમાવ્યો છે. આ પછી બંને મહિલાઓએ ૨૦૧૮માં હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટે જણાવ્યું હતું કે આતંકવાદના ખતરાને કારણે કાશ્મીર ખીણમાં પોતાનું ઘર છોડવાની ફરજ પડી હોય હોવાથી મહિલાને વિસ્થાપિત દરજ્જો મળ્યો હતો. હવે તે બિન વિસ્થાપિત વ્યક્તિ સાથે લગ્ન કરે તો તેની સાથે ભેદભાવ કરીને તેનો આ દરજ્જો છીનવી શકાય નહીં. વિસ્થાપિતનો દરજ્જો છીનવી લેવો તે માનવતાની વિરુદ્ધ હશે. આ કેસમાં મહિલાઓ પીડિત છે અને તેમનો કોઈ દોષ ન હોવા છતાં તેમણે કાશ્મીર ખીણમાં તેમનું મૂળ ઘર છોડવું પડ્યું હતું. એક વિસ્થાપિત તરીકે નોકરી મેળવવા તે અપરિણીત રહે તેવી અપેક્ષા રાખી શકાય નહીં. હાઇકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે ત્રાસવાદને કારણે ઘણી મહિલાઓએ હિજરત કરી હતી અને દરેક મહિલાને પોતાના માટે વિસ્થાપિત પુરુષ જ જીવનસાથી માટે મળે તેવું માનવું વાજબી નથી. જો કાશ્મીર પુરુષ બિનવિસ્થાપિત સાથે લગ્ન કરે તો તેઓ વિસ્થાપિતનો દરજ્જો ગુમાવતા નથી, તેથી મહિલા સાથેનો આ ભેદભાવ વધુ નિર્લજ્જ બને છે. આવી સ્થિતિ માનવ જાતિમાં પ્રવર્તતી પુરુષપ્રધાન પ્રથાને કારણે જ સર્જાી છે.