કોરોના કાળ પછી વર્ક ફ્રોમ હોમ સામાન્ય થઈ પડયું છે. હવે પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ હોવા છતાં કોર્પોરેટ કંપનીઓ પણ તેમના કર્મચારીઓને અઠવાડિયામાં બેથી ત્રણ વખત ઘરેથી કામ કરવાની છૂટ આપી રહ્યાં છે. સ્વાભાવિક રીતે જ જે દિવસે ઘરેથી કામ ન કરવાનું હોય તે દિવસે સંબંધિત કર્મચારી થોડો મોડો ઉઠે અને ચા-નાસ્તો કર્યા પછી તરત જ પોતાના કમ્પ્યૂટર કે લેપટોપ સામે ગોઠવાઈ જાય. જોકે અહીં પ્રશ્ન એ નથી કે તેઓ શા માટે મોડા ઉઠે છે કે પછી ચા-નાસ્તો કરીને તરત કામે ચઢી જાય છે. અહીં પ્રશ્ન એ છે કે કામ કરતી વખતે તેઓ કેવી રીતે બેસે છે, તેમનું પૉશ્ચર કેવું હોય છે. શું તેમને આજુબાજુ કોઈ જોનાર ન હોય તેથી તેઓ એકદમ આરામથી બેસે છે? તેમની ખુરશી લાંબા કલાકો સુધી બેસવાને યોગ્ય હોય છે? તેમનું લેપટોપ કે કમ્પ્યુટર તેમની આંખોની બરાબર સામે આવે એ રીતે મૂકાયેલું હોય છે? તબીબો કહે છે કે જો આ સઘળા પ્રશ્નોનો જવાબ ‘ના’માં હોય તો તેઓ નવી નવી વ્યાધિઓને નોંતરી રહ્યાં છે. તમે જ્યારે લાંબા કલાકો સુધી યોગ્ય પોશ્ચરમાં ન બેસો, તમારી કરોડરજ્જુ અને ગરદન સીધાં ન રહેતાં હોય તો તમારા સ્વાસ્થ્યને ભારે હાનિ પહોંચી શકે છે. આવું ન બને તેને માટે શું કરવું જોઈએ તે સમજાવતાં તેઓ કહે છે..,
શું તેમને આજુબાજુ કોઈ જોનાર ન હોય તેથી તેઓ એકદમ આરામથી બેસે છે? તેમની ખુરશી લાંબા કલાકો સુધી બેસવાને યોગ્ય હોય છે? તેમનું લેપટોપ કે કમ્પ્યુટર તેમની આંખોની બરાબર સામે આવે એ રીતે મૂકાયેલું હોય છે? તબીબો કહે છે કે જો આ સઘળા પ્રશ્નોનો જવાબ ‘ના’માં હોય તો તેઓ નવી નવી વ્યાધિઓને નોંતરી રહ્યાં છે. તમે જ્યારે લાંબા કલાકો સુધી યોગ્ય પોશ્ચરમાં ન બેસો, તમારી કરોડરજ્જુ અને ગરદન સીધાં ન રહેતાં હોય તો તમારા સ્વાસ્થ્યને ભારે હાનિ પહોંચી શકે છે. આવું ન બને તેને માટે શું કરવું જોઈએ તે સમજાવતાં તેઓ કહે છે.