Morbi,તા.23
ધીયાવડ ગમે આવેલ ફુલેશ્વર મહાદેવ મંદિર જગ્યા ખાતે મહંત પુજારી તેમજ અન્ય બે યુવકને ભુવા સહિતના ત્રણ ઇસમોએ માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામે રહેતા યશગીરી ભરતગીરી ગોસ્વામી (ઉ.વ.૨૮) વાળા મહંત પુજારીએ આરોપીઓ અમદાવાદ નિકોલ મામા સરકારના ભુવા બલભદ્રસિંહ ઉર્ફે હકુભાઈ પરમાર, ધવલ દીપક નિમાવત રહે ધોરાજી અને એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી ભૂવા અને ગોંડલ કમઢીયા મામા સરકારના ભુવા ધવલ પટેલની આંતરિક માથાકૂટમાં ફરિયાદી યશગીરીએ ધવલ પટેલને સપોર્ટ કરતા આરોપીઓ કાર લઈને આવી લોખંડ પાઈપ લઈને આવી હાથ અને પગમાં ઇં કરી તેમજ લાકડાના ધોકા વડે આકાશ સતીશચંદ્ર ઓઝાને માર મારી માથામાં અને પગમાં ઈજા કરી હતી તેમજ નવઘણ ભલુભાઈ વિકાણીને માર મારી ઈજા કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે