ઋતુના અનુસાર, જે લોકો શાક-ભાજી અને ફળોનું સેવન કરતા હોય છે તેઓ લાંબી વય સુધી સ્વસ્થ રહે છે. શિયાળામાં સ્વાસ્થ્યવર્ધક ફળો અને શાક-ભાજીઓનું સેવન કરવું જોઇએ. આ ચોક્કસ ફળો અને શાક-ભાજીઓમાં વિશેષ પોષક તત્વો સમાયેલા હોય છે જે મૌસમી રોગોથી બચાવી રાખે છે.
ગાજર
ગાજર ઠંડીનીતુમાં વધુ પ્રમાણણાં મળતા હોય છે. તેથી શક્ય હોય તેટલો લાભ ગાજરના સેવનથી લેવો જોઇએ. તેમાંવિટામિન સી, ડી, બી, ઇ અને કે પ્રચુર માત્રામાં સમાયેલા હોય છે. ગાજરનું સેવન કરવાથી આંખઅને ત્વચાને વધુ ફાયદો થાય છે.
સંતરા
સંતરામાં પ્રચૂર પ્રમાણમાં વિટામિન સી સમાયેલુ ંહોયછે. વિટમિન સી શરીરમાંના કીટાણુઓ સાથે લડવામાં મદદ કરે છે. તેના સેવથી શરીરને મિનરલ્સ, પોટેશિયમ, ફોલેટ અને ફાઇબર પ્રાપ્ત થાય છે. સંતરામાં કેલરીની માત્રા ઓછી હોય છે, જે લોકો વજન ઘટાડવા માંગતા હોય તેમણે શિયાળામાં સંતરાનું સેવન કરીને ફાયદો ઉપાડવો જોઇએ.
મૂળા
શિયાળામાં મૂળાનો મબલખ પાક થાય છે. તેમાં સમાયેલા ફાઇટોકેમિકલ્સ વિવિધ પ્રકારના કેન્સરથી બચાવે છે. મૂળામાં એન્ટી હાઇપરટેન્સિવ ગુણ સમયેલો હોય છે જે હાઇ બ્લડ પ્રેસરની સમસ્યાને ઓછું કરે છે. બ્લડ પ્રેશરના દરદીઓએ શિયાળામાં મૂળાનું સેવન અવશ્ય કરવું જોઇએ. મૂળામાં પોટેશિયમ, ફોલિકએસીડ અને એસ્કોર્બિક એસિડ પણ હોય છે. જે શારીરિક સમસ્યાઓથી બચાવે છે. શિયાળાની ઋતુમાં મૂળા ખાવાથી શરદી-ઊધરસ જેવી મોસમી તકલીફોથી રાહતઆપે છે. તેમાં એન્ટી-કન્જસટ્વિ ગુણ સમયોલા હોય છે , જેકફ, ગળાની ખરાશ, શરદીથી રાહત આપે છે.
જમરૂખ
જમરૂખમાં પ્રચૂરમ ાત્રામા ંએન્ટી ઓક્સીડન્ટ સમાયેલા હોય છે. શિયાળામાં જમરૂખ ખાવાથી શરીરીની ઇમ્યુનિટીમાં વધારો થાય છે. તેના સેવનથી ત્વચા સંબંધી તકલીફોમાં પણ રાહત થાય છે.
કેળા
શિયાળામાં કેળાનું સેવનકરવાથી બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. તેમાં સમાયેલા પોટેશિયમ, ફાઇબર, વિટામિન્સ અધિક હોવાથી રોગ પ્રતિરોધક ક્ષમતા બહેતર થાયછે.
કેળામાં પાણી પણસમાયેલું હોવાથી તેનું સેવન ત્વચાને હાઇડ્રેટ રાખવા અને પોષણ આપવા માટે ઉપયોગી છે.
મેથી
મેથી ગરમ તાસીર ધરાવતી ભાજી છે.મેથીના પાનમાં ફોલિકએસિડ,આર્યન, પ્રોટીન, પોટેશિમ, વિટામિન એ, બી, બી૩,સી અને ઇ તેમજ ફાઇબર અને ફાઇટએસ્ટ્રોજન સમાયેલા હોય છે જે શરીરને અંદરથી હેલ્ધી અને ગરમ રાખવામાં મદદરૂપ થાય છે.
હળદર
શિયાળામાં લીલી કાચી હળદર પુષ્કળ પ્રમાણમાં મળતી હોય છે. તેમાં વિવિધ સ્વાસ્થ્યવર્ધક ગુણ સમાયેલા હોય છે. તેની તાસીર ગરમ હોવાની સાથેસાથે મેટાબોલિઝમ પણ વધારે છે. જેનાથી વજન કન્ટ્રોલમાં રહે છ.ે
પાલક
પાલક જેવી લીલી પાંદડાયુક્ત ભાજીમાં વિટામિન કે અને બી પ્રચુર માત્રામાં હોય છે. શરીર માટે જરૂરી મિનરલ્લસની સાથે તેમાં ફોલિક એસિડ અને એસ્કોર્બિકએસિડ પણ સમાયેલું હોય છે.
પાલકનું શાક, સૂપ, જ્યુસ સલાડમાં મેળવીને ખાવું જોઇએ. તેમાં આર્યન પણ પ્રચુરમાત્રામાં સમાયેલું હોવાથી તેનું સેવન શરીરમાં આર્યનનું પ્રમાણ જાળવી રાખે છે.
તલ-મગફળી અને ગોળ
તલ, મગફળી અને ગોળ એક સાથે અથવા તો અલગ-અલગ પણ ખાઇ શકાય છે. તેની તાસીર ગરમ હોવાની સાથે સાથે તેમાં આર્યન પણ પ્રચુરમાત્રામાં સમાયેલુ હોય છે જે ઠંડીમાં શરીર માટે જરૂરી છે. શિયાળામાં ત્વચા રૂક્ષ થઇજતી હોય છે. તલ અને મગફળીના નિયમિત સેવનથી ત્વચા ચમકદાર અને મુલાયમ બની રહે છે. ગોળની તાસીર ગરમ હોવાથી શિયાળાની ઠંડીમાં તે શરીરમાં ગરમાટો જાળવી રાખે છે.