Gandhinagar તા.13
નવેમ્બર મહિનાના અર્ધા દિવસો પુરા થવામાં છે.છતાં હજુ શિયાળાની ચમક જોવા મળી નથી પરીણામે કૃષિક્ષેત્રને ફટકો છે. શિયાળુ વાવેતર વેગ પકડી શકતુ નથી. રવિ વાવેતર હજુ 47 ટકા ઓછુ થયુ છે.
કલાયમેન્ટ ચેન્જની અસરે અસામાન્ય ઘટનાક્રમ સર્જાય જ રહ્યા છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં લાંબો વખત ચાલેલા ચોમાસા અને પાછોતરા ભારે વરસાદથી પાકને અમુક અંશે નુકશાન થયુ હતું.શિયાળો જામતો ન હોવાથી શિયાળુ વાવેતરમાં વિલંબ છે. ગુજરાતના કૃષિ વિભાગના રીપોર્ટ પ્રમાણે રાજયમાં માત્ર 3008 લાખ હેકટરમાં જ શિયાળુ વાવેતર થયુ છે જે ગત વર્ષનાં આ સમયગાળા કરતા 47 ટકા ઓછુ છે.
રાજયના કૃષિ વિભાગ દ્વારા જ વાવેતર માટે વાતાવરણ અનુકુળ ન હોવાથી સાવધાની રાખવા તાજેતરમાં માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી. મહતમ તાપમાન 36 ડીગ્રી સુધી રહેતુ હોવાથી તે વાવેતર માટે અનુકુળ નથી.