Patna,તા.૨૭
સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવે કહ્યું કે અહીંની પેટાચૂંટણીમાં ઉત્તર પ્રદેશ પ્રશાસન દ્વારા બૂથ કેપ્ચરિંગનું કામ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં હિંસા માટે સરકાર અને પ્રશાસન જવાબદાર છે. ચૂંટણી પરિણામોની જાહેરાત પછી તરત જ સંભલની ઘટના બની, જેણે સરકારની નીતિ અને ઇરાદા પર ગંભીર સવાલો ઉભા કર્યા. બંધારણ દિવસ નિમિત્તે તેમણે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે બંધારણ દિવસ દરરોજ ઉજવવામાં આવે અને બંધારણમાં આપેલા નિયમોનું પાલન કરવામાં આવે. ભારતીય જનતા પાર્ટીના લોકો નથી ઈચ્છતા કે દેશ બંધારણ પ્રમાણે ચાલે.
મૈનપુરીના સાંસદ ડિમ્પલ યાદવે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે વહીવટીતંત્ર દ્વારા નિર્દોષ લોકો પર ખોટા કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે અને લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. સપા સાંસદ વિરૂદ્ધ નોંધાયેલી એફઆઈઆર અંગે ડિમ્પલ યાદવે કહ્યું કે હિંસાના દિવસે તે ઘટનાસ્થળે હાજર ન હતી, તેમ છતાં તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. તેમણે કહ્યું કે, સાંસદ ઘટનાના દિવસે કોઈ કામ માટે બેંગ્લોર ગયા હતા.
જ્યારે મીડિયા દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે ડિમ્પલ યાદવે કહ્યું કે સંભલ હિંસા માટે વહીવટીતંત્ર જવાબદાર છે. યુપીમાં પ્રશાસન દ્વારા લોકો પર ખોટી રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. વિસ્તારના અંદાજે ૮૦૦ લોકો સામે ખોટા કેસ નોંધાયા છે. તેમણે કહ્યું કે પ્રશાસને લોકોને હેરાન કરવા માટે એક સંગઠન બનાવ્યું છે અને તે મુજબ સતત કામ કરી રહ્યું છે.
સંભલમાં થયેલી હિંસા માટે પ્રશાસન પણ જવાબદાર છે. જ્યારે ટીમ જામા મસ્જિદના સર્વેક્ષણ માટે ફરીથી સંભલ પહોંચી, તે જ સમયે હિંસા ફાટી નીકળી, જેમાં ૪ લોકોના મોત થયા અને ઘણા લોકો ઘાયલ થયા.