આજનો યુવા સમાજ એટલે કે લોકો સાથે બહુ ઓછો જોડાયેલો રહે છે અને જોડાય છે તો માત્ર દ્વારા જ વધુ સંપર્કમાં રહે છે. જોકે તેની માઠી અસર આ વર્ગ પર એ થાય છે કે તેનું મોખિક કોમ્યુનિકેશન નબળુ પડી જાય છે કેમ કે તે સમાજથી અળગો થઇ જાય છે.
એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે જો લાંબુ આયુષ્ય જીવવું હોય તો સમાજ સાથે એટલે કે લોકોની વચ્ચે રહેવું અને તેમના સંપર્કમાં સતત રહેવું, આમ કરવાથી સ્વાસ્થ્ય સારુ રહે છે. ખાસ કરીને એકલા રહેતા લોકો માટે આ સંશોધન ઘણુ જ ઉપયોગી સાબીત થઇ શકે છે. ખાસ કરીને યુવા વર્ગને ટાર્ગેટમાં રાખીને જ આ સંશોધન હાથ ધરવામાં આવ્યું છે.
એરિકાની નોર્થ કેલિફોર્નિયા યુનિવર્સિટી દ્વારા આ સંશોધન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સામાજિક રિલેશનશિપ અને સોશિયલ સ્કિલ એ આજના યુવા વર્ગ માટે અતી ઉપયોગી સાબીત થઇ શકે છે. સ્વસ્થ ભોજન અને સમાજ સાથેનું સતત જોડાણ એ વ્યક્તિને વધુ સ્વસ્થ રાખે છે. જેટલુ સામાજિક નેટવર્ક વધુ તેટલી જીવન વધુ સ્વસ્થ રહે છે. જો વ્યક્તિ સમાજ સાથે વધુ જોડાયેલી ન રહે તો તેનામાં માનસિક બિમારી થવાની શક્યતાઓ ઘણી રહેલી છે. યુવા વર્ગને જોકે એકાંત વધુ અસર નથી કરતી પણ ઉંમર લાયક વ્યક્તિને એકાંત બહુ જ કોરી ખાય છે, એકાંત એ આધેડ વયના કે વૃદ્ધોને ડાયાબિટિસ કરતા પણ વધુ ખરાબ અસર કરે છે.