Mumbai,તા.05
હાલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મુંબઈમાં છે. મહારાષ્ટ્રમાં 10 દિવસ પેહલા એટલે કે 25 નવેમ્બરના રોજ ભાજપ પ્રેરિત મહાયુતિને જંગી બહુમતી મળી હતી. 27 નવબરના એકનાથ શિંદે કેર ટેકર મુખ્યમંત્રી બન્યા હતા.
ત્યારબાદ અનેક દિવસો થી ચર્ચાઓ થતી હતી કે કોણ મુખ્યમંત્રી બનશે. ત્યારે ભાજપે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામનને નિરીક્ષક તરીકે જવાબદારી સોંપી હતી
આજે વિજય રૂપાણીએ દેવેન્દ્ર ફડણવીસના નામની જાહેરાત કરી હતી. ફડણવીસ અને નવી સરકાર આજે શપથ લેશે અને વિધાનસભા કાર્યકાળની શરૂઆત થશે. ત્યારે ગઈકાલે વિજય રૂપાણીએ આ કાર્ય પૂરું કર્યા બાદ મુંબઈના પ્રખ્યાત સિદ્ધિ વિનાયક મંદિરે ભાવપૂર્વક દર્શન કર્યા હતા.