Morbi, તા.11
રાજકોટની યુવતીની હત્યા કર્યા બાદ શરીરના કટકા કરી દાટી દીધેલ
અમદાવાદ પોલીસે સીરીયલ કિલરને ઝડપી લઈને સઘન પૂછપરછ કરતા રાજકોટની યુવતીની હત્યા કરી મૃતદેહ વાંકાનેરમાં દાટી દીધાની કબુલાત આપી હતી જેને પગલે આજે અમદાવાદ પોલીસે વાંકાનેર પોલીસને સાથે રાખી તપાસ ચલાવી દાટી દીધેલ મૃતદેહના ટુકડા શોધી કાઢી ફોરેન્સિક પીએમ અર્થે ખસેડ્યો છે
અમદાવાદ સરખેજ પોલીસે પૈસા માટે લોકો સાથે છેતરપીંડી કરી તેમજ હત્યા નીપજાવનાર સીરીયલ કિલર એવા આરોપી મૂળ સુરેન્દ્રનગરના વઢવાણના રહેવાસી નવલસિંહ ચાવડાની ધરપકડ કરી હતી અનેક લોકોની હત્યાના ગુનામાં સંડોવાયેલ ઈસમને ઝડપી લીધો હતો અને પૂછપરછમાં આરોપી ભુવા નવલસિંહ ચાવડાએ ૧૨ લોકોની હત્યા કરી હોવાની કબુલાત આપી હતી અને તબિયત લથડ્યા બાદ લોકઅપમાં ભુવાનું મોત થયું હતું જે તાંત્રિકે રાજકોટની એક યુવતીની હત્યા કર્યાની પોલીસને કબુલાત આપી હતી જેથી આજે અમદાવાદ પોલીસ તપાસ અર્થે વાંકાનેર દોડી આવી હતી વાંકાનેર સીટી પોલીસ ટીમને સાથે રાખીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા
આરોપીએ આપેલ કેફિયતને આધારે અમદાવાદ અને વાંકાનેર પોલીસ ટીમે વાંકાનેર શહેરના વિસીપરા ફાટક પાસે સરધારકા રોડ નજીક ખોદકામ કર્યું હતું અને જમીનમાં દાટી દીધેલ મૃતદેહના ટુકડા મળી આવ્યા હતા મૃતક રાજકોટના રહેવાસી નગમા કાદરભાઈ મુકાસમ હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે પોલીસે મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે