Prabhas-Patan તા.૨૦
વિશ્વ પ્રસિઘ્ધ સોમનાથ મહાદેવ મંદિરના ભાલકા તીર્થ ખાતે બ્રહ્મકુમારી આંતરરાષ્ટ્રીય આઘ્યાત્મિક શિબિર યોજાઈ હતી. જેમાં વકતા શિવાની દીદીએ પ્રેરક સંબોધન કરતા જણાવ્યું કે આત્માને સાફ રાખશો તો સતયુગ આવશે. સંસ્કારથી સંસાર બદલાય છે. મોટા ઘરની ઓળખ ઘરની સાઈઝ ઉપરથી નહીં પરંતુ સંસ્કાર ઉપરથી ઓળખાય છે.
કલયુગમાં જે દુઃખ અશાંતિ, ચિંતા આની અસર શરીર ઉપર થાય છે માટે પવિત્રતા-શાંતિ-શકિત-સ્નેહ દરેક આત્મા સુખી રહે તેવો વર્તાવ કરવો બ્રહ્મકુમારી મોટીવેશન વકતા શિવાની દીદી દ્વારા વિશેષમાં જણાવાયું કે સારા વિચારથી સુખમય સંસાર બને છે. આ પ્રેરક પ્રવચનમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમના પ્રાંરભે બ્રહ્મકુમારી શિવાની દીદી, ગીર સોમનાથ જીલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા, માનસિંહ પરમાર, ઝવેરીભાઈ ઠક્રાર સહિતનાઓએ દિપ પ્રાગટય કરી સમુહ ઘ્યાન ધર્યુ હતુ.