Ranchi,તા.૪
રાજ્ય સરકારના નવા મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ ૫ ડિસેમ્બરે ઝારખંડમાં યોજાશે. જેમાં જેએમએમ,કોંગ્રેસ,રાજદ અને ડાબેરીઓના ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લઈ શકે છે. જો કે ક્યા પક્ષમાંથી કેટલા મંત્રીઓ બનાવવામાં આવશે તે હજુ જાહેર કરવામાં આવ્યું નથી. જ્યારે આ પહેલા રાજ્યમાં ૨૮ નવેમ્બરે યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં માત્ર હેમંત સોરેને મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તમને જણાવી દઈએ કે હેમંત સોરેન ચોથી વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, જેએમએમ, કોંગ્રેસ અને આરજેડીમાંથી જ મંત્રીઓ બનાવવામાં આવનાર છે, જેમાંથી છ જેએમએમમાંથી, ચાર કોંગ્રેસમાંથી અને એક આરજેડીમાંથી બનાવવામાં આવશે. જ્યારે અન્ય સહયોગી સીપીઆઇ (એમએલ),(એલ)એ મંત્રી પદ લેવાનો ઇનકાર કરી દીધો છે. મળતી માહિતી મુજબ, હેમંત સોરેને એકલા હાથે શપથ લેવાનું કારણ એ હતું કે ગઠબંધનમાં મંત્રી પદને લઈને કોઈ સહમતિ થઈ શકી નથી.
જે ધારાસભ્યો મંત્રી બને તેવી શક્યતા તેમાં જેએમએમના સંભવિત મંત્રીઓમાં દીપક બિરુઆ,રામદાસ સોરેન,એમટી રાજા,અનંત પ્રતાપ દેવ,સવિતા મહતો જયારે કોંગ્રેસના અનેક ધારાસભ્યો મંત્રી પદની રેસમાં છે તેમાં રામેશ્વર ઓરાં,ઈરફાન અંસારી.નમન વિક્ષલ કોંગડી.કુમાર જૈમંગલ.પ્રદીપ યાદવ.શ્વેતા સિંહ.દીપિકા પાંડે સિંહ.શિલ્પી નેહા તિર્કી જયારે રાજદ તરફથી સુરેશ પાસવાનને મંત્રી પદ મળી શકે છે તેમાં ઝારખંડમાં આરજેડીના ધારાસભ્યને પણ મંત્રી પદ આપવામાં આવનાર છે. આમાં પહેલું નામ દેવઘરના ધારાસભ્ય સુરેશ પાસવાનનું છે, જેઓ આરજેડી ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા છે.
રાજ્યના ૧૪મા મુખ્યપ્રધાન તરીકે શપથ લેવાની સાથે હેમંત સોરેને જાહેરાત કરી હતી કે ટૂંક સમયમાં વિધાનસભાનું વિશેષ સત્ર યોજવામાં આવશે. જેમાં ૯ ડિસેમ્બરથી ૧૨ ડિસેમ્બર સુધી વિધાનસભાનું વિશેષ સત્ર યોજાશે. જેમાં ધારાસભ્યો પાસેથી શપથ લેવાની સાથે ગૃહમાં વિશ્વાસનો મત પણ મેળવી શકાશે. અગાઉ, કેબિનેટ વિસ્તરણ પર, જેએમએમ નેતા મનોજ પાંડેએ કહ્યું હતું કે રાજ્યમાં સંતુલિત કેબિનેટ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે પાંચ ધારાસભ્યો માટે એક મંત્રીની ફોર્મ્યુલા પર ચર્ચા થઈ રહી છે.
ઝારખંડમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ-આરજેડી અને ડાબેરીઓના ઝારખંડ મુક્તિ મોરચાની આગેવાની હેઠળના ગઠબંધનને ૫૬ બેઠકો મળી હતી. જેમાં જેએમએમને સૌથી વધુ ૩૪, કોંગ્રેસને ૧૬, આરજેડીને ચાર અને સીપીઆઈ (એમએલ) (એલ)ને બે બેઠકો મળી હતી. જ્યારે વિપક્ષી એનડીએ ગઠબંધનને ૮૧માંથી માત્ર ૨૫ બેઠકો મળી છે. જેમાં બીજેપીને ૨૧ અને એજેએસયુ, એલજેપીઆરવી,જદયુ અને કેજેએલએએમને એક-એક સીટ મળી હતી.