હવામાં મોજુદ ખતરનાક વાયરસની ઓળખ કરનાર સાધનોની કમી કોરોના મહામારી દરમ્યાન સૌથી વધુ અનુભવાઈ હતી. ત્યારબાદ વૈજ્ઞાનિકોને આવા અત્યાધુનિક સેન્સર યુકત ઉપકરણ બનાવવામાં સફળતા મળી જેથી કોરોના જેવી બિમારીઓનું તરત એલર્ટ મળશે.
રશીયા અને અમેરિકા જેવા દેશોએ હવામાં વાયરસનો પતો મેળવનાર સેન્સર વિકસીત કર્યા છે. આઈઆઈટી ચેન્નાઈ પણ આવા સેન્સરને તૈયાર કરવામાં લાગ્યુ છે. આથી આવનારા સમયમાં ખતરનાક વાયરસનો તરત પતો લાગશે. બીમારીથી લોકોને બચાવવામાં આ ટેકનીક કારગત નીવડશે.
અમેરિકાનાં મિયામી યુનિવર્સીટીનાં વૈજ્ઞાનિક ડો.પ્રતિમ વિશ્વાસે દુન વિશ્વ વિદ્યાલયમાં ચાલી રહેલી રાષ્ટ્રીય એરોસેલ કોન્ફરન્સમાં આ ટેકનીકની વિગતો રજુ કરી હતી.વિશ્વાસે દાવો કર્યો હતો કે, અમે પ્રદુષણ (કણ અને વાયરસ)ના કારકોની સાચી ઓળખ કરવામાં લગભગ સફળ થઈ ગયા છીએ.
હવે તેને સ્ત્રોત પર જ ખતમ કરવાની ટેકનિક પર કામ થઈ રહ્યું છે. દુનિયામાં અનેક દેશોમાં તેમાં સફળતા પણ મળી છે. આનુ કારણ એ છે કે એરો સેલ સાયન્સ એટલે કે હવામાંથી મળી આવતા કણ અને વાયરસની ઓળખમાં ઉપયોગી થનારી ટેકનીક પણ ઝડપથી વધી રહી છે.