New Delhi,તા.21
બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓની કત્લેઆમ અને અત્યાચાર વચ્ચે હવે આ દેશના કાર્યકારી વડા મોહમ્મદ યુનુસ સરકારે ભારત પાસે તાત્કાલીક રાહત દરે 50000 ટન ચોખા માંગ્યા છે.
મોદી સરકારને લખેલા એક પત્રમાં યુનુસ સરકારે સ્વીકાર્યુ કે તેના દેશમાં ચોખાની તંગી છે. ભાવ વધી ગયા છે અને સરકાર પાસે પણ બફર સ્ટોક પુરતો નથી. હાલ બાંગ્લાદેશને 456.67 ડોલર પ્રતિ ટનના ભાવે ચોખાની નિકાસ કરવામાં આવે છે પણ યુનુસ સરકારે તેમાં પણ રાહત માંગી છે.
બાંગ્લાદેશમાં અનાજની તંગી છે. ભાવ વધ્યા છે અને તેથી વચગાળાની સરકારને લોકો બળવો કરશે તેવો ભય છે. પાકની જેમ આ દેશ પણ હવે ભીખારી જેવો બનવા લાગ્યો છે.