Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Khamenei ને ખત્મ કરવાના ઈઝરાયેલના પ્લાનને પ્રમુખ ટ્રમ્પે ‘વીટો’ કરી દીધો

    June 16, 2025

    અલવિદા વિજયભાઈ,Rajkot માં આંસુનો દરીયો, રાજકીય સન્માન સાથે અંતિમવિધિ

    June 16, 2025

    20 જુનથી ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Khamenei ને ખત્મ કરવાના ઈઝરાયેલના પ્લાનને પ્રમુખ ટ્રમ્પે ‘વીટો’ કરી દીધો
    • અલવિદા વિજયભાઈ,Rajkot માં આંસુનો દરીયો, રાજકીય સન્માન સાથે અંતિમવિધિ
    • 20 જુનથી ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ
    • વિમાનો પર વોચ કયાંથી રખાય, DGCA જેવી એજન્સીઓમાં સેંકડો જગ્યા ખાલી
    • ઈરાન ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવા માંગતુ હતું : Netanyahu
    • બેંગ્લોર ભાગદોડ કાંડ: BCCI નવી ગાઇડલાઇન તૈયાર કરશે
    • ક્રિકેટ બોર્ડના સ્ટાફને દૈનિક ભથ્થા માટે નવી નીતિ
    • World Test Championship:ત્રણ વર્ષમાં 27 સિરીઝમાં 9 દેશો 71 ટેસ્ટ મેચ રમશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»૨૫મીઓક્ટોબરથીJamnagarજિલ્લામાં સૌ પ્રથમવાર મોબાઈલ એપના માધ્યમથી પશુધન વસ્તી ગણતરી હાથ ધરાશે
    જામનગર

    ૨૫મીઓક્ટોબરથીJamnagarજિલ્લામાં સૌ પ્રથમવાર મોબાઈલ એપના માધ્યમથી પશુધન વસ્તી ગણતરી હાથ ધરાશે

    Vikram RavalBy Vikram RavalOctober 23, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jamnagar,તા.૨૩

    અદ્યતન ડેટાના આધારે કરાયેલ પશુધનની ગણતરી ચારાની આવશ્યકતા, રસીકરણ, કૃમિનાશક કામગીરી તેમજ નીતિ વિષયક નિર્ણય લેવામાં ઉપયોગી થશે

    પશુધનની પાંચ વર્ષ પહેલા થયેલ ગણતરીમાં જામનગર જિલ્લામાં ૮.૪૨ લાખ પશુઓ નોંધાયા હતા

    જામનગર તા.૨૨ ઓક્ટોબર, કેન્દ્ર સરકારના પશુપાલન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે કરવામાં આવતી પશુધન વસ્તી ગણતરી અંતર્ગત આ વર્ષે પણ પશુઓની ગણતરી કરી તેનો ડેટા સંગ્રહ કરવામાં આવનાર છે. ૨૫મી ઓક્ટોબરના રોજ જામનગર જિલ્લામાં સૌ પ્રથમવાર મોબાઈલ એપથી પ્રારંભ કરવામાં આવનાર આ ૨૧મી પશુધન વસ્તી ગણતરીને લઈને જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા જરૂરી તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચુક્યો છે.

    પશુધન વસ્તી ગણતરી માટે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર ભારત દેશના ચાર રાજ્યોમાં ગત જુલાઈ માસમાં પાયલોટ સર્વેનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં એકમાત્ર જામનગર જિલ્લાની પસંદગી થઈ હતી. આ પાયલોટ સર્વેમાં શહેરી વિસ્તાર તરીકે કાલાવડ નગરપાલિકાના વોર્ડ નં.૩ અને ગ્રામ્ય વિસ્તાર તરીકે જોડિયા ગામમાં પ્રાયોગિક ધોરણે પશુધન વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી. ૨૫મી ઓક્ટોબરથી શરુ થનાર ૨૧મી પશુધન વસ્તી ગણતરીને અદ્યતન ડેટાના આધારે પશુધનની વિવિધ જાતોની સંખ્યા નક્કી થવાથી ચારાની આવશ્યકતા, રસીકરણ, કૃમિનાશક કામગીરી તેમજ નીતિ વિષયક બાબતોના નિર્ણય લેવામાં ઉપયોગી થશે. આ વર્ષે ૨૧મી પશુધન વસ્તી ગણતરીમાં વિચરતા પશુપાલકોના પશુઓ ઉપરાંત પાંજરાપોળ, ગૌશાળા અને ડેરી ફાર્મનાં પશુઓને પણ આવરી લેવામાં આવશે. જામનગર જિલ્લા પશુપાલન અધિકારીશ્રી ડૉ.તેજસ શુક્લના જણાવ્યા મુજબ, પાંચ વર્ષ બાદ શરુ થનાર પશુધનના ડેટા એકત્ર કરવાની કામગીરી સંપૂર્ણપણે ડીજીટલ સ્વરૂપમાં મોબાઈલ એપ, વેબ એપ અને ડેશબોર્ડનો ઉપયોગ કરીને કરવામાં આવશે. આ કામગીરી માટે નોડલ અધિકારીઓની નિમણૂક થયેલી છે.

    જામનગર જિલ્લામાં શહેર સહિત છ તાલુકાઓના તમામ ગામોમાં ૯૨થી વધુ ગણતરીદારો જિલ્લા નોડલ અધિકારીના માર્ગદર્શનમાં ઘરે ઘરે જઈ ઓલાદવાર પશુઓની ગણતરી હાથ ધરશે અને પશુઓની નોંધણી કરી રીપોર્ટ કરશે. આ પશુધન વસ્તી ગણતરીને લઈને જિલ્લાના તમામ પશુપાલકો દ્વારા પૂરી માહિતી અપાય અને જરૂરી સહકાર પૂરો પડાય તેવો અનુરોધ છે.

    ઉલ્લેખનીય છે કે પશુ વસ્તી ગણતરી અંતર્ગત શહેર અને ગ્રામ્ય કક્ષાએ પાંચ વર્ષ પહેલા થયેલ ગણતરીમાં ગ્રામ્યમાં ૧.૫૧ લાખથી વધુ અને શહેરમાં ૧.૯૮ લાખ મળી જિલ્લામાં ૩.૫૦ લાખ ઘરોનું સર્વેક્ષણ કરાયું હતું. અગાઉ થયેલ ૨૦મી પશુ ગણતરીમાં જિલ્લામાં સૌથી વધુ ૨.૧૪ લાખથી વધુ ઘેટાં, ૧.૬૨ લાખથી વધુ ભેંસ, ૧.૪૩ લાખથી વધુ મરઘા, ૧.૩૯ લાખથી વધુ ગાય, ૧.૩૦ લાખથી વધુ બકરાં, ૨૫,૮૫૬ રખડતી ગાય, ૨૪,૧૫૮ રખડતા શ્વાન, ૧૧૧૫ ઊંટ, ૬૮૧ ઘોડા, ૨૩૯ સસલા, ૫૭ ગધેડા અને ૫૩ ડુક્કર સહિત ૮.૪૨ લાખ પશુઓની નોંધણી થઇ હતી.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar માં ૧ લાખની લાંચ લેતાં પોલીસકર્મી રંગે હાથ ઝડપાયો

    June 12, 2025
    જામનગર

    Jamnagar: ચેક પરત ફરવા ના કેસમાં હોટલના ધંધાર્થી ને એક વર્ષની સજા

    June 11, 2025
    જામનગર

    Jamnagar: પરોઢીયે હિટ એન્ડ રન ના બનાવમાં બે તબીબી વિધાર્થીઓ ઇજાગ્રસ્ત બન્યા

    June 11, 2025
    Uncategorized

    Jamnagar: યુવાન લુટેરી દુલ્હનનો શિકાર બન્યો: ૧.૮૦ લાખ પણ ગુમાવ્યા

    June 11, 2025
    જામનગર

    Jamnagar: બે ખેડૂત સાથે રૂપિયા ૨.૫૭ લાખની છેતરપિંડી: મોટી ભાણુગર ના પિતા પુત્ર સામે ફરિયાદ

    June 11, 2025
    જામનગર

    Jamnagar: શિપિંગ કંપની દ્વારા વડોદરા ની પેઢી સામે રૂપિયા ત્રણ કરોડથી વધુની વસૂલાત માટે દાવો

    June 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Khamenei ને ખત્મ કરવાના ઈઝરાયેલના પ્લાનને પ્રમુખ ટ્રમ્પે ‘વીટો’ કરી દીધો

    June 16, 2025

    અલવિદા વિજયભાઈ,Rajkot માં આંસુનો દરીયો, રાજકીય સન્માન સાથે અંતિમવિધિ

    June 16, 2025

    20 જુનથી ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ

    June 16, 2025

    વિમાનો પર વોચ કયાંથી રખાય, DGCA જેવી એજન્સીઓમાં સેંકડો જગ્યા ખાલી

    June 16, 2025

    ઈરાન ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવા માંગતુ હતું : Netanyahu

    June 16, 2025

    બેંગ્લોર ભાગદોડ કાંડ: BCCI નવી ગાઇડલાઇન તૈયાર કરશે

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Khamenei ને ખત્મ કરવાના ઈઝરાયેલના પ્લાનને પ્રમુખ ટ્રમ્પે ‘વીટો’ કરી દીધો

    June 16, 2025

    અલવિદા વિજયભાઈ,Rajkot માં આંસુનો દરીયો, રાજકીય સન્માન સાથે અંતિમવિધિ

    June 16, 2025

    20 જુનથી ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.