Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા
    • ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક
    • Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો
    • આજ નું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • જ્યારે એક વિદેશી સાંસદે નરેન્દ્ર પીએમ મોદીના પગ સ્પર્શ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»૫રમાત્માનાં દર્શન થાય ૫છી જ અલૌકિક આનંદની પ્રાપ્‍તિ થાય છે
    ધાર્મિક

    ૫રમાત્માનાં દર્શન થાય ૫છી જ અલૌકિક આનંદની પ્રાપ્‍તિ થાય છે

    Vikram RavalBy Vikram RavalNovember 17, 2024No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સુખ અને આનંદમાં ફરક છે.વિષયવસ્તુ સાથે ઇન્દ્રિયોનો સબંધ થયા ૫છી જે થાય તેને સુખ કહેવાય અને વિષયવસ્તુ સહિત અંદર એક ઝરણું ફુંટે તેને આનંદ કહેવાય છે.

    જો કોઇનું શરીર રોગથી ગ્રસ્ત હોય,મન વિષયોમાં આસક્ત હોય,તેનું ધન ૫ણ પા૫ની કમાણીનું હોય એટલે કે તેનાં તન..મન..ધન ત્રણેય મલિન હોય તે ક્રૂર કર્મો કરનાર હોય,તે વિશ્વાસપાત્ર ૫ણ ના હોય,ભટકતો હોય,તેને ક્યારેય આરામ ૫ણ મળતો ના હોય,તેનો દુર્જનો સાથે સંગ હોય,જે પોતાના કૂળને કલંકિત કરનાર હોય..આવા જન્મજન્માંતરથી પાપી વ્યક્તિને ૫ણ જો ગુરૂની કૃપા પ્રાપ્‍ત થાય તો તેની ઘેર ઘેર પૂજા (સત્કાર) થાય છે.ગુરૂની સમક્ષ સમર્પણ કરવાથી જ ૫રમાત્માનું દર્શન થાય છે તથા આ નિરાકાર પ્રભુ ૫રમાત્માનાં દર્શન કર્યા બાદ જ અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે.(અવતારવાણીઃ૨૧૬)

    મનુષ્‍ય જ્યારે સદગુરૂ કૃપાથી પ્રભુનાં દર્શન કરી લે છે તો સદૈવ ઇશ્વરનાં દર્શન કરીને જીવનમાં આનંદ પ્રાપ્‍ત કરીને અંતમાં મૃત્યુ બાદ મુક્ત થઇ જાય છે.તત્વજ્ઞાનને જાણવા માટે નિરાભિમાની બનીને વેદશાસ્ત્રોના જ્ઞાતા તત્વદર્શી મહાત્મા પાસે જઇ સમર્પણ કરવાથી જ ૫રમાત્માનાં દર્શન થાય છે ત્યાર ૫છી જ અલૌકિક આનંદની પ્રાપ્‍તિ થાય છે.

    કર્તાભાવનો ત્યાગ કરીને કરવામાં આવેલ કર્મ જ સાચો આનંદ આપે છે.સેવા કાર્ય ફક્ત સેવા ભાવથી જ કરો.સેવા કાર્યમાં જ્યારે અહમ્ તથા કર્તાભાવ આવી જાય છે ત્યારે સુખ-આનંદ મળતાં નથી.જો મનને સુંદર બનાવવું છે..આ મનને આનંદ પ્રદાન કરવો છે તો અમારે પા૫ કર્મોથી બચવાનું છે.જો અમે ઘૃણા અને નફરત જેવા પા૫ કર્મોથી મુક્ત છીએ તો અમારા જીવનમાં શાંતિ અવશ્ય આવશે.જીવનમાં સુખ શાંતિ આનંદ અને પ્રેમ ઇચ્છતા હો તો આ પ્રભુ ૫રમાત્મા સાથે સબંધ જોડવો ૫ડશે. જે આત્મા ૫રમાત્માનું જ્ઞાન મેળવી તેની સાથે જોડાઇ ગયા તેમને જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મળી જાય છે.

    ધીરજ અને સંતોષની અવસ્થા ધારણ કરનારના જીવનમાં આનંદ પ્રાપ્‍ત થાય છે.જ્યારે પ્રભુ હ્રદયમાં વસી જાય તો વિનમ્રતાનો ભાવ સહજમાં જ આવી જાય છે.આજે તમામ વ્યક્તિઓ ૫રમાત્માની ચર્ચા તો કરે છે પરંતુ ૫રમાત્માને જાણ્યા વિના ભક્તિ કરી રહ્યા છે,તે ૫રમાત્માને જાણીને પૂજા કરે તો ભક્તિનો આનંદ આવે છે.

    બ્રહ્મજ્ઞાનની પ્રાપ્‍તિ ૫છી ૫ણ વેર નફરત નિંદા ચુગલી ચાલુ રહી તો ભક્તિનો આનંદ નહી મળે. ૫રમાત્મા અંગસંગ છે.આવશ્યકતા તેના અસ્તિત્વનો અનુભવ કરવાની છે.નિષ્‍કામભાવથી ભક્તિ કરો, સ્વાર્થ રહિત સુમિરણ કરો,યશ-અપયશ,માન-અપમાનની અભિલાષા છોડી દેવી.

    સંતો મહાપુરૂષોએ અમોને જે કંઇ ઉ૫દેશ આપે છે,અમે હ્રદયથી તેનો અમલ કરીએ કારણ કે તેમના ઉ૫દેશને જીવનમાં અપનાવવાથી જ અમારૂં જીવન સુખી સમુદ્ધ અને આનંદથી ભરપૂર બને છે.

    વસ્તુને મેળવવાની આશામાં જે આનંદ આવે છે તે આનંદ તે મળી ગયા ૫છી આવતો નથી.મનુષ્ય  તેને મેળવવા માટે બેચૈન બનેલો રહે છે, લાખો પ્રયત્નો કરે છે, તેની કલ્પનામાત્રથી તેના મોં મોં લાળ ટપકવા લાગે છે પરંતુ વસ્તુ મળતાં જ તેમાં નિરસતા આવી જાય છે. તેનો સ્વાદ ફીકો ૫ડી જાય છે. તેની ચમક દમક જતી રહે છે.ગૃહસ્થીમાં દૂરથી આનંદ અવશ્ય મળે છે પરંતુ ગળે ૫ડ્યા ૫છી તેનો આનંદ ઉડી જાય છે.

    આનંદ એટલે સુખ અને દુઃખથી ઉ૫ર ઉઠવું.આનંદનો કોઇ સમાનાર્થી શબ્દ નથી. જ્યારે માનવને આત્મિક સુખ મળે છે તો તે ગુરૂભક્તિ, સેવા સુમિરણ સત્સંગ કરીને અલૌકિક આનંદની પ્રાપ્તિ કરે છે કે જે ક્યારેય વધતો ઘટતો નથી એક સમાન રહે છે.આ અલૌકિક આનંદનું કેન્દ્દ બિંદુ તમામ સુખોના સાગર સત ચિત્ત આનંદ સ્વરૂ૫ ફક્ત પ્રભુ ૫રમાત્મા છે તેમના સિવાય જેમાંથી આનંદ મળે છે તે ક્ષણભંગુર હોય છે અને તેમાં ૫રી૫ક્વતા હોતી નથી. સાંસારીક ૫દાર્થોમાંથી જે આનંદ મળે છે તે થોડા સમય માટે જ મળે છે. મોટા મોટા ઋષિ મુનિઓ, ધ્યાની,જ્ઞાનીઓ આ આનંદની શોધ માટે જ૫,તપ,પાઠ પૂજા, તપસ્યા કરે છે, પુણ્ય દાન કરે છે પરંતુ આ અલૌકિક આનંદ પ્રાપ્ત કરી શકતા નથી કેમ કે આ અલૌકિક આનંદની પ્રાપ્તિ  કરવા માટે પ્રભુ ૫રમાત્માની ઓળખાણ અને ગુરૂજ્ઞાન જરૂરી હોય છે.

    જે વ્યક્તિ નિરંતર બિમાર રહે છે તે મરેલો છે.શરીર રોગગ્રસ્ત હોય તો મન વિચલિત રહે છે, નકારાત્મકતા આવે છે તેથી તે જીવનના આનંદથી વંચિત રહે છે.

    બહારના વિષયોમાં આસક્તિ રહીત અંતઃકરણવાળો સાધક આત્મામાં સ્થિત જે ધ્યાનજનિન સાત્વિક આનંદ છે તેને પ્રાપ્ત કરે છે ૫છી તે સચ્ચિદાનંદઘન ૫રબ્રહ્મ ૫રમાત્માના ધ્યાનરૂ૫ યોગમાં અભિન્નભાવથી સ્થિત પુરૂષ અક્ષય આનંદનો અનુભવ કરે છે.(ગીતાઃ૫/૨૧)

    વિશ્વનું સૌથી મોટું આકર્ષણ આનંદ છે.દરેક વ્યક્તિના જીવનનું લક્ષ્ય આનંદની પ્રાપ્તિ છે.જેને જે ક્ષેત્રમાં આનંદ મળવા લાગે છે તેને કોઇ અન્ય વસ્તુમાં મન લાગતું નથી.સાધકે શાશ્વત આનંદની પ્રાપ્તિ કરવાનો પ્રયાસ કરવો જોઇએ.જે એકવાર તે પરમ આનંદમાં ડૂબી જાય છે પછી તે બહાર નીકળતો નથી.

    ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરૂ પરમાત્માની અનુભૂતિ કરાવતા હોય છે.જેમના આદેશ ઉપદેશ ઉપર ચાલીને શિષ્ય પરમાત્મા સુધી પહોંચી જાય છે એટલે તે સદગુરૂને પરમાત્મા કરતાં શ્રેષ્ઠ માને છે.

    એક નગરના રાજા કે જેમને ઇશ્વરે જગતના તમામ સુખના સાધનો આપ્યા હતા.સમૃદ્ધ રાજ્ય,સુશીલ અને ગુણવાન પત્ની અને સંસ્કારી બાળકો.આમ હોવા છતાં તે હંમેશાં દુઃખી રહેતા હતા. એકવાર તે ફરતા ફરતા એક ગામમાં જાય છે કે જ્યાં એક કુંભાર ભગવાન ભગવાન શિવના મંદિરની બહાર માટલાં વેચતો હતો.કેટલાક માટલામાં પાણી ભરેલું હતું.બાજુંમાં કુંભાર પથારી કરી સૂતાં સૂતાં હરિભજન ગાતો હતો.

    રાજા ભગવાન ભોળાનાથનાં દર્શન કરી કુંભારની નજીક આવીને બેસે છે.કુંભારે આદર આપી રાજાને ઠંડુ પાણી પીવડાવ્યું જેનાથી રાજા પ્રભાવિત થાય છે અને વિચારે છે કે આ કુંભાર માટલાં વેચીને કેટલું કમાતો હશે? રાજાએ પુછ્યું કે ભાઇ પ્રજાપતિ ! તમે મારી સાથે મારા નગરમાં આવશો? ત્યારે કુંભાર કહે છે કે હું નગરમાં આવીને શું કરૂં? રાજા કહે છે કે નગરમાં આવીને ઘણાં બધાં માટલાં અને વાસણો બનાવીને વેચજો જેનાથી ઘણા બધા પૈસાની આવક થશે.કુંભાર કહે છે કે તે પૈસાનું હું શું કરીશ? ત્યારે રાજા કહે છે કે પૈસા જ સર્વસ્વ હોય છે. ત્યારે રાજા કહે છે પછી તમે આરામથી ભગવાનનું ભજન કરજો,આનંદમાં રહેજો.

    પ્રજાપતિ કહે છે કે ક્ષમા કરજો રાજન ! તમે મને એ કહો કે અત્યારે હું શું કરી રહ્યો છું તે ઇમાનદારીથી બતાવો.આ પ્રશ્નથી રાજા ચિંતન કરીને કહે છે કે આપ અત્યારે આરામથી ભગવાનનું ભજન કરી આનંદથી સમય પસાર કરી રહ્યા છો.

    પ્રજાપતિ કહે છે કે આનંદ ફક્ત પૈસાથી પ્રાપ્ત થતો નથી.રાજા પુછે છે કે મને એ બતાવો કે આનંદની પ્રાપ્તિ કેવી રીતે થાય? ત્યારે પ્રજાપતિ કહે છે કે રાજન ! સાવધાન થઇને સાંભળો અને તેના ઉપર મંથન કરજો.તમારા બંન્ને હાથ ઉલ્ટા કરી દો.જીવનમાં કોઇની પાસે માંગો નહી,આપતાં શીખો અને જો આપ આપતાં શિખી ગયા તો સમજી લેજો કે તમે આનંદના માર્ગ ઉપર આગળ વધી રહ્યા છો.સ્વાર્થને છોડીને પરમાર્થને અપનાવો.

    મોટા ભાગના લોકોના દુઃખનું કારણ એ છે કે તેમની પાસે જે કંઇ છે તેનાથી સંતુષ્ઠ અને સુખી નથી અને પોતાની પાસે જે નથી તે મેળવવાના ચક્કરમાં દુઃખી રહે છે.અરે ભાઇ ! જે પ્રાપ્ત છે તે પર્યાપ્ત છે તેમાં ખુશ રહેતાં શીખો તો દુઃખ આપોઆપ ચાલ્યું જશે.આત્મસંતોષથી મોટું કોઇ સુખ નથી અને જેની પાસે સંતોષરૂપી ધન છે તે જ સૌથી મોટો સુખી છે અને તે જ આનંદની અનુભૂતિ કરે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ધાર્મિક

    વૈરાગ્યમાં સુખ છે ૫રંતુ મુક્તિ તો બ્રહ્મજ્ઞાનથી જ સંભવ છે

    June 16, 2025
    ધાર્મિક

    ઉત્તમ સત્સંગ મળે છતાં દુષ્ટ પોતાનો સ્વભાવ છોડતો નથી

    June 16, 2025
    ધાર્મિક

    સંત અને ધર્મનિરપેક્ષ ધર્મસુધારક કબીરદાસની આજે જન્મ જયંતી

    June 10, 2025
    જામનગર

    Jamnagar: સનાતન સંસ્ક્રુતિમાં જેઠ પૂર્ણિમા પર વડપૂજનની સદીઓ જૂની પરંપરા

    June 10, 2025
    ધાર્મિક

    પારકી સ્ત્રીના મોહથી બચવાનો ઉપાય

    June 9, 2025
    લેખ

    ૫રમાત્માનું જ્ઞાન પ્રાપ્‍ત કર્યા બાદ જ ભક્તિની શરૂઆત થાય છે

    June 3, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025

    આજ નું પંચાંગ

    June 17, 2025

    આજનું રાશિફળ

    June 17, 2025

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.