Morbi,તા.23
મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે શહરેમાં રખડતા ઢોરના ત્રાસથી નાગરિકોને મુક્તિ અપાવવા ગત તા. ૧૩ થી ૨૦ સુધીમાં શહેરી વિસ્તારમાંથી કુલ ૧૦૨ રખડતા ઢોર પકડવામાં આવ્યા હતા
મોરબી શહેરમાં દિવસ અને રાત્રીના સમયમાં વેજીટેબલ રોડ, લાલબાગ, જેલ રોડ, માધાપર, પરશોતમ ચોક, ઉમિયા સર્કલ અને રવાપર રોડ સહિતના વિસ્તારમાંથી ૧૦૨ રખડતા ઢોર પકડી ગૌશાળામાં મુકવામાં આવ્યા છે તેમજ ઘાસ વેચાણ માટે નવ આસામીઓને લાયસન્સ આપવામાં આવ્યા છે તેમજ માલિકીના ઢોર શહેરી વિસ્તારમાં રખડતા ના મુકવા અનુરોધ કરવામાં આવ્યો છે