Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajula માં કુંભનાથ-સુંખનાથ મહાદેવ મંદિર ખાતે વરૂણ દેવને રીઝવવા માટે મહાયજ્ઞ યોજાયો

    July 15, 2025

    Jasdan માં ફક્ત 500 રૂપિયાની ઉઘરાણીના રીક્ષાચાલકનુ માથું ફોડી નાખ્યું

    July 15, 2025

    Jetpur: કુકર્મ આચરનાર નરાધમ વિરુદ્ધ ઉદ્યોગનગર પોલીસમાં ગુનો ગૌ પ્રેમીઓમાં રોષ

    July 15, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajula માં કુંભનાથ-સુંખનાથ મહાદેવ મંદિર ખાતે વરૂણ દેવને રીઝવવા માટે મહાયજ્ઞ યોજાયો
    • Jasdan માં ફક્ત 500 રૂપિયાની ઉઘરાણીના રીક્ષાચાલકનુ માથું ફોડી નાખ્યું
    • Jetpur: કુકર્મ આચરનાર નરાધમ વિરુદ્ધ ઉદ્યોગનગર પોલીસમાં ગુનો ગૌ પ્રેમીઓમાં રોષ
    • Canada માં ભગવાન જગન્નાથની રથયાત્રા પર ઇંડા ફેંકવામાં આવ્યા, ભારત સરકારે તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું
    • Odisha માં ન્યાય માટે લડતી પુત્રીનું મૃત્યુ ભાજપ તંત્ર દ્વારા સીધી હત્યા છે,રાહુલ ગાંધી
    • Naxalites ઓએ પહેલી વાર કબૂલાત કરી કે એક વર્ષમાં ૩૫૭ માઓવાદીઓ માર્યા ગયા
    • 16 જુલાઈ નું રાશિફળ
    • 16 જુલાઈ નું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: શહેરમાં આજથી 112 જનરક્ષક હેલ્પલાઇનનો પ્રારંભ
    રાજકોટ

    Rajkot: શહેરમાં આજથી 112 જનરક્ષક હેલ્પલાઇનનો પ્રારંભ

    Vikram RavalBy Vikram RavalJuly 15, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બયુલન્સ, મહિલા અને સાયબર હેલ્પલાઇન માટે હવે અલગ અલગ નંબર ડાયલ કરવાની જરૂરિયાત નહિ રહે
    Rajkot,તા.15
    પોલીસ, ફાયર બ્રિગેડ, 108 એમ્બયુલન્સ, મહિલા અને સાયબર હેલ્પલાઇન માટે હવે અલગ અલગ નંબર યાદ રાખવાનું જરૂરિયાત રહેશે નહિ. રાજકોટ શહેરમાં આજ રાતથી 112 જનરક્ષક હેલ્પલાઇનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેથી તમામ પ્રકારની ઇમરજન્સીમાં હવે ફક્ત એક જ નંબર પરથી સહાયતા મળી રહેશે. નવી હેલ્પલાઇનનું સંચાલન તદ્દન ડિજિટલ સિસ્ટમથી કરવામાં આવનાર છે જેના માટે કર્મચારીઓને ટ્રેનિંગ આપી દેવાયા બાદ આજ રાતથી 112 હેલ્પલાઇનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.
    112 જનરક્ષક હેલ્પલાઇનની સેવા આજે રાત્રીથી રાજકોટ શહેરમાં અમલમાં આવવા જઈ રહી છે. હાલ સુધીમાં પોલીસને લગતી ફરીયાદો માટે 100 નંબર, એમ્બયુલન્સ માટે 108, મહિલા હેલ્પલાઇન માટે 181, સાયબર હેલ્પલાઇન અર્થે 1930 અને ફાયર બ્રિગેડ માટે 101 નંબર ડાયલ કરવામાં આવતો હતો. જો કે, હવે જનરક્ષક હેલ્પલાઇન 112 ની અમલવારી થતાં આ તમામ સેવાઓ એક જ તર્જ પર ઉપલબ્ધ થનાર છે.
    112 નંબર ડાયલ કરવા માટે મોબાઈલ ફોન અને લેન્ડલાઈન ફોનનો પણ ઉપયોગ કરી શકાશે. આ કોલની સેવા નિઃશુલ્ક રહેશે.  112 ની સેવાના પ્રારંભ સાથે રાજકોટની દરેક પીસીઆર વાનમાં એસઓપી મુજબ એક વાયરલેસ સેટ, એક ટેબ્લેટ, કાર ચાર્જર (જનરક્ષક એપ્લીકેશન ઈન્સ્ટોલેશન માટે), ઈમરજન્સી લાઈટ, જીપીએસ, આગ બુઝાવવાના સાધનો, ફર્સ્ટ એઈડ બોક્ષ, સહીતની સામગ્રી હાજર રાખવામાં આવશે.
    નવી હેલ્પલાઇનમાં તમામ કામગીરી ડિજિટલી કરવામાં આવનાર છે. જેમાં પીસીઆર વાનને સહાયતાના કોલથી માંડી અંતિમ રિપોર્ટ સબમિટ કરવા સુધીની તમામ કામગીરી ડિજિટલી કરવામાં આવનાર છે. જેના માટે તમામ પીસીઆર વાનના ઇન્ચાર્જને ટેબ્લેટ આપવામાં આવનાર છે. આ ટેબ્લેટ ઓપરેટ કરવા અંગે સ્ટાફની તાલીમ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. એક તબક્કાની તાલીમ પૂર્ણ થઈ ગયા બાદ હવે પોલીસ સ્ટેશન દીઠ કર્મચારીઓને તાલીમ આપવામાં આવનાર છે.
    કેવી રીતે હેલ્પલાઇન નંબર કામ કરશે?
    કોઈ પણ અરજદાર જયારે 112 હેલ્પલાઇન નંબર ડાયલ કરશે તો સીધો જ ગાંધીનગર કંટ્રોલરૂમ ખાતે કોલ કનેક્ટ થઈ જશે. જે બાદ પીસીઆર વાનના જીપીએસ લોકેશનના આધારે નજીકમાં રહેલી પીસીઆર વાનને આપવામાં આવેલ ટેબ્લેટ પર ડિજિટલી વર્ધી આપવામાં આવશે. જે બાદ પીસીઆર વાન લોકેશનના આધારે બનાવ સ્થળે મદદે પહોંચશે. બાદમાં પીસીઆર વાનના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીનો રિપોર્ટ પણ ડિજિટલી જ અપલોડ કરવામાં આવશે.
    રાજકોટ ગ્રામ્યમાં  જનરક્ષક હેલ્પલાઇનની અમલવારીની  તૈયારીઓ પૂર્ણ  : હિમકરસિંહ
    રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહે જણાવ્યું હતું કે, હાલ અમારી પાસે 23 પીસીઆર વાન ઉપલબ્ધ છે જેને જન રક્ષક હેલ્પલાઇનમાં રૂપાંતરીત કરવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સ્ટાફની તાલીમ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. જન રક્ષક હેલ્પલાઇન અર્થે હેડ ક્વાર્ટરમાંથી ડ્રાયવરની ફાળવણી કરવામાં આવશે જયારે પોલીસ મથક દીઠ સ્ટાફની નિમણુંક કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રજાને ઝડપી રિસ્પોન્સ મળે તેવા શુભ ઉદેશ્ય સાથે આ પ્રોજેક્ટની અમલવારી કરવામાં આવી છે. જેનું બે સ્થળે મોનીટરીંગ કરવામાં આવનાર છે.
    112 Janakshak helpline Launched Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Pakistan ની એરલાઈને એવી ભૂલ કરી કે કરાચી જવું પડ્યું, પણ તેને બીજે ક્યાંક લઈ જવામાં આવ્યું

    July 15, 2025
    આંતરરાષ્ટ્રીય

    Panamaના પેસિફિક કિનારા પર ૬.૨ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો,કોઇ જાનહાની નહીં

    July 15, 2025
    રાજકોટ

    Rajkot: રેસ્ટોરેન્ટ સંચાલકની કારમાં તોડફોડ

    July 15, 2025
    રાજકોટ

    Rajkot: ભેજાબાજોએ કિચનવેરના 19 વેપારીને રૂ. 38.60 લાખનો ચૂનો ચોપડયો

    July 15, 2025
    રાજકોટ

    Rajkot: પડધરીમા બાળકને મારવા બાબતે પતિના ઠપકાથી પરણીતાનો આપઘાત

    July 15, 2025
    રાજકોટ

    Rajkot: આજી ડેમ નજીક વાડીમાં ચાલતું જુગારધામ ઝડપાયું.

    July 15, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajula માં કુંભનાથ-સુંખનાથ મહાદેવ મંદિર ખાતે વરૂણ દેવને રીઝવવા માટે મહાયજ્ઞ યોજાયો

    July 15, 2025

    Jasdan માં ફક્ત 500 રૂપિયાની ઉઘરાણીના રીક્ષાચાલકનુ માથું ફોડી નાખ્યું

    July 15, 2025

    Jetpur: કુકર્મ આચરનાર નરાધમ વિરુદ્ધ ઉદ્યોગનગર પોલીસમાં ગુનો ગૌ પ્રેમીઓમાં રોષ

    July 15, 2025

    Canada માં ભગવાન જગન્નાથની રથયાત્રા પર ઇંડા ફેંકવામાં આવ્યા, ભારત સરકારે તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું

    July 15, 2025

    Odisha માં ન્યાય માટે લડતી પુત્રીનું મૃત્યુ ભાજપ તંત્ર દ્વારા સીધી હત્યા છે,રાહુલ ગાંધી

    July 15, 2025

    Naxalites ઓએ પહેલી વાર કબૂલાત કરી કે એક વર્ષમાં ૩૫૭ માઓવાદીઓ માર્યા ગયા

    July 15, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajula માં કુંભનાથ-સુંખનાથ મહાદેવ મંદિર ખાતે વરૂણ દેવને રીઝવવા માટે મહાયજ્ઞ યોજાયો

    July 15, 2025

    Jasdan માં ફક્ત 500 રૂપિયાની ઉઘરાણીના રીક્ષાચાલકનુ માથું ફોડી નાખ્યું

    July 15, 2025

    Jetpur: કુકર્મ આચરનાર નરાધમ વિરુદ્ધ ઉદ્યોગનગર પોલીસમાં ગુનો ગૌ પ્રેમીઓમાં રોષ

    July 15, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.