Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    જામનગર જીલ્લાની અદાલતોમાં-કેસોના ઝડપી નીકાલ સંબધે મીડીયેશન ફોર નેશન કેમ્પેન-સ્પેશીયલ ડ્રાઈવ

    July 5, 2025

    Jamnagar: શંકર ટેકરી વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલક યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત

    July 5, 2025

    Jamnagar: મહાનગરપાલિકા દ્વારા દુકાનોની કરાયેલી હરાજી માં ૪૪ દુકાનોનું વેચાણ થયું

    July 5, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • જામનગર જીલ્લાની અદાલતોમાં-કેસોના ઝડપી નીકાલ સંબધે મીડીયેશન ફોર નેશન કેમ્પેન-સ્પેશીયલ ડ્રાઈવ
    • Jamnagar: શંકર ટેકરી વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલક યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત
    • Jamnagar: મહાનગરપાલિકા દ્વારા દુકાનોની કરાયેલી હરાજી માં ૪૪ દુકાનોનું વેચાણ થયું
    • Jamnagar: ખાતર ભરેલો એક ટ્રક પલટી મારી જતાં ટ્રાફિક જામ સર્જાયો પોલીસ તંત્રની કવાયત
    • Jamnagar: મા-બાપને ઘરમાં પૂરીને નાસી છૂટેલી એક સગીરા મુંબઈમાંથી હેમખેમ મળી આવતાં હાશકારો
    • Wankaner મેસરિયા ગામે ધાબા પરથી ફળિયામાં પટકાતા વૃદ્ધનું મોત
    • Wankaner લાકડધાર ગામે તળાવ પાસે ખરાબામાંથી દારૂની ૫૨ બોટલ સાથે એક ઝડપાયો, એકનું નામ ખુલ્યું
    • Morbi: જાંબુડિયા નજીક ડમ્પર અને રીક્ષા વચ્ચે અકસ્માત, રીક્ષાચાલક ઈજાગ્રસ્ત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad માં 1147 મસ્જિદ અને દરગાહ, 85% વક્ફ સંપત્તિઓમાં કોઇ મેનેજમેન્ટ જ નથી!
    અમદાવાદ

    Ahmedabad માં 1147 મસ્જિદ અને દરગાહ, 85% વક્ફ સંપત્તિઓમાં કોઇ મેનેજમેન્ટ જ નથી!

    Vikram RavalBy Vikram RavalApril 24, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.24

    કેન્દ્ર સરકાર દ્વારા વક્ફની સંપત્તિ મુદ્દે નવો સુધારા કાયદો લાવવામાં આવ્યો તેનો વિવાદ ચગેલો છે અને બીજી તરફ ગુજરાતમાં વક્ફની સંપત્તિઓ યોગ્ય વહિવટ અને વ્યવસ્થાના અભાવે ખસ્તાહાલ છે. તેમાંય અમદાવાદની સ્થિતિ સાવ કફોડી છે. તાજેતરમાં આવેલા અહેવાલ પ્રમાણે અમદાવાદમાં કુલ 1147 મસ્જિદ અને દરગાહ છે, તેમાંથી 85% સંપત્તિઓમાં યોગ્ય મેનેજમેન્ટ જ નથી અને તેના કારણે વક્ફની સંપત્તિઓ પર જે આવક થાય છે પણ તે વક્ફમાં નહીં પણ વગદારોના ખિસ્સામાં જાય છે.

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં 705 મસ્જિદો અને 429 દરગાહ, મઝાર કે મકબરા છે જ્યારે અમદાવાદ કેન્ટોન્ટમેન્ટ વિસ્તારમાં 9 મસ્જિદો અને 4 દરગાહ, મઝાર કે મકબરા છે.

    ભારત સરકારના લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા સંચાલિત વક્ફ એસેટ્સ મેનેજમેન્ટ સિસ્ટમ ઓફ ઈન્ડિયા (WAMSI) વેબસાઈટના ડેટા પ્રમાણે, ગુજરાતમાં કુલ 45,358 વક્ફ સંપત્તિ છે. આ પૈકી 39,940 અચલ સંપત્તિ એટલે કે ઈમ્મૂવેવલ પ્રોપર્ટી છે જ્યારે 5480 ચલ એટલે કે મૂવેબલ સંપત્તિ છે.

    અમદાવાદ કેન્ટોન્ટમેન્ટ વિસ્તારમાં 135 અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદના વિસ્તારમાં 13,574 મળીને કુલ 13,704 વક્ફ સંપત્તિઓ છે. અમદાવાદ કેન્ટોન્ટમેન્ટ એટલે કે કોટ વિસ્તારમાં દરિયાપુર, શાહીબાગ, રાયપુર દરવાજા સહિતના મૂળ અમદાવાદના કોટ વિસ્તારની વક્ફ સંપત્તિઓનો સમાવેશ થાય છે જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં એ સિવાયના બાકીના વિસ્તારોની વક્ફ સંપત્તિઓનો સમાવેશ થાય છે.

    અમદાવાદ કેન્ટોન્ટમેન્ટ વિસ્તારની 135 સંપત્તિઓમાંથી 97 સંપત્તિમાં મેનેજમેન્ટ કમિટી અને 11 સંપત્તિમાં મુત્તાવલી નિમાયેલા છે. માત્ર 27 સંપત્તિમાં જ કોઈ મેનેજમેન્ટ નથી જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 13,574 વક્ફ સંપત્તિઓમાંથી 97 સંપત્તિમાં મુતાવલ્લી, 7 સંપત્તિમાં એડમિનિસ્ટ્રેટર અને 1971 સંપત્તિમાં મેનેજમેન્ટ કમિટી છે. બાકીની 11,499 સંપત્તિમાં સત્તાવાર રીતે કોઈ મેનેજમેન્ટ નથી.

    આમ અમદાવાદ શહેરમાં કુલ 714 મસ્જિદો અને 433 દરગાહ, મઝાર કે મકબરા છે. આ પૈકી મોટા ભાગની સંપત્તિઓ પર અસામાજિક તત્ત્વો અથવા મુસ્લિમ સમાજના કહેવાતા વગદાર લોકોનો કબજો છે. આ લોકો બારોબાર ભાડાની કે બીજી આવક ચાઉં કરી જાય છે અને વક્ફ બોર્ડમાં જમા કરાવતા જ નથી. ગુજરાતમાં વક્ફ સંપત્તિઓ પર નજર રાખવા માટે સ્ટેટ વક્ફ બોર્ડ છે પણ વક્ફ બોર્ડ કશું કરતું નથી.

    સરકારી બાબુઓ, સમાજના કહેવાતા ઠેકેદારોના મેળાપીપણામાં આ બધું ગોઠવાયેલું તંત્ર ચાલે છે અને સામાન્ય લોકોની તેના તરફ નજર જતી નથી અને કોઈ પુછનાર કે કહેનાર પણ નથી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આવેલી કુલ 45,358 વક્ફ સંપત્તિમાંથી લગભગ 30 ટકા એટલે કે 13,537 વક્ફ સંપત્તિ એકલા અમદાવાદ શહેરમાં જ છે. રસપ્રદ વાત એ છે કે, આ પૈકી 11,499 એટલે કે લગભગ 85 ટકા વક્ફ સંપત્તિઓના વહીવટ માટે કોઈ વ્યવસ્થા જ નથી તેથી આ સંપત્તિઓમાંથી કોઈ આવક થતી નથી કે લોકોના ભલા માટે વપરાતી નથી.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    “MSME and Developed India@2047”વિષય પર પરિષદનું આયોજન કરાયું

    July 5, 2025
    અમદાવાદ

    Geniben જિલ્લો તો સંભાળી શક્તા નથી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ થવા નીકળ્યા છે

    July 4, 2025
    અમદાવાદ

    Ahmedabad માં પ્રાચીન ખજાનાની ચોરી,સરખેજના રોજાના ગુંબજ પરથી કળશ ગાયબ થયું

    July 4, 2025
    અમદાવાદ

    7 જુલાઈથી અમદાવાદમાં શરૂ થશે Gujaratનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર

    July 4, 2025
    અમદાવાદ

    Idar માં 6, મોડાસામાં 5.5 સહિત ગુજરાતમાં ધોધમાર મેઘસવારી

    July 4, 2025
    અમદાવાદ

    વીજ કરંટના કારણે યુવાનના મૃત્યુ બદલ વીજ કંપનીએ યુવકની માતાને વળતર આપવું પડે: HC

    July 3, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    જામનગર જીલ્લાની અદાલતોમાં-કેસોના ઝડપી નીકાલ સંબધે મીડીયેશન ફોર નેશન કેમ્પેન-સ્પેશીયલ ડ્રાઈવ

    July 5, 2025

    Jamnagar: શંકર ટેકરી વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલક યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત

    July 5, 2025

    Jamnagar: મહાનગરપાલિકા દ્વારા દુકાનોની કરાયેલી હરાજી માં ૪૪ દુકાનોનું વેચાણ થયું

    July 5, 2025

    Jamnagar: ખાતર ભરેલો એક ટ્રક પલટી મારી જતાં ટ્રાફિક જામ સર્જાયો પોલીસ તંત્રની કવાયત

    July 5, 2025

    Jamnagar: મા-બાપને ઘરમાં પૂરીને નાસી છૂટેલી એક સગીરા મુંબઈમાંથી હેમખેમ મળી આવતાં હાશકારો

    July 5, 2025

    Wankaner મેસરિયા ગામે ધાબા પરથી ફળિયામાં પટકાતા વૃદ્ધનું મોત

    July 5, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    જામનગર જીલ્લાની અદાલતોમાં-કેસોના ઝડપી નીકાલ સંબધે મીડીયેશન ફોર નેશન કેમ્પેન-સ્પેશીયલ ડ્રાઈવ

    July 5, 2025

    Jamnagar: શંકર ટેકરી વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલક યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત

    July 5, 2025

    Jamnagar: મહાનગરપાલિકા દ્વારા દુકાનોની કરાયેલી હરાજી માં ૪૪ દુકાનોનું વેચાણ થયું

    July 5, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.