આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ધોલેરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે,ધોલેરા ગામમા રહેતો સંજયસિંહ નાગદેવસિંહ ચુડાસમા વિદેશી દારૂનુ વેંચાણ કરવા કરે છે. અને હાલ સંજયસિંહ નાગદેવસિંહ ચુડાસમા કાળા કલરનું એક્ટિવા નં. જીજે-૩૮-એએ-૦૦૭૦ લઈને ધોલેરા-રાહતળાવ રોડ ઉપર આવેલી જુની મામલતદાર કચેરી ખાતે રાઘવેન્દ્રસિંહ અનિરૂધ્ધ સિંહ ચુડાસમા (રહે.ભડીયાદ તા.ધોલેરા )ને વિદેશી દારુની બોટલો વેંચાણ અર્થે આપવા આવવાનો છે. જે હકિકત આધારે ધોલેરા-રાહતળાવ રોડ ઉપર આવેલી જુની મામલતદાર કચેરી પાસે વોચ ગોઠવી ત્યારે ઉપરોક્ત બન્ને ઈસમો એકટીવા અને મોટરસાયકલ પર આવી વિદેશી દારૂની આપ લે કરતા પોલીસે કોર્ડન કરી બન્ને શખ્સને ઝડપી લીધા હતા .અને ડિકીમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવતા પોલીસે સંજયસિંહની પૂછપરછ કરતા પોતાના ઘરે દારૂનો જથ્થો રાખ્યો હોવાની કબૂલાત કરતાં ધોલેરા પોલીસે સંજયસિંહના ઘરે તલાશી લેતા મકાનના પાછળના ભાગે આવેલી ગેલેરી માંથી વિદેશી દારૂની બોટલ અને ટીન મળી કુલ ૮૯ રૂ.૮૦,૦૩૬ મળી આવતા પોલીસે બન્ને શખ્સને વિદેશી દારૂ,એકટીવા,બાઈક, મોબાઈલ મળી કુલ રૂ.૧,૩૦,૦૩૬ ના મુદામાલ સાથે ધરપકડ કરી તેના વિરૂધ્ધ ધોલેરા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Trending
- Ahmedabad plane crash : પાઈલોટે મેડે સંદેશ મોકલ્યો પણ બચાવની કોઈ તક જ મળી ન હતી
- Ahmedabad plane crash : અત્યાર સુધીમાં 133 મૃતદેહો બહાર કઢાયા
- Ahmedabad: દુર્ઘટના સ્થળે માત્ર કાટમાળ અને વેરાયેલા મૃતદેહો : આકાશમાં ધુમાડાના ગોટેગોટા
- Ahmedabad Plane Crash : ફકત ચાર જ મીનીટ વિમાન હવામાં રહ્યું અને ધડાકા સાથે તૂટી પડયું
- PM નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવવા રવાના
- શબ્દોમાં વર્ણવી ન શકાય તેટલું દુ:ખ : Ahmedabad દુર્ઘટના વિશે મોદીએ શોક દર્શાવ્યો
- અંજલીબેન, ભંડેરી-ભારદ્વાજ પરિવાર બે દિવસ પહેલા લંડન પહોંચી ગયા હતા
- Ahmedabad માં પ્લેન ક્રેશ | CM ભૂપેન્દ્ર પટેલ અસારવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા